Sunday, January 18, 2026

અમદાવાદમાં પ્રિ સ્કૂલના સંચાલકો કલેકટર કચેરીએ પહોંચ્યા, 150 પ્રિ સ્કૂલોના સીલ ખોલવા કરી માંગ

spot_img
Share

અમદાવાદ: રાજકોટ અગ્નિ કાંડની ઘટના બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં અલગ અલગ મિલકતો સીલ કરવામાં આવી છે. જેમાં 150 જેટલી પ્રિ સ્કૂલનો પણ સમાવેશ થાય છે. ત્યારે હવે શાળાઓ શરૂ થતાં પ્રિ સ્કૂલ સંચાલકો પણ મેદાને આવ્યા છે. હાલમાં રાજકોટ અને સુરતમાં પ્રી સ્કૂલ શાળાઓના સીલ ખોલી દેવાયા છે તો અમદાવાદમાં સીલ ખોલવાના નિયમ અલગ કેમ? તેવા સવાલ સાથે પ્રિ સ્કૂલ સંચાલકોએ ઉઠાવ્યો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ પ્રિ સ્કૂલ એસોસિએશનના અગ્રણી સાગરભાઈ નાયકે જણાવ્યું કે, અધિકારીઓ પાસે પૂરતી માહિતી ન હોવાથી નિયમ વિરુદ્ધ સીલ મરાયા છે. દરેક પ્રિ સ્કૂલમાં 2021ના પરિપત્ર મુજબના ફાયરના સાધનો ઉપલબ્ધ છે. GDCRના નિયમ મુજબ રેસિડેન્શિયલ વિસ્તારમાં મંજૂરી સાથે પ્રિ સ્કૂલ ચલાવી શકાય છે.રાજકોટ અને સુરતમાં પ્રી સ્કૂલ શાળાઓના સીલ ખોલી દેવાયા છે તો અમદાવાદમાં પણ સીલ ખોલવામાં આવે એવી રજૂઆત કરવામાં આવી છે. જેથી અમદાવાદ કલેકટર અને અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરને પણ રજૂઆત કરી છે અને સીલ કરાયેલ શાળાઓને શરૂ કરવા દેવા માંગ કરી છે.

પ્રિ સ્કૂલ સીલ થતાં અમદાવાદમાં 1 લાખ બાળકોનું શિક્ષણ અટવાયું છે ત્યારે પ્રિ સ્કૂલ ખોલવા માંગ કરી છે. અમદાવાદમાં પ્રી-પ્રાયમરી શાળાઓના સંચાલકો મેદાને પડયા છે. થોડા સમય પહેલા અમદાવાદની 150થી વધુ પ્રી પ્રાયમરી શાળાઓ સીલ કરાઈ છે. તેવી જ રીતે રાજકોટ અને સુરતમાં પણ પ્રિ સ્કૂલ સીલ કરવામાં આવી હતી. પરંતુ રજૂઆતો બાદ ત્યાં સ્કૂલોમાં સીલ ખોલી દેવામાં આવ્યા છે તો અમદાવાદ માટે અલગ નિયમ કેમ? એવા છે તેવા સવાલો સાથે પ્રિ સ્કૂલના સંચાલકો અમદાવાદ કલેકટર કચેરીએ રજૂઆત માટે પહોચ્યા હતા.

મહત્વનું છે કે પ્રિ સ્કૂલ સંચાલકોએ રજૂઆત કરી છે કે મોટા ભાગે પ્રિ સ્કૂલ મહિલાઓ ચલાવી રહી છે. તેઓનો પરિવાર તેના પર નભે છે. સીલ મારતા અમદાવાદના એક લાખથી વધુ બાળકોનો અભ્યાસ બગડી રહ્યો છે જેથી ઝડપથી સીલ ખોલવા રજૂઆત કરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...