Tuesday, January 13, 2026

અમદાવાદની આ સ્કૂલમાં શોર્ટ સર્કિટથી લાગી આગ, બાળકોને રેસ્કયુ કરાયા

spot_img
Share

અમદાવાદ : રાજકોટ ગેમઝોન અગ્નિકાંડને હજુ માંડ મહિનો પૂરો થયો છે ત્યારે હજુ પણ આગના બનાવો બનવાના કિસ્સા સામે આવી રહ્યા છે. શહેરના નારોલ વિસ્તારમાં આવેલ ડિવાઇન લાઈફ ઇન્ટરનેશલ સ્કૂલમાં આગ લાગવાની દુર્ઘટના બની હતી. શાળામાં આગ લાગતા બાળકો ફસાઈ ગયા હતા. જો કે બાળકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ શહેરમાં નારોલ વિસ્તારમાં આવેલ એક શાળામાં આગ લાગવાની દુર્ઘટના બનતા લોકો નાસભાગ કરવા લાગ્યા. નારોલ વિસ્તારની ડિવાઇન લાઈફ સ્કૂલમાં આગ દુર્ઘટના સમયે 1500થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હતા. શાળામાં આગ લાગતા તરત જ ફાયર વિભાગને જાણ કરવામાં આવી. ચાલુ શાળાએ આગની ઘટના બનતા ફાયર વિભાગની ગાડીઓ ગણતરીના સમયમાં ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવી બાળકોને સુરક્ષિત બહાર કાઢયા.

નારોલ વિસ્તારમાં ચાલુ શાળાએ આગ લાગવાની ઘટનામાં ફાયર વિભાગની તાત્કાલિક કાર્યવાહીથી મોટો જાનહાનિ ટળી હતી. શાળામાં ફાયર સેફ્ટીને લઈને પૂરતું ધ્યાન આપવામાં આવ્યું હોવાની એક વાલીએ લેખિતમાં જાણ કરી છે. તેમજ શાળાએ કોઈ પ્રકારનો વીમો નથી તે પણ જણાવ્યું. પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોઈ શકે.

સદનસીબે આ દુર્ઘટનામાં કોઇ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી. હાલ આ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. આ સાથે ફાયરની ટીમે આ અંગેની વધુ કાર્યવાહી હાથ ધરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...

અંબાજી શક્તિપીઠમાં ઈતિહાસ બદલાયો: હવે આઠમની મહાપૂજાના દર્શન તમામ ભક્તો કરી શકશે!

અંબાજી : શક્તિપીઠ અંબાજી મંદિરને લઇ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અંબાજી મંદિર સ્થાપના બાદનો અત્યાર સુધીનો સૌથી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે....