અમદાવાદ : ગાંધીનગર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. AMC સંચાલિત સ્કૂલ બોર્ડ દ્વારા ગાંધીનગર લોકસભામાં અંતર્ગત આવતી નારણપુરા, સાબરમતી, ઘાટલોડીયા, વેજલપુર સહિતની વિધાનસભાઓમાં આવેલી કુલ 30 જેટલી સ્માર્ટ સ્કૂલોનું લોકાર્પણ કર્યું હતું. આ ઉપરાંત વસ્ત્રાપુર ખાતે આવેલી સરકારી વસાહત સ્કૂલ અને નારણપુરા ગુજરાતી શાળા નંબર-1ની મુલાકાત લીધી હતી.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે અમદાવાદમાં 36.44 કરોડના ખર્ચે તૈયાર થયેલી 30 સ્માર્ટ સ્કૂલોનું લોકાર્પણ કર્યુ હતુ. AMC સંચાલિત 30 પ્રાથમિક સ્કૂલનુ સ્માર્ટ સ્કૂલમાં રૂપાંતર કરાયુ છે. આ સ્માર્ટ સ્કૂલોનું આજે અમિત શાહે લોકાર્પણ કર્યુ. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે સંબોધતા જણાવ્યું હતું કે, 2024ની ચૂંટણી પછી પ્રથમવાર ગુજરાત આવ્યો છું. સાંસદ અને મંત્રી બન્યા પછી પહેલો કાર્યક્ર્મ ગરીબ બાળકો માટેનો છે. ગુજરાતે ફરી એકવાર 26માંથી 25 સીટો આપી જે બદલ જનતાનો ખૂબ આભાર માનું છું. ગાંધીનગર મત વિસ્તારના સૌ મતદારોનો મારી અને પાર્ટી પર વિશ્વાસ મુકવા બદલ ઋણી રહીશ. સૌથી શ્રેષ્ઠ લોકસભા બનશે.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, કેમ શાંતિથી બેઠા છો? ગાંધીનગર મત વિસ્તારમાં વિકાસના કામો શરૂ થઇ ગયા છે. AMC સ્કૂલ બોર્ડની 30 સ્માર્ટ સ્કૂલોનું આજે કેન્દ્રિય ગૃહમંત્રીના હસ્તે કરવામાં આવ્યું છે.ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવ શરૂ થશે. સરકારી શાળાઓ ખાનગી શાળાઓએ ટક્કર મારે એવી છે. હવે રિવર્સ ટ્રેન્ડ શરૂ થયો છે. આ સ્માર્ટ સ્કૂલો બનવાથી 10,000 વિદ્યાર્થીઓને ટેક્નોલોજી સાથે શિક્ષણ મળશે. ગાંધીનગર લોકસભામાં 69 જેટલી સ્માર્ટ સ્કૂલો બની જતાં 34200થી વધુ વિદ્યાર્થીઓને સ્માર્ટ શિક્ષણનો લાભ મળશે.
આ ઉપરાંત અમદાવાદમાં અમિત શાહે વસ્ત્રાપુરમાં સરકારી વસાહત ખાતે સ્કૂલની મુલાકાત પણ લીધી હતી. સ્માર્ટ સ્કૂલોના લોકાર્પણ કાર્યક્રમમાં CM ભૂપેન્દ્ર પટેલ અને કેબિનેટ મંત્રી ઉપસ્થિત રહ્યા હતા. સ્માર્ટ સ્કૂલોની મુલાકાત બાદ અમિત શાહની નારણપુરામાં જાહેર સભા યોજાઈ હતી.


