Wednesday, November 12, 2025

અમદાવાદના આ વિસ્તારમાં GLS કોલેજના પ્રોફેસરે માતાની હત્યા કર્યા બાદ કરી આત્મહત્યા

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં પુત્રએ માતાની હત્યા કર્યાનો બનાવ સામે આવ્યો છે. આ ઘટના પાલડી વિસ્તારની છે. પાલડીમાં રહેતા એક શખ્સે પહેલા પોતાની માતાની હત્યા કરી અને બાદ આત્મહત્યા કરી. આ ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી જવા પામી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદના પાલડીના મહાલક્ષ્મી ફ્લેટમાં રહેતા GLS કોલેજના 42 વર્ષના પ્રોફેસર મૈત્રેય ભગતે મોડી રાતે પોતાની 75 વર્ષની માતા દત્તા ભગતની હત્યા કરી નાંખી છે. જે બાદ પુત્રએ પણ પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. આપઘાત કરનાર મૈત્રેય ભગત GLS કોલેજમાં ઇકોનોમિકસ વિભાગનાં પ્રોફેસર હતા. આ ઘરમાં માતા અને પુત્ર એકલા જ રહેતા હતા. સવારે ઘરની બહાર દૂધ અને છાપા એમના એમ પડ્યા હોવાને કારણે પાડોશીઓને કાંઇ અઘટિત બન્યાની શંકા ગઇ હતી. જેથી પાડોશીઓએ ઘરનો દરવાજો ખોલીને જોતા પુત્ર મૈત્રય ગળેફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યો હતો. જે બાદ પાડોશીએ આ અંગે પોલીસને જાણ કરી હતી.

ઘટનાની જાણ થતા પોલીસ FSLની ટીમ સાથે બનાવ સ્થળ પર પંહોચી ગઈ છે. આ શખ્સે કેમ માતાની હત્યા કરી અને કેમ બાદમાં પોતે આત્મહત્યા કરી તે કારણ જાણી શકાયું નથી. પોલીસને આ મામલે હજુ સુધી કોઈ સ્યુસાઈડ નોટ કે હત્યા માટેનું કારણ મળ્યું નથી. હત્યા અને આપઘાતનું કારણ અકબંધ છે. પોલીસ આ મામલાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પાલડી વિસ્તારમાં બનેલી આ ચકચારી ઘટનામાં દત્તાબેન ભગત મોડી રાત્રે ઘરમાં સૂઈ રહ્યા હતા ત્યારે પુત્ર મૈત્રેય ભગતે છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી. બાદમાંમૈત્રેય ભગતે ઘરમાં જ ગળેફાંસો ખાઈ મોત વ્હાલુ કર્યું હતું. આપઘાત કરનાર મૈત્રેય ભગત GLS કોલેજમાં પ્રોફેસર હતા. જ્યારે મૈત્રના પિતા MBBS ડોક્ટર હતા અને 6 વર્ષ પહેલાં જ તેમનું અવસાન થયું હતું.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર : નર્સિંગ માટે એક વર્ષનો વિશેષ ‘પોસ્ટ બેઝિક ડિપ્લોમા’ કોર્સ શરૂ

ગાંધીનગર : ગુજરાતના નાગરિકોને હોસ્પિટલોમાં ગુણવત્તાસભર અને અદ્યતન સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં...

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...

જન્મ-મરણના દાખલાને લઈને મોટો આદેશ, ડિજિટલ સિગ્નેચર ધરાવતા પ્રમાણપત્રો પુરાવા તરીકે માન્ય

ગાંધીનગર : રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજીયાત સ્વીકારવા...