Saturday, January 17, 2026

અમદાવાદમાં પત્નીએ પ્રેમી અને તેના મિત્ર સાથે મળી પતિની હત્યા કરી નાખી, આ રીતે ફૂટ્યો ભાંડો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના વેજલપુરમાં લગ્નના માત્ર સવા વર્ષના સમયગાળામાં પતિ સાથે મનમેળ ન થતા પત્નીએ પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરાવી. વેજલપુર પોલીસની ગિરફ્તમાં ઉભેલ યુવતી અને બે યુવકો હત્યાના આરોપીઓ છે.પોલીસે હત્યાના ગુનાનો ભેદ ઉકેલી ત્રણેય આરોપીની ધરપકડ કરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદના વેજલપુરમાં બુટ ભવાની મંદિર સામે ન્યુ વ્રજ સોસાયટીમાં અનિલ રાઠવા નામના યુવકની 23 જૂનના રોજ રાત્રે 2:30 વાગ્યા આસપાસ ગળે ટૂંપો આપીને હત્યા કરવામાં આવી હતી. જે મામલે અનિલ રાઠવાની પત્ની સ્નેહલે પોલીસને જાણ કરી હતી કે રાતના 2 વાગે આસપાસ બે અજાણ્યા બુકાનીધારી ઈસમો તેઓના ઘરમાં પ્રવેશ્યા અને તેને ચૂપચાપ બેસી રહેવાનું કહ્યું હતું. તે સમયે પતિ અનિલ જાગી જતા એક શખ્સે અનિલને દુપટ્ટાથી ગળે ટૂંપો આપી અને અન્યએ હાથ પગ પકડી રાખી હત્યા કરી હતી. જે બાદ બંને ફરાર થઈ ગયા હતા. જોકે પોલીસને શરૂઆતથી જ સ્નેહલ રાઠવા પર શંકા હતી. પકડાઈ જવાના ડરથી પોતાનો ફોન તોડી નાખ્યો હતો, પરંતુ પોલીસે કોલ ડીટેલ્સ કઢાવતા તેનો ભાંડો ફૂટી ગયો હતો.

સ્નેહલ રાઠવાની પૂછપરછ કરતાં સામે આવ્યું હતું કે વર્ષ 2023માં માર્ચ મહિનામાં તેણે અનિલ રાઠવા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. જોકે લગ્ન બાદથી પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઝઘડો થતાં હતો. આ સમયગાળા દરમિયાન તેના સ્કૂલના મિત્ર વિશાલ પઢિયાર સાથે ઈન્સ્ટાગ્રામ મારફતે સંપર્ક થયો અને બંને વચ્ચે વાતચીત શરૂ થઈ અને પ્રેમ સંબંધ બંધાયો. જે બાદ સ્નેહલે વિશાલને ફોન કરી તેની સાથે લગ્ન કરવાનું અને પતિને રસ્તામાંથી હટાવી દેવાનું જણાવ્યું હતું.

પરિણામે આરોપી વિશાલ તેમજ તેનો મિત્ર જીગ્નેશ રાજપૂત 22મી જૂનના રોજ રાત્રે વડોદરાથી મોટર સાયકલ લઈને અમદાવાદ આવ્યા હતા. રાતના 2:00 વાગે આસપાસ તેઓ વેજલપુર બુટ ભવાની મંદિર પાસે પહોંચ્યા હતા. પતિ સુઈ ગયા બાદ બંનેને ઘરમાં બોલાવ્યા હતા. વિશાલે દુપટ્ટાથી અનિલ રાઠવાનું ગળું દબાવ્યું અને જીગ્નેશે તેના હાથ પગ પકડી રાખ્યા હતા. હત્યા કર્યા બાદ બંને આરોપીઓ વડોદરા ફરાર થઈ ગયા હતા.હત્યા કર્યા બાદ વિશાલ અને જીગ્નેશ વડોદરા ફરાર થઇ ગયા હતા. ત્યારબાદ અનિલની પત્ની સ્નેહલએ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી કે તેના ઘરમાં કોઈ બે અજાણ્યા લોકો પ્રવેશીને લૂંટના ઇરાદે તેને અને તેના પતિને કોઈ મારીને ફરાર થઇ ગયા છે.

આ મામલે મૃતકના પિતા પ્રેમાભાઈ રાઠવાની ફરિયાદ લઈ ગુનામાં સામેલ મૃતકની પત્ની સહિતના ત્રણેય આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે મૃતકની પત્ની અને આરોપી વિશાલ સ્કૂલ સમયમાં ધોરણ 8 સુધી સંપર્કમાં હતા અને બાદમાં સ્નેહલને અનિલ રાઠવા સાથે પ્રેમ થતા તેણે પ્રેમ લગ્ન કર્યા હતા. જે બાદ છેલ્લા 2-3 વર્ષથી વિશાલ સાથે સંપર્કમાં હતી અને મળવા પણ જતી હતી. લગ્ન બાદ પતિ સાથે મનમેળ ન થતાં આ હત્યાનું ષડયંત્ર રચ્યું હતું. અગાઉ તેણે ઊંઘની ગોળીઓ ખવડાવી પતિની હત્યા કરવાનો વિચાર કર્યો હતો, જોકે બાદમાં આ રીતે હત્યાને અંજામ અપાયો છે. આ કેસમાં અંતે વેજલપુર પોલીસે આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...