Monday, January 19, 2026

આવતીકાલથી શરૂ થશે ડ્રાઈવ, લાયસન્સ વિના બાળકોને વાહન આપશો તો વાલીઓને થઇ શકે છે 3 વર્ષની જેલ

spot_img
Share

અમદાવાદ: જો લાયસન્સ ન હોય તો વાલીઓ પોતાના બાળકને વાહન ચલાવવા આપે નહીં, તેવી ખાસ અપીલ અમદાવાદ ટ્રાફિક DCP સફીન હસને કરી છે. લાયસન્સ ન હોવા છતાં બાળકો શાળાએ વ્હીકલ લઈને આવતા હોય છે. જો આવા કિસ્સામાં અકસ્માતની ઘટના બનશે તો વ્હીકલ જેના નામે હશે તે માલિક સામે કાયદેસરની કાર્યવાહી થશે.

આવતીકાલથી રાજ્યભરમાં સ્કૂલો શરૂ થવાની છે, ત્યારે રાજકોટ અગ્નિકાંડને ધ્યાનમાં અમદાવાદમાં કોઈ દુર્ઘટના ના સર્જાય તે માટે પહેલાથી જ સાવધાની રૂપે અમદાવાદના શ્યામાપ્રસાદ મુખર્જી હોલ પર ‘સલામત શાળા’ અભિયાન યોજાયું હતું. ટ્રાફિક પોલીસ કમિશનર, RTO, DEO, AMC અધિકારીઓએ મહત્વની બેઠક યોજી 1100 શાળાના સંચાલકોને બાળકોની સલામતી મુદ્દે અવગત કર્યા હતા.

13 જૂનથી શાળાઓમાં શૈક્ષણિક સત્ર શરૂ થઈ રહ્યું છે ત્યારે તે પૂર્વે બાળકોની સલામતી માટેનું અભિયાન શરૂ થયું છે. ટ્રાફિક પોલીસ કમિશનર, આરટીઓ, DEO, AMC અધિકારીઓએ મહત્વની બેઠક યોજાઇ હતી. સાથે જ શાળા સંચાલકો સાથે શાળાઓમાં ફાયર સેફ્ટી, રોડ ટ્રાફિક અકસ્માત સહિતના મુદ્દે ચર્ચા કરી હતી. આ બેઠકમાં 1500થી વધુ શાળાના સંચાલકો પણ હાજર રહ્યા હતા. સંચાલકોને શાળાઓમાં બાળકોની સાવચેતી રાખવા અંગે સૂચના આપવામાં આવી હતી.

ટ્રાફિક DCP સફીન હસને મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, આગામી અઠવાડિયાથી RTO, ટ્રાફિક, ફાયર અને DEOની ટીમ સરપ્રાઈઝ ચેકિંગ કરશે. બાળકો RTO માન્ય વાહનોમાં જ શાળાએ પહોંચે એ જરૂરી છે. આ ઉપરાંત ફાયર સેફ્ટી, નિયત કરેલ ઝડપે સ્કૂલ બસ કે સ્કૂલ વેન ચલાવવા સૂચના આપી છે. તેમજ 16થી વધુ ઉંમરના બાળકો જ ગિયર વગરનું વાહન ચલાવે એ સુનિશ્ચિત કરવું. ગિયરવાળા વાહનો ચલાવવા માટે 18 વર્ષથી વધુ ઉંમર જરૂરી છે. જો લાયસન્સ વગર બાળક વાહન ચલાવશે તો કાર્યવાહી કરવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...