Wednesday, January 21, 2026

અમદાવાદમાં રાહુલ ગાંધીનું આગમન, કોંગ્રેસ કાર્યાલય ખાતે ભવ્ય સ્વાગત, VHPનો વિરોધ

spot_img
Share

અમદાવાદ : રાહુલ ગાંધી આજે 6 જુલાઈએ રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવ્યા છે. અમદાવાદ એરપોર્ટથી તેઓ સીધા કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા હતા. અમદાવાદમાં રાજીવ ગાંધી ભવન ખાતે કાર્યકરોની ભીડ ઉમટી છે. સાથે જ તેમના આગમન પહેલા VHP દ્વારા ઉગ્ર વિરોધ પણ કરવામાં આવ્યો હતો. રાહુલ ગાંધીના કોંગ્રેસ કાર્યાલય પહોંચતા જ રાહુલ ગાંધીનો જયજયકાર કરવામાં આવ્યો હતો. હાલ ગુજરાત પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું અને ગુજરાત આવવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ રાહુલ ગાંધીએ કોંગ્રેસ કાર્યાલય ખાતે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, સંસદમાં તમે જોયું હશે કે, વિચિત્ર વાત છે. ભાજપની જે અયોધ્યાની મૂવમેન્ટ હતી. તેની શરૂઆત અડવાણીએ કરી હતી. રથયાત્રા થઈ હતી અને તેમા તમે રથ પર અડવાણીને જોયા હતા. કહેવામાં આવે છે કે, નરેન્દ્ર મોદીએ તેમની મદદ કરી હતી. તેમની શરૂઆત ત્યાં થઈ હતી. રથયાત્રા ચાલી અને હું પાર્લામેન્ટમાં વિચારી રહ્યો હતો કે, તેમણે રામ મંદિરનું ઉદ્ઘાટન કર્યું. રામ મંદિરના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં અંબાણી અને અદાણી જોવા મળ્યા હતા પણ કોઈ ગરીબ જોવા મળ્યું નહોતું.

2 જુલાઈએ સંસદમાં હિન્દુ ધર્મ પર ટિપ્પણી કરતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, આ અહિંસાનો દેશ છે. તે ભયભીત નથી. આપણા મહાપુરુષે આ સંદેશ આપ્યો હતો કે ડરશો નહીં, ડરશો નહીં અને ત્રિશૂળને જમીનમાં દાટી દો. જ્યારે કે જેઓ પોતાને હિંદુ કહે છે તેઓ 24 કલાક હિંસા-હિંસા, નફરત-દ્વેષમાં વ્યસ્ત રહે છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે PM મોદી, ભાજપ અને RSS આખો હિન્દુ સમાજ નથી. PM નરેન્દ્ર મોદીએ આ વાતનો જવાબ આપ્યો હતો. આ બહુ ગંભીર વિષય છે. “શું આ માત્ર એક સંયોગ છે કે પછી કોઈ પ્રયોગની તૈયારી છે?”

ત્યારે બીજી બાજુ અમદાવાદમાં રાહુલ ગાંધી સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. VHP અને બજરંગદળ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. પોસ્ટર અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરવામાં આવ્યો છે. જ્યારે VHP કાર્યાલય ખાતે સઘન સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે. વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે રકજક પણ થઇ હતી. જે બાદ VHP કાર્યકર્તાઓની અટકાયત કરાઈ છે.

રાહુલ ગાંધીના હિન્દુ ધર્મ અંગેના નિવેદન બાદ ગુજરાતમાં પણ ગુસ્સો જોવા મળ્યો હતો. ભાજપના કાર્યકરોએ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય પર હુમલો કર્યો હતો. કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. તેથી રાહુલ ગાંધીનો આ ગુજરાત પ્રવાસ ઘણો મહત્વનો માનવામાં આવી રહ્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...