Wednesday, March 4, 2026

અમદાવાદમાં પ્રિ સ્કૂલના સંચાલકો કલેકટર કચેરીએ પહોંચ્યા, 150 પ્રિ સ્કૂલોના સીલ ખોલવા કરી માંગ

spot_img
Share

અમદાવાદ: રાજકોટ અગ્નિ કાંડની ઘટના બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં અલગ અલગ મિલકતો સીલ કરવામાં આવી છે. જેમાં 150 જેટલી પ્રિ સ્કૂલનો પણ સમાવેશ થાય છે. ત્યારે હવે શાળાઓ શરૂ થતાં પ્રિ સ્કૂલ સંચાલકો પણ મેદાને આવ્યા છે. હાલમાં રાજકોટ અને સુરતમાં પ્રી સ્કૂલ શાળાઓના સીલ ખોલી દેવાયા છે તો અમદાવાદમાં સીલ ખોલવાના નિયમ અલગ કેમ? તેવા સવાલ સાથે પ્રિ સ્કૂલ સંચાલકોએ ઉઠાવ્યો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ પ્રિ સ્કૂલ એસોસિએશનના અગ્રણી સાગરભાઈ નાયકે જણાવ્યું કે, અધિકારીઓ પાસે પૂરતી માહિતી ન હોવાથી નિયમ વિરુદ્ધ સીલ મરાયા છે. દરેક પ્રિ સ્કૂલમાં 2021ના પરિપત્ર મુજબના ફાયરના સાધનો ઉપલબ્ધ છે. GDCRના નિયમ મુજબ રેસિડેન્શિયલ વિસ્તારમાં મંજૂરી સાથે પ્રિ સ્કૂલ ચલાવી શકાય છે.રાજકોટ અને સુરતમાં પ્રી સ્કૂલ શાળાઓના સીલ ખોલી દેવાયા છે તો અમદાવાદમાં પણ સીલ ખોલવામાં આવે એવી રજૂઆત કરવામાં આવી છે. જેથી અમદાવાદ કલેકટર અને અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરને પણ રજૂઆત કરી છે અને સીલ કરાયેલ શાળાઓને શરૂ કરવા દેવા માંગ કરી છે.

પ્રિ સ્કૂલ સીલ થતાં અમદાવાદમાં 1 લાખ બાળકોનું શિક્ષણ અટવાયું છે ત્યારે પ્રિ સ્કૂલ ખોલવા માંગ કરી છે. અમદાવાદમાં પ્રી-પ્રાયમરી શાળાઓના સંચાલકો મેદાને પડયા છે. થોડા સમય પહેલા અમદાવાદની 150થી વધુ પ્રી પ્રાયમરી શાળાઓ સીલ કરાઈ છે. તેવી જ રીતે રાજકોટ અને સુરતમાં પણ પ્રિ સ્કૂલ સીલ કરવામાં આવી હતી. પરંતુ રજૂઆતો બાદ ત્યાં સ્કૂલોમાં સીલ ખોલી દેવામાં આવ્યા છે તો અમદાવાદ માટે અલગ નિયમ કેમ? એવા છે તેવા સવાલો સાથે પ્રિ સ્કૂલના સંચાલકો અમદાવાદ કલેકટર કચેરીએ રજૂઆત માટે પહોચ્યા હતા.

મહત્વનું છે કે પ્રિ સ્કૂલ સંચાલકોએ રજૂઆત કરી છે કે મોટા ભાગે પ્રિ સ્કૂલ મહિલાઓ ચલાવી રહી છે. તેઓનો પરિવાર તેના પર નભે છે. સીલ મારતા અમદાવાદના એક લાખથી વધુ બાળકોનો અભ્યાસ બગડી રહ્યો છે જેથી ઝડપથી સીલ ખોલવા રજૂઆત કરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...