Thursday, March 12, 2026

અમદાવાદમાં પેટ્રોલ પંપ પાસે જ 70 લાખની BMW કાર સળગી, છેલ્લી ઘડીએ બે લોકોનો આબાદ બચાવ

spot_img
Share

અમદાવાદ : ગુજરાતમાં ગરમીને કારણે રસ્તા પર દોડતા વાહનોમાં આગ લાગવાના અનેક બનાવો પ્રકાશમાં આવી રહ્યાં છે. ત્યારે આજે વધુ એક આગનો કિસ્સો બન્યો છે. જેમાં શાહીબાગના નમસ્તે સર્કલ પાસે એચપી પેટ્રોલ પંપની સામે એક BMW કાર એકાએક સળગી ઊઠતા ભાગદોડ મચી ગઈ હતી. કાર ઓટો લોક થઈ જતાં બે વ્યક્તિ અંદર ફસાયાં હતા. જે બાદ બન્નેએ કારના પાછળના દરવાજાથી બહાર નીકળીને જીવ બચાવ્યો હતો. ઘટનાની જાણ થતાં ફાયરની ટીમે સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદના શાહીબાગના નમસ્તે સર્કલ પાસે BMW કારમાં બે વ્યક્તિ ડીઝલ ભરાવી રહ્યાં હતા. ત્યારે બોનેટમાંથી ધુમાડા નીકળવા લાગતા પેટ્રોલ પંપના કર્મીઓએ કારને જલ્દીથી પંપની બહાર લઈ જવા કહ્યું હતું. જેથી ચાલક કારને લઈને તુરંત બહાર જતા રહ્યાં હતા, પરંતુ બન્ને વ્યક્તિ અંદર ફસાઈ ગયા હતા. જોકે, પાછળના દરવાજાથી તેમને બહાર કાઢવામાં આવ્યાં હતા અને તેમનો જીવ બચી ગયો હતો.કાર અડધાથી પણ વધારે સળગી ગઈ હતી. ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો.

સ્થાનિકોના કહેવા પ્રમાણે BMW કારની કિંમત 70 થી 80 લાખની છે. કારમાં બે વ્યક્તિઓ સવાર હતા અને તેઓ બાજુના પેટ્રોલ પંપ ઉપર ડીઝલ ભરાવતા હતા ત્યારે બોનેટ માંથી ધુમાડા નીકળવા લાગ્યા હતા આબાદ જ્યારે પેટ્રોલ પંપ ના કર્મીઓએ કારને જલ્દીથી પંપની બહાર લઈ જવા કહ્યું હતું અને જેવી કારને બહાર લઈ ગયાં કે તરત તેમાં આગ લાગી હતી અને બન્ને વ્યક્તિઓ અંદર ફસાયાં હતા જોકે પાછળના દરવાજાથી તેમને બહાર લાવવામાં આવ્યાં હતા અને આ રીતે તેમનો જીવ બચી ગયો હતો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...