Saturday, March 7, 2026

NEET UG 2024 EXAM લીક કૌભાંડ, ABVP-NSUI, વિદ્યાર્થી સંગઠનો, ડોક્ટર એસોસિયેશન પણ મેદાનમાં

spot_img
Share

અમદાવાદ: NEET UG પ્રવેશ પરીક્ષા 2024ના પરિણામ જાહેર થયા બાદ હોબાળો મચી ગયો છે. મેડિકલ અને ડેન્ટલમાં પ્રવેશ માટે લેવાતી નીટની પરીક્ષા શરુઆતથી જ વિવાદમાં રહી છે. NEET UG 2024ની લડાઈ હવે રસ્તાઓથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગઈ છે. દેશભરમાં વિદ્યાર્થીઓ નીટ ફરી લેવાય તેવી માંગ કરી રહ્યાં છે ત્યારે હવે અમદાવાદના ડોક્ટર એસોસીએશનએ પણ નીટના વિવાદમાં ઝપલાવ્યું છે. અમદાવાદ મેડિકલ એસોસિએશનના મેમ્બરે વડાપ્રધાનને પત્ર લખી નીટ ફરી લેવાય તેવી માંગ કરી છે. આ સાથે જ પરીક્ષામાં થતા ગોટાળાની તપાસ થાય તેવી પણ માંગ કરવામાં આવી છે.

નેશનલ ટેસ્ટીંગ એજન્સી (NTA) દ્વારા લેવાયેલી મેડિકલ માટેની યુ.જી.નીટનું પરિણામ તાજેતરમાં જાહેર કરવામાં આવ્યું હતું.જાહેર થયેલા પરિણામમાં એક સાથે 67 વિદ્યાર્થીઓના 720 માંથી 720 માર્કસ આવતા અનેક શંકાઓ ઉભી કરી છે. એટલુ જ નહિ તેનાથી પણ વધુ ઘણા વિદ્યાર્થીઓને 720માંથી 719, 718 અને 715 જેવા માર્કસ આવતા હવે તે મામલે વિરોધ વકરી રહ્યોં છે.આશ્ચર્યની વાત એ કે ગુજરાત બોર્ડમાં ધો.12 સાયન્સની પરીક્ષામાં ફીઝીક્સ વિષયમાં નાપાસ થયેલી એક વિદ્યાર્થિનીને નીટની પરીક્ષામાં 99.94 પર્સન્ટાઇલ અને 720માંથી 705 માર્કસ આવ્યા છે. આવા અનેક કિસ્સાઓ ધીમે ધીમે બહાર આવી રહ્યા છે. ધીમે ધીમે વિદ્યાર્થીઓ-વાલીઓને પરિણામની વિસ્તૃત જાણ થતાં ભારે આક્રોશ જોવા ફેલાયો છે.

આ ઉપરાંત તજજ્ઞો કહે છે કે, નીટનું પરિણામ જાહેર કરવા માટે નેશનલ ટેસ્ટીંગ એજન્સી (NTA) દ્વારા જે તારીખ આપવામાં આવી હતી તેના કરતાં વહેલુ પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું એટલુ જ નહી જે દિવસે લોકસભાનું પરિણામ આવવાનું હતુ તે દિવસે નીટનું પરિણામ જાહેર કરવામાં આવ્યું તે બાબત પણ શંકા ઉપજાવે તેવી છે.સામાન્ય રીતે પરિણામની તારીખ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓ પરિણામની રાહ જોતા હોય પછી મોડે મોડે પરિણામ જાહેર કરવામાં આવતું હોય છે. તેના બદલે અચાનક પરિણામ જાહેર કરવામાં આવ્યું તેની સામે પણ અનેક પ્રશ્નો ઉભા થયા છે.

અમદાવાદ મેડિકલ એસોસિએશનના મેમ્બર ડો. વસંત પટેલે પણ આ્ મામલે રજુઆત કરી છે. વિદ્યાર્થીઓને ન્યાય અપાવવા તેઓ મેદાને ઉતર્યા છે. તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી રજુઆત કરી છે કે એનટીએ (NTA) દ્વારા લેવાયેલી નીટની પરીક્ષા ભુલ ભરેલી છે. પરીક્ષામાં અનેક છબરડાઓ સામે આવ્યા છે. યુજી નીટની પરીક્ષા ફરી લેવાય તેવી માંગ કરી છે.

તેમણે આક્ષેપ કર્યો છે કે, ગુજરાતમાં રહેતા વિદ્યાર્થીઓ અન્ય રાજ્યોમાં પરીક્ષા આપવા જાય તે ઘણી શંકાઓ ઉભી કરે છે. એનટીએ દ્વારા ગ્રેસિંગ માર્કસ આપવાની સિસ્ટમમાં પણ અનેક ભુલો છે. જેમ જેઈઈની પરીક્ષા ઓનલાઈન લેવાય છે તેવી રીતે નીટની પરીક્ષા પણ ઓનલાઈન લેવાવી જોઈએ. નીટ માટે જે ઓએમઆર પધ્ધતિથી લેવાય છે તે કાઢી નાખવી જોઈએ. આ સાથે આ મામલે જે પણ કૌભાંડ થયુ હોય તેની સીબીઆઈ તપાસ થવી જોઈએ.

હાલમાં દરેક રાજયોમાં નીટની પરીક્ષાને લઇને વિવાદ-વિરોધ શરૂ થયો છે. રાજયમાં NSUI-ABVP બન્ને વિદ્યાર્થી સંગઠન દ્વારા નીટના પરિણામનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ABVP દ્વારા તાજેતરમાં નીટની પરીક્ષામાં સીબીઆઇની તપાસ કરવાની માંગણી કરવામાં આવી હતી. જેની સામે NSUI દ્વારા આજે દેખાવો કરીને એવા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે, નીટમાં વિદ્યાર્થીઓને જે પ્રમાણે માર્કસ આપવામાં આવ્યા છે તે જોતાં ગરબડ થઇ હોય તેવી આશંકા છે.નીટની પરીક્ષા રદ કરીને તાકીદે તપાસ માટે કમિટીની રચના કરવા ઉપરાંત નવેસરથી પરીક્ષા લેવાની માંગણી પણ કરવામાં આવી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...