અમદાવાદ : લોકસભામાં ગઈકાલે વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ પોતાના સંબોધનમાં કેટલાક એવા મુદ્દાઓ છેડ્યા હતા. જેના કારણે દેશભરમાં હિન્દુઓની લાગણી દુભાઇ છે. ગત મોડી રાત્રે અમદાવાદના પાલડી ખાતે આવેલ રાજીવ ગાંધી ભવન ખાતે બજરંગદળ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો પહોંચી ધમાલ કરી હતી. અહીં રાહુલ ગાંધીના ફોટો પર કાળો સ્પ્રે છાંટ્યો હતો તેમજ બેનરો ફાડ્યાં હતાં.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદમાં કોંગ્રેસના કાર્યાલય ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના 20 થી 25 કાર્યકરો ભારે રોષ સાથે પહોંચ્યા હતા અને વિરોધ કર્યો હતો. કોંગ્રેસના કાર્યાલયને તાળાબંધી કરી હતી. રાહુલ ગાંધીના પોસ્ટર્સ પર હિન્દુ સંગઠનના કાર્યકરોએ કાળો સ્પ્રે માર્યો હતો અને ‘હિન્દુ મતલબ હિંસા’ લખેલા રાહુલ ગાંધીના પોસ્ટર્સ લગાવ્યા હતા. રાહુલ ગાંધીના હિંદુ અંગેની ટિપ્પણી સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો.
जननायक श्री @RahulGandhi जी के संसद में एक भाषण से डरे हुए @narendramodi और @AmitShah के भाड़े के टटुओ ने आधिरात के अंधेरे में @INCGujarat कार्यालय पर पथर फेकने की कायराना हरकत की है , हम हमला करवाने वाले भाजपा, आरएसएस के नेताओ को कहना चाहते है हिम्मत है तो सामने आके लड़ो ,… pic.twitter.com/JxUo4nnKOI
— Amit Chavda (@AmitChavdaINC) July 2, 2024
કોંગ્રેસના કાર્યાલય પર હુમલાને લઈને અમિત ચાવડાએ X પર પોસ્ટ કરીને ભાજપના લોકોએ રાતના અંધારામાં કોંગ્રેસના કાર્યાલય પર પથ્થર ફેંકવાની કાયરતાપૂર્ણની હરકત કરી હોવાનું કહ્યું હતું. તેમણે લખ્યું કે, અમે હુમલો કરનારા ભાજપ, RSSના નેતાઓને કહેવા માંગીએ છીએ કે હિંમત હોય તો સામે આવીને લડો. ગુજરાતમાં અમે તમને સત્ય-અહિંસાના હથિયારથી જ હરાવીશું.