32 C
Gujarat
Wednesday, October 23, 2024

મોડી રાત્રે અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલયમાં ઘુસી રાહુલ ગાંધીના ફોટા કાળા કર્યા, નિવેદનનો વિરોધ

Share

અમદાવાદ : લોકસભામાં ગઈકાલે વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ પોતાના સંબોધનમાં કેટલાક એવા મુદ્દાઓ છેડ્યા હતા. જેના કારણે દેશભરમાં હિન્દુઓની લાગણી દુભાઇ છે. ગત મોડી રાત્રે અમદાવાદના પાલડી ખાતે આવેલ રાજીવ ગાંધી ભવન ખાતે બજરંગદળ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો પહોંચી ધમાલ કરી હતી. અહીં રાહુલ ગાંધીના ફોટો પર કાળો સ્પ્રે છાંટ્યો હતો તેમજ બેનરો ફાડ્યાં હતાં.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદમાં કોંગ્રેસના કાર્યાલય ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના 20 થી 25 કાર્યકરો ભારે રોષ સાથે પહોંચ્યા હતા અને વિરોધ કર્યો હતો. કોંગ્રેસના કાર્યાલયને તાળાબંધી કરી હતી. રાહુલ ગાંધીના પોસ્ટર્સ પર હિન્દુ સંગઠનના કાર્યકરોએ કાળો સ્પ્રે માર્યો હતો અને ‘હિન્દુ મતલબ હિંસા’ લખેલા રાહુલ ગાંધીના પોસ્ટર્સ લગાવ્યા હતા. રાહુલ ગાંધીના હિંદુ અંગેની ટિપ્પણી સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો.


કોંગ્રેસના કાર્યાલય પર હુમલાને લઈને અમિત ચાવડાએ X પર પોસ્ટ કરીને ભાજપના લોકોએ રાતના અંધારામાં કોંગ્રેસના કાર્યાલય પર પથ્થર ફેંકવાની કાયરતાપૂર્ણની હરકત કરી હોવાનું કહ્યું હતું. તેમણે લખ્યું કે, અમે હુમલો કરનારા ભાજપ, RSSના નેતાઓને કહેવા માંગીએ છીએ કે હિંમત હોય તો સામે આવીને લડો. ગુજરાતમાં અમે તમને સત્ય-અહિંસાના હથિયારથી જ હરાવીશું.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles