Thursday, January 15, 2026

NEET UG 2024 EXAM લીક કૌભાંડ, ABVP-NSUI, વિદ્યાર્થી સંગઠનો, ડોક્ટર એસોસિયેશન પણ મેદાનમાં

spot_img
Share

અમદાવાદ: NEET UG પ્રવેશ પરીક્ષા 2024ના પરિણામ જાહેર થયા બાદ હોબાળો મચી ગયો છે. મેડિકલ અને ડેન્ટલમાં પ્રવેશ માટે લેવાતી નીટની પરીક્ષા શરુઆતથી જ વિવાદમાં રહી છે. NEET UG 2024ની લડાઈ હવે રસ્તાઓથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગઈ છે. દેશભરમાં વિદ્યાર્થીઓ નીટ ફરી લેવાય તેવી માંગ કરી રહ્યાં છે ત્યારે હવે અમદાવાદના ડોક્ટર એસોસીએશનએ પણ નીટના વિવાદમાં ઝપલાવ્યું છે. અમદાવાદ મેડિકલ એસોસિએશનના મેમ્બરે વડાપ્રધાનને પત્ર લખી નીટ ફરી લેવાય તેવી માંગ કરી છે. આ સાથે જ પરીક્ષામાં થતા ગોટાળાની તપાસ થાય તેવી પણ માંગ કરવામાં આવી છે.

નેશનલ ટેસ્ટીંગ એજન્સી (NTA) દ્વારા લેવાયેલી મેડિકલ માટેની યુ.જી.નીટનું પરિણામ તાજેતરમાં જાહેર કરવામાં આવ્યું હતું.જાહેર થયેલા પરિણામમાં એક સાથે 67 વિદ્યાર્થીઓના 720 માંથી 720 માર્કસ આવતા અનેક શંકાઓ ઉભી કરી છે. એટલુ જ નહિ તેનાથી પણ વધુ ઘણા વિદ્યાર્થીઓને 720માંથી 719, 718 અને 715 જેવા માર્કસ આવતા હવે તે મામલે વિરોધ વકરી રહ્યોં છે.આશ્ચર્યની વાત એ કે ગુજરાત બોર્ડમાં ધો.12 સાયન્સની પરીક્ષામાં ફીઝીક્સ વિષયમાં નાપાસ થયેલી એક વિદ્યાર્થિનીને નીટની પરીક્ષામાં 99.94 પર્સન્ટાઇલ અને 720માંથી 705 માર્કસ આવ્યા છે. આવા અનેક કિસ્સાઓ ધીમે ધીમે બહાર આવી રહ્યા છે. ધીમે ધીમે વિદ્યાર્થીઓ-વાલીઓને પરિણામની વિસ્તૃત જાણ થતાં ભારે આક્રોશ જોવા ફેલાયો છે.

આ ઉપરાંત તજજ્ઞો કહે છે કે, નીટનું પરિણામ જાહેર કરવા માટે નેશનલ ટેસ્ટીંગ એજન્સી (NTA) દ્વારા જે તારીખ આપવામાં આવી હતી તેના કરતાં વહેલુ પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું એટલુ જ નહી જે દિવસે લોકસભાનું પરિણામ આવવાનું હતુ તે દિવસે નીટનું પરિણામ જાહેર કરવામાં આવ્યું તે બાબત પણ શંકા ઉપજાવે તેવી છે.સામાન્ય રીતે પરિણામની તારીખ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓ પરિણામની રાહ જોતા હોય પછી મોડે મોડે પરિણામ જાહેર કરવામાં આવતું હોય છે. તેના બદલે અચાનક પરિણામ જાહેર કરવામાં આવ્યું તેની સામે પણ અનેક પ્રશ્નો ઉભા થયા છે.

અમદાવાદ મેડિકલ એસોસિએશનના મેમ્બર ડો. વસંત પટેલે પણ આ્ મામલે રજુઆત કરી છે. વિદ્યાર્થીઓને ન્યાય અપાવવા તેઓ મેદાને ઉતર્યા છે. તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી રજુઆત કરી છે કે એનટીએ (NTA) દ્વારા લેવાયેલી નીટની પરીક્ષા ભુલ ભરેલી છે. પરીક્ષામાં અનેક છબરડાઓ સામે આવ્યા છે. યુજી નીટની પરીક્ષા ફરી લેવાય તેવી માંગ કરી છે.

તેમણે આક્ષેપ કર્યો છે કે, ગુજરાતમાં રહેતા વિદ્યાર્થીઓ અન્ય રાજ્યોમાં પરીક્ષા આપવા જાય તે ઘણી શંકાઓ ઉભી કરે છે. એનટીએ દ્વારા ગ્રેસિંગ માર્કસ આપવાની સિસ્ટમમાં પણ અનેક ભુલો છે. જેમ જેઈઈની પરીક્ષા ઓનલાઈન લેવાય છે તેવી રીતે નીટની પરીક્ષા પણ ઓનલાઈન લેવાવી જોઈએ. નીટ માટે જે ઓએમઆર પધ્ધતિથી લેવાય છે તે કાઢી નાખવી જોઈએ. આ સાથે આ મામલે જે પણ કૌભાંડ થયુ હોય તેની સીબીઆઈ તપાસ થવી જોઈએ.

હાલમાં દરેક રાજયોમાં નીટની પરીક્ષાને લઇને વિવાદ-વિરોધ શરૂ થયો છે. રાજયમાં NSUI-ABVP બન્ને વિદ્યાર્થી સંગઠન દ્વારા નીટના પરિણામનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ABVP દ્વારા તાજેતરમાં નીટની પરીક્ષામાં સીબીઆઇની તપાસ કરવાની માંગણી કરવામાં આવી હતી. જેની સામે NSUI દ્વારા આજે દેખાવો કરીને એવા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે, નીટમાં વિદ્યાર્થીઓને જે પ્રમાણે માર્કસ આપવામાં આવ્યા છે તે જોતાં ગરબડ થઇ હોય તેવી આશંકા છે.નીટની પરીક્ષા રદ કરીને તાકીદે તપાસ માટે કમિટીની રચના કરવા ઉપરાંત નવેસરથી પરીક્ષા લેવાની માંગણી પણ કરવામાં આવી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...