Saturday, January 24, 2026

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે સ્માર્ટ સ્કૂલનું લોકાર્પણ, AMC સંચાલિત 30 પ્રાથમિક સ્કૂલ બની ‘સ્માર્ટ’

spot_img
Share

અમદાવાદ : ગાંધીનગર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. AMC સંચાલિત સ્કૂલ બોર્ડ દ્વારા ગાંધીનગર લોકસભામાં અંતર્ગત આવતી નારણપુરા, સાબરમતી, ઘાટલોડીયા, વેજલપુર સહિતની વિધાનસભાઓમાં આવેલી કુલ 30 જેટલી સ્માર્ટ સ્કૂલોનું લોકાર્પણ કર્યું હતું. આ ઉપરાંત વસ્ત્રાપુર ખાતે આવેલી સરકારી વસાહત સ્કૂલ અને નારણપુરા ગુજરાતી શાળા નંબર-1ની મુલાકાત લીધી હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે અમદાવાદમાં 36.44 કરોડના ખર્ચે તૈયાર થયેલી 30 સ્માર્ટ સ્કૂલોનું લોકાર્પણ કર્યુ હતુ. AMC સંચાલિત 30 પ્રાથમિક સ્કૂલનુ સ્માર્ટ સ્કૂલમાં રૂપાંતર કરાયુ છે. આ સ્માર્ટ સ્કૂલોનું આજે અમિત શાહે લોકાર્પણ કર્યુ. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે સંબોધતા જણાવ્યું હતું કે, 2024ની ચૂંટણી પછી પ્રથમવાર ગુજરાત આવ્યો છું. સાંસદ અને મંત્રી બન્યા પછી પહેલો કાર્યક્ર્મ ગરીબ બાળકો માટેનો છે. ગુજરાતે ફરી એકવાર 26માંથી 25 સીટો આપી જે બદલ જનતાનો ખૂબ આભાર માનું છું. ગાંધીનગર મત વિસ્તારના સૌ મતદારોનો મારી અને પાર્ટી પર વિશ્વાસ મુકવા બદલ ઋણી રહીશ. સૌથી શ્રેષ્ઠ લોકસભા બનશે.

આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, કેમ શાંતિથી બેઠા છો? ગાંધીનગર મત વિસ્તારમાં વિકાસના કામો શરૂ થઇ ગયા છે. AMC સ્કૂલ બોર્ડની 30 સ્માર્ટ સ્કૂલોનું આજે કેન્દ્રિય ગૃહમંત્રીના હસ્તે કરવામાં આવ્યું છે.ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવ શરૂ થશે. સરકારી શાળાઓ ખાનગી શાળાઓએ ટક્કર મારે એવી છે. હવે રિવર્સ ટ્રેન્ડ શરૂ થયો છે. આ સ્માર્ટ સ્કૂલો બનવાથી 10,000 વિદ્યાર્થીઓને ટેક્નોલોજી સાથે શિક્ષણ મળશે. ગાંધીનગર લોકસભામાં 69 જેટલી સ્માર્ટ સ્કૂલો બની જતાં 34200થી વધુ વિદ્યાર્થીઓને સ્માર્ટ શિક્ષણનો લાભ મળશે.

આ ઉપરાંત અમદાવાદમાં અમિત શાહે વસ્ત્રાપુરમાં સરકારી વસાહત ખાતે સ્કૂલની મુલાકાત પણ લીધી હતી. સ્માર્ટ સ્કૂલોના લોકાર્પણ કાર્યક્રમમાં CM ભૂપેન્દ્ર પટેલ અને કેબિનેટ મંત્રી ઉપસ્થિત રહ્યા હતા. સ્માર્ટ સ્કૂલોની મુલાકાત બાદ અમિત શાહની નારણપુરામાં જાહેર સભા યોજાઈ હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...