Thursday, March 12, 2026

નવા વાડજમાં હરિઓમ એપાર્ટમેન્ટમાં આખેઆખી છત ધડાકાભેર ધરાશયી, એક મહિલા ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાયા

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં ભયજનક મકાનો અચાનક ધરાશાયી થવાની ઘટનાઓને લઈ નાગરિકોમાં ભય પ્રસરી ગયો છે. ત્યારે નવા વાડજ વિસ્તારમાં આવેલ હરિઓમ એપાર્ટમેન્ટમાં એક ફ્લેટની છત ધડાકાભેર નીચેના ફ્લેટમાં ધરાશયી થતાં એક મહિલાને નીચે પટકાતા ઈજાગ્રસ્ત થતા 108 બોલાવી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, વહેલી સવારે બનેલ આ દુર્ઘટનાથી સોસાયટીમાં રહેતા લોકોમાં અફડાતફડી મચી ગઇ હતી.

પ્રાપ્ત વિગતો મુજબ નવા વાડજમાં હાઉસીંગ બોર્ડના હરિઓમ એપાર્ટમેન્ટમાં વહેલી સવારે 8-00 કલાકે બ્લોક નં-75 ના એક ફ્લેટમાં અચાનક જ આખે આખી છત ધડાકારભેર એકાએક ધરાશયી બની હતી, જોકે આ સમયે નીચે રહેતા ફ્લેટમાં પરિવારજનો બીજા રૂમમાં હોવાને કારણે મોટી જાનહાની ટળી હતી.પરંતુ ઉપરના માળે રહેતા એક મહિલા નીચે પટકાવાથી ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, અહીં તમને જણાવી દઈએ કે નીચેના ફ્લેટમાં રિપેરિંગનું કામ ચાલતું હોવાને કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાનું પણ મનાઈ રહ્યા છે.આ ઘટનાને લઈને હરિઓમ એપાર્ટમેન્ટના રહીશોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.વહેલી સવારે બનેલી ઘટનાને પગલે લોકોના ટોળે ટોળા ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા.

સ્થાનિકોના જણાવ્યા મુજબ આ ફ્લેટ 40 થી 45 વર્ષ જુના છે. દર સપ્તાહે એકાદ બે આવી દુર્ઘટનાઓ સર્જાઈ રહી છે, મુઠીભર લોકોના કારણે રિડેવલપમેન્ટનું કામ અટક્યું છે, ફ્લેટમાં મોટાભાગના લોકો રિડેવલપમેન્ટ કરાવવા માંગે છે, મોટાભાગના ફ્લેટમાં બન્યા બાદ તેનું રિનોવેશન નહીં થતાં અનેક ફ્લેટ ઘણા સમયથી જર્જરિત અવસ્થામાં છે.વરસાદના કારણે ખાસ કરીને બિસમાર હાલતમાં મુકાયેલાં મકાનો સામે ગમે ત્યારે પત્તાનાં મહેલની જેમ ધરાશાયી થવાનું જાેખમ તોળાઈ રહ્યું છે.

હરિઓમ એપાર્ટમેન્ટના પ્રમુખ કુકાભાઈ ભરવાડના જણાવ્યા મુજબ ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા હરિઓમ એપાર્ટમેન્ટના ફ્લેટોમાં જર્જરીત ઇમારતોને માત્ર દેખાડા પૂરતી નોટિસ આપી છે. એકબાજુ ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા હરિઓમ એપાર્ટમેન્ટનું રિડેવલપમેન્ટનું ટેન્ડર બહાર પડાયું છે, પરંતુ રહીશો મોટા બાંધકામના ફ્લેટ માંગી રહ્યા છે, જેના કારણે સમગ્ર રિડેવલપમેન્ટની પ્રક્રિયા અટકી પડી છે, આ ફ્લેટમાં મોટાભાગના ફ્લેટ રહીશો માટે જોખમી છે.

હરિઓમ એપાર્ટમેન્ટમાં રહેતા એક વૃદ્ધે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે ફ્લેટ 40 થી 45 વર્ષ જુના થઇ ગયા છે ગમે ત્યારે તૂટી પડે તેવી સ્થિતિમાં છે. ફ્લેટમાં અવારનવાર છત અને ગેલેરી તુટી પડી જવાના બની રહ્યા છે, અમારી સોસાયટીમાં અનેક ફ્લેટમાં છત અને ગેલેરીમાં નીચેથી સળીયા બહાર દેખાય છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે મોટાભાગના રહીશો જીવન જોખમે રહે છે.

મ્યુનિસિપલ કોર્પાેરેશન દ્વારા આવાં મકાનોને તાત્કાલિક રિપેર કરવા અથવા તેના ભયજનક ભાગને ઉતારી લેવા માટે જાહેર ચેતવણી આપવામાં આવે છે. તેમ છતાં અનેક વખત લોકો જીવને જાેખમમાં મૂકીને પણ તેમાં રહેતા હોય છે.જાેકે આવાં ભયજનક મકાનો અંગે મ્યુનિસિપલ તંત્રએ તાત્કાલિક પગલાં લેવાં જાેઈએ તેવી રહીશો માંગણી કરી રહ્યા છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...