Wednesday, January 21, 2026

નવા વાડજમાં હરિઓમ એપાર્ટમેન્ટમાં આખેઆખી છત ધડાકાભેર ધરાશયી, એક મહિલા ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાયા

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં ભયજનક મકાનો અચાનક ધરાશાયી થવાની ઘટનાઓને લઈ નાગરિકોમાં ભય પ્રસરી ગયો છે. ત્યારે નવા વાડજ વિસ્તારમાં આવેલ હરિઓમ એપાર્ટમેન્ટમાં એક ફ્લેટની છત ધડાકાભેર નીચેના ફ્લેટમાં ધરાશયી થતાં એક મહિલાને નીચે પટકાતા ઈજાગ્રસ્ત થતા 108 બોલાવી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, વહેલી સવારે બનેલ આ દુર્ઘટનાથી સોસાયટીમાં રહેતા લોકોમાં અફડાતફડી મચી ગઇ હતી.

પ્રાપ્ત વિગતો મુજબ નવા વાડજમાં હાઉસીંગ બોર્ડના હરિઓમ એપાર્ટમેન્ટમાં વહેલી સવારે 8-00 કલાકે બ્લોક નં-75 ના એક ફ્લેટમાં અચાનક જ આખે આખી છત ધડાકારભેર એકાએક ધરાશયી બની હતી, જોકે આ સમયે નીચે રહેતા ફ્લેટમાં પરિવારજનો બીજા રૂમમાં હોવાને કારણે મોટી જાનહાની ટળી હતી.પરંતુ ઉપરના માળે રહેતા એક મહિલા નીચે પટકાવાથી ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, અહીં તમને જણાવી દઈએ કે નીચેના ફ્લેટમાં રિપેરિંગનું કામ ચાલતું હોવાને કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાનું પણ મનાઈ રહ્યા છે.આ ઘટનાને લઈને હરિઓમ એપાર્ટમેન્ટના રહીશોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.વહેલી સવારે બનેલી ઘટનાને પગલે લોકોના ટોળે ટોળા ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા.

સ્થાનિકોના જણાવ્યા મુજબ આ ફ્લેટ 40 થી 45 વર્ષ જુના છે. દર સપ્તાહે એકાદ બે આવી દુર્ઘટનાઓ સર્જાઈ રહી છે, મુઠીભર લોકોના કારણે રિડેવલપમેન્ટનું કામ અટક્યું છે, ફ્લેટમાં મોટાભાગના લોકો રિડેવલપમેન્ટ કરાવવા માંગે છે, મોટાભાગના ફ્લેટમાં બન્યા બાદ તેનું રિનોવેશન નહીં થતાં અનેક ફ્લેટ ઘણા સમયથી જર્જરિત અવસ્થામાં છે.વરસાદના કારણે ખાસ કરીને બિસમાર હાલતમાં મુકાયેલાં મકાનો સામે ગમે ત્યારે પત્તાનાં મહેલની જેમ ધરાશાયી થવાનું જાેખમ તોળાઈ રહ્યું છે.

હરિઓમ એપાર્ટમેન્ટના પ્રમુખ કુકાભાઈ ભરવાડના જણાવ્યા મુજબ ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા હરિઓમ એપાર્ટમેન્ટના ફ્લેટોમાં જર્જરીત ઇમારતોને માત્ર દેખાડા પૂરતી નોટિસ આપી છે. એકબાજુ ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા હરિઓમ એપાર્ટમેન્ટનું રિડેવલપમેન્ટનું ટેન્ડર બહાર પડાયું છે, પરંતુ રહીશો મોટા બાંધકામના ફ્લેટ માંગી રહ્યા છે, જેના કારણે સમગ્ર રિડેવલપમેન્ટની પ્રક્રિયા અટકી પડી છે, આ ફ્લેટમાં મોટાભાગના ફ્લેટ રહીશો માટે જોખમી છે.

હરિઓમ એપાર્ટમેન્ટમાં રહેતા એક વૃદ્ધે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે ફ્લેટ 40 થી 45 વર્ષ જુના થઇ ગયા છે ગમે ત્યારે તૂટી પડે તેવી સ્થિતિમાં છે. ફ્લેટમાં અવારનવાર છત અને ગેલેરી તુટી પડી જવાના બની રહ્યા છે, અમારી સોસાયટીમાં અનેક ફ્લેટમાં છત અને ગેલેરીમાં નીચેથી સળીયા બહાર દેખાય છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે મોટાભાગના રહીશો જીવન જોખમે રહે છે.

મ્યુનિસિપલ કોર્પાેરેશન દ્વારા આવાં મકાનોને તાત્કાલિક રિપેર કરવા અથવા તેના ભયજનક ભાગને ઉતારી લેવા માટે જાહેર ચેતવણી આપવામાં આવે છે. તેમ છતાં અનેક વખત લોકો જીવને જાેખમમાં મૂકીને પણ તેમાં રહેતા હોય છે.જાેકે આવાં ભયજનક મકાનો અંગે મ્યુનિસિપલ તંત્રએ તાત્કાલિક પગલાં લેવાં જાેઈએ તેવી રહીશો માંગણી કરી રહ્યા છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...