Tuesday, January 13, 2026

આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ : 35 દિવસ બાદ વિદ્યાર્થીઓના કિલ્લોલથી શાળાઓ ફરી ગૂંજી ઉઠી

spot_img
Share

અમદાવાદ : આજથી નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત થઈ છે. 35 દિવસના ઉનાળું વેકેશનમાં ભેંકાર ભાસતી શાળાઓ વિદ્યાર્થીઓના કિલ્લોલથી ગુંજી ઉઠી છે. ત્યારે અલગ અલગ શાળામાં અલગ લેગ રીતે વિધાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યારે RTO દ્વારા નિયમોના પાલન થાય છે કે કેમ તે અંગે ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં ઘણા વાહનચાલકોએ નિયત સંખ્યા કરતાં વધુ વિદ્યાર્થીઓ બેસાડ્યા હતાં. તો ઘણા નિયમો મુજબ ચાલતાં હોવાનું સામે આવ્યું છે.

આજથી રાજ્યમાં શાળાઓ શરૂ થઈ ગઈ છે, ત્યારે અમદાવાદમાં પણ બાળકોની સલામતીના હિતમાં સ્થાનિક સત્તામંડળ અને જિલ્લા DEO અને ગ્રામ્ય DEO દ્વારા શાળાની ચકાસણી થઈ રહી છે. આ ઉપરાંત RTO દ્વારા પણ સ્કૂલ વાન અને રીક્ષાઓમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર રાજ્યમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં સંબંધિત કોર્પોરેશન અને કલેક્ટર દ્વારા બિલ્ડિંગ યુઝ પરમિશન (બીયુ પરમિશન) ન હોય અથવા ફાયર એનઓસી ન હોય અથવા બંને ના હોય કે ફાયર એન.ઓ.સી. રિન્યૂ ન કરાવી હોય એવા સંજોગોમાં શાળા સંકુલ સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ગુજરાતમાં ફાયર એનઓસી-બીયુ પરમિશનની ચકાસણી વચ્ચે ગુજરાતની 54 હજારથી વધુ શાળાઓમા વર્ષ-2024-25ના નવા શૈક્ષણિક સત્રનો આજ ગુરૂવારથી પ્રારંભ થયો છે. 35 દિવસના ઉનાળુ વેકેશન દરમિયાન સૂમસામ રહેળા શાળાઓના કેમ્પસ આજથી 1.15 કરોડથી વધુ વિદ્યાર્થીઓના કિલ્લોલથી ફરી ગૂંજી ઊઠી છે. આ વર્ષે રાજ્યની તમામ શાળાઓમાં તા. 27, 28 અને 29મી જૂન એમ ત્રણ દિવસ દરમિયાન પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના એકેડેમિક કેલેન્ડર મુજબ રાજ્યની સ્કુલોમાં તા. 6 મી મે-2024થી 9મી જૂન-2024 સુધીનું વેકેશન જાહેર કરાયું હતું, આ અંગે પ્રાથમિક નિયામક કચેરી દ્વારા પરિપત્ર પણ કરી દેવાયો હતો. પરંતુ શાળાના શિક્ષકો સહિતના કર્મચારીઓ લોકસભા ચૂંટણીની કામગીરીમાં રોકાયેલા હોવાથી અગાઉ જાહેર કરાયેલું વેકેશન મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો હતો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...

અંબાજી શક્તિપીઠમાં ઈતિહાસ બદલાયો: હવે આઠમની મહાપૂજાના દર્શન તમામ ભક્તો કરી શકશે!

અંબાજી : શક્તિપીઠ અંબાજી મંદિરને લઇ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અંબાજી મંદિર સ્થાપના બાદનો અત્યાર સુધીનો સૌથી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે....