Saturday, January 24, 2026

પાલડીમાં બે માળના ફ્લેટની સીડીનો ભાગ ધરાશાયી, ફાયરે હાઇડ્રોલિક સીડીથી 16 લોકોનું રેસ્ક્યૂ કર્યું

spot_img
Share

અમદાવાદ : ગઈકાલે રાત્રે શહેરના પાલડી વિસ્તારમાં મહાલક્ષ્મી ચાર રસ્તા પાસે આવેલા વર્ધમાન ફ્લેટની સીડીનો ભાગ તૂટી પડ્યો હતો. ફ્લેટમાં મકાનોમાં ફસાયેલા 16 જેટલા લોકોને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા હાઇડ્રોલિક પ્લેટફોર્મ વડે 16 લોકોને સહી સલામત નીચે ઉતારવામાં આવ્યા હતા. ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી. આશરે 35 થી 40 વર્ષો જૂના ફ્લેટ હતા અને અચાનક જ વરસાદ પડ્યો ત્યારબાદ સીડી તૂટી પડતા લોકો ફસાયા હતા.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગઈકાલે રાત્રે 10:30 વાગ્યાની આસપાસ વરસાદ ચાલુ હતો ત્યારે પાલડી વિસ્તારમાં મહાલક્ષ્મી ચાર રસ્તા નજીક બાદશાહ ડેરીની સામે આવેલા બે માળના વર્ધમાન ફ્લેટની સીડીનો ભાગ અચાનક જ તૂટ્યો હતો. જોરદાર અવાજ આવતાની સાથે જ સ્થાનિક નાગરિકો બહાર નીકળ્યા હતા. જ્યારે તેઓએ જોયું તો સીડીનો ભાગ તૂટી ગયો હતો. જેથી તેઓને નીચે ઉતરવા રસ્તો નહોતો. ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા જમાલપુર ફાયર સ્ટેશનની ટીમ ત્યાં પહોંચી હતી.

તો આ તરફ દુર્ઘટનાને લઇ ફાયર બ્રિગેડની રેસ્ક્યૂ ટીમ દ્વારા સતત બે કલાક સુધી રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી અને ફ્લેટમાં 10થી વધુ મકાનોમાં ફસાયેલા નાના બાળકોથી લઇ અબાલ વૃદ્ધ સહિત 16 રહેવાસીઓને સીડી સહિતના રેસ્ક્યુ સાધનોની મદદથી હેમખેમ બહાર કાઢ્યા હતાં. ફાયર બ્રિગેડની ટીમે હાઇડ્રોલિક સીડી વડે નીચે ઉતાર્યા હતા. આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી. ઘટનાની જાણ થતા એલિસબ્રિજના ધારાસભ્ય અને શહેર પ્રમુખ અમિત શાહ અને પાલડી વોર્ડના કોર્પોરેટરો પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...