Sunday, January 18, 2026

અમદાવાદમાં પેટ્રોલ પંપ પાસે જ 70 લાખની BMW કાર સળગી, છેલ્લી ઘડીએ બે લોકોનો આબાદ બચાવ

spot_img
Share

અમદાવાદ : ગુજરાતમાં ગરમીને કારણે રસ્તા પર દોડતા વાહનોમાં આગ લાગવાના અનેક બનાવો પ્રકાશમાં આવી રહ્યાં છે. ત્યારે આજે વધુ એક આગનો કિસ્સો બન્યો છે. જેમાં શાહીબાગના નમસ્તે સર્કલ પાસે એચપી પેટ્રોલ પંપની સામે એક BMW કાર એકાએક સળગી ઊઠતા ભાગદોડ મચી ગઈ હતી. કાર ઓટો લોક થઈ જતાં બે વ્યક્તિ અંદર ફસાયાં હતા. જે બાદ બન્નેએ કારના પાછળના દરવાજાથી બહાર નીકળીને જીવ બચાવ્યો હતો. ઘટનાની જાણ થતાં ફાયરની ટીમે સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદના શાહીબાગના નમસ્તે સર્કલ પાસે BMW કારમાં બે વ્યક્તિ ડીઝલ ભરાવી રહ્યાં હતા. ત્યારે બોનેટમાંથી ધુમાડા નીકળવા લાગતા પેટ્રોલ પંપના કર્મીઓએ કારને જલ્દીથી પંપની બહાર લઈ જવા કહ્યું હતું. જેથી ચાલક કારને લઈને તુરંત બહાર જતા રહ્યાં હતા, પરંતુ બન્ને વ્યક્તિ અંદર ફસાઈ ગયા હતા. જોકે, પાછળના દરવાજાથી તેમને બહાર કાઢવામાં આવ્યાં હતા અને તેમનો જીવ બચી ગયો હતો.કાર અડધાથી પણ વધારે સળગી ગઈ હતી. ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો.

સ્થાનિકોના કહેવા પ્રમાણે BMW કારની કિંમત 70 થી 80 લાખની છે. કારમાં બે વ્યક્તિઓ સવાર હતા અને તેઓ બાજુના પેટ્રોલ પંપ ઉપર ડીઝલ ભરાવતા હતા ત્યારે બોનેટ માંથી ધુમાડા નીકળવા લાગ્યા હતા આબાદ જ્યારે પેટ્રોલ પંપ ના કર્મીઓએ કારને જલ્દીથી પંપની બહાર લઈ જવા કહ્યું હતું અને જેવી કારને બહાર લઈ ગયાં કે તરત તેમાં આગ લાગી હતી અને બન્ને વ્યક્તિઓ અંદર ફસાયાં હતા જોકે પાછળના દરવાજાથી તેમને બહાર લાવવામાં આવ્યાં હતા અને આ રીતે તેમનો જીવ બચી ગયો હતો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...