Wednesday, January 21, 2026

અમદાવાદના આ વિસ્તારમાં બેફામ ડમ્પર ચાલકે બાઈક સવારને મારી ટક્કર, ASIનું ઘટનાસ્થળ પર મોત

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં માર્ગ અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે.અમદાવાદમાં બેફામ ડમ્પરે વધુ એક અકસ્માત સર્જયો હતો. શહેરના અનુપમ-ખોખરા પાસે મોડી રાત્રે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જ્યાં એપરલ પાર્ક ચાર રસ્તા પાસે ડમ્પરે બાઈક ચાલકને અડફેટે લેતા બાઈક ચાલકનું મોત થયું હતું.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતા અને મણિનગર ખાતે રેલવે RPFમાં ASI તરીકે ફરજ બજાવતા સત્યેન્દ્ર ચૌધરી ડયૂટી પુરી કરી બાઈક લઇ ઘર તરફ જવા નીકળ્યા હતા. ત્યારે અનુપમ-ખોખરા ઓવરબ્રિજના વળાંક સમયે સલાટનગરની સામે ડમ્પર ચાલકે તેઓના બાઈકને ટક્કર મારતા તેઓ આગળના વ્હીલમાં આવી ગયા હતા. તેઓનો ડાબો પગ કપાઈ જવા સાથે માથામાં ગંભીર ઈજા સાથે તેને લોહીલુહાણ હાલતમાં 108માં હોસ્પિટલ લઈ જવાયા હતાં. જોકે આજે સવારે તેનું સારવાર દરમિયાન કરુણ મોત નીપજીયું હતું. આ મામલે H ડિવિઝન ટ્રાફિક પોલીસ દ્વારા ગુનો નોંધી ધરપકડ કરવાની તપાસ શરૂ કરી છે.

સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે 108 એમ્બ્યુલન્સને આવી ગઈ હતી અને પોલીસની હદની માથાકૂટમાં તેઓને તરત જ સારવાર માટે લઈ જવામાં આવ્યા નહોતા.ગોમતીપુર અને અમરાઈવાડી પોલીસ હદને લઈને રકઝક કરતી રહી હતી. નજીકમાં ચાલતા બુલેટ ટ્રેનના કામકાજને લઈને આ માર્ગ પરથી દિવસ-રાત ડમ્પરની અવરજવર રહેતી હોવાથી સ્થાનિકોએ સલાટનગરના બન્ને સાંકડા બની ગયેલા સર્વિસ રોડ પર ભારે વાહનોની અવરજવર પર રોક લગાવવાની માંગ કરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...