Tuesday, January 20, 2026

અમદાવાદમાં કારચાલક મૃત શ્વાનને દોરીથી બાંધી ઢસડીને લઈ ગયો, એક જાગૃત નાગરિકે એક વીડિયો શેર કર્યો

spot_img
Share

અમદાવાદ : માનવોમાંથી માનવતા ગાયબ થઈ રહી છે. ખાસ કરીને અબોલ જીવ સાથે તે ક્રુરતાભરી રમત રમે છે. અમદાવાદમાં હવે માણસો સંવેદનાવિહીન બની રહ્યા હોવાનો વધુ એક પુરાવો મળ્યો છે. તેમાં પણ પ્રાણીઓ પ્રત્યેની ક્રૂરતા તો હદ વટાવી રહી છે. અમદાવાદનો એક આંખો વિસ્ફારિત કરી દેતો વિડીયો સામે આવ્યો છે. આ વિડીયોમાં કારચાલક મૃત શ્વાનને ગાડીની પાછળ બાંધીને ઢસેડી લઈ જઈ રહ્યો છે.

આ વીડિયો જોઈને તમને અરેરાટી થઈ જશે.એક જાગૃત નાગરિકે આ વીડિયો પોતાના ટ્વિટર(X) એકાઉન્ટ પર શેર કર્યો છે. કારચાલક કાર હંકારતો જોઈ શકાય છે અને તેની પાછળ એક મૃત્યુ પામેલો શ્વાન દોરીથી બાંધેલો છે. કારચાલક આ મૃત શ્વાનને દોરીથી ઢસેડીને લઈ જઈ રહ્યો છે. આ દ્રશ્યો ભલભલાને હચમચાવી દે તેવા છે. દુખની વાત એ છે કે, આ વીડિયો ગુજરાતનો છે.

જાગૃત નાગરિકએ વીડિયો શેર કરીને લખ્યું છે કે, અમદાવાદમાં માણસાઈ ભૂલો ગયો શખ્સ, મૃત શ્વાનને આ રીતે ગાડીથી બાંધીને ઢસેડીને લઈ જવુ કેટલુ યોગ્ય છે? Shame.

ત્યારે જાગૃત નાગરિકના આ વીડિયોની નોંધ પ્રાણીઓ માટે કામ કરતી સંસ્થા પેટા ઈન્ડિયાએ પણ લીધી. પેટા ઈન્ડિયાયે ટ્વિટર પર જવાબમાં કહ્યું કે, કૃપા કરીન અમારા ઈમરજન્સી નંબર 98201 22602 પર ફોન કરીને અમને આ ઘટનાની વિસ્તૃત માહિતી આપો. અથવા તમારા સંપર્કની માહિતી આપો, જેથી અમે તમને સંપર્ક કરી શકીએ.

આ વીડિયો બહુ જ ડરામણો છે. કોઈ કેવી રીતે આવું કરી શકે. આ વીડિયોના ટ્વિટર પર પ્રતિસાદ મળ્યા છે. જેમાં લોકોએ કારચાલક સામે રોષ દાખવ્યો છે. એક યુઝરે લખ્યું કે, આને પણ આજ રીતે બાંધ્યો હોય તો પીડા નો અનુભવ આવે. તો અન્ય એક યુઝરે લખ્યું કે, મૃત કૂતરાને કાર સાથે બાંધીને જોવું ખૂબ જ દુઃખદ છે. આ ક્રૂર કૃત્ય માટે જવાબદાર ગુનેગાર સામે કડક કાર્યવાહી થવી જોઈએ.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...