Tuesday, January 20, 2026

અમદાવાદના આ વિસ્તારમાં એક ટ્રેલર અને ટુ-વ્હિલર વચ્ચે અકસ્માત, એક્ટિવા ચાલક યુવતીનું મોત

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં આખરે ક્યારે અકસ્માતોનો અંત આવશે? છાસવારે કોઈ અકસ્માત થાય છે અને તેમાં નિર્દોષનો જીવ જાય છે. આખરે કેમ આવા વાહન ચાલકો સામે કોઈ આકરા પગલા લેવામાં નથી આવતા? કે જેના કારણે માસુમોના અકાળે જીવ જાય છે. અકસ્માતોની ભરમાર વચ્ચે ફરી એકવાર શહેરના ઓઢવ રિંગ રોડ પાસે ટ્રેલર ટ્રક અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. એક્ટિવા ચાલક યુવતીનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, નિકોલના ઉત્તમનગર વિસ્તારમાં રહેતી અને લેબ ટેકનીશીયન તરીકે કામ કરતી માનસી સગર નામની યુવતી સાંજે ઓફિસથી પોતાનું કામકાજ પતાવી ઘરે પરત ફરી રહી હતી.ત્યારે ઓઢવ રિંગ રોડ પાસે કાળનો કોળિયો બની હતી.ઓઢવ રિંગ રોડ પર ગુરૂવારે મોડી સાંજે ટ્રેલર અને ટુ-વ્હિલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક્ટિવા ચાલક યુવતીનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. બીજી તરફ આ બનાવની જાણ થતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. મૃતદેહનો કબ્જો લઈ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

આ જે યુવતીનું મોત થયું છે તે માનસી સગરની 21 તારીકે સગાઈ થવાની હતી. ઘણા સમયથી પ્રેમલગ્ન માટે પોતાના પરિવારને મનાવી રહીં હતી. આખરે ઘણા સમય બાદ તેનો પરિવાર પ્રેમલગ્ન માટે માની ગયો પરંતુ માનસીને ક્યા ખબર હતી કે, તેને આમ પોતાના ભાવી ભરથાર સાથે સગાઈ કર્યા પહેલા અકાળે મોતને ભેટવું પડશે? તેણે તો પોતાના નવા જીવનના અભરખા સેવી રાખ્યા હતા. પણ કદાચ કુદરતને પસંદ નહીં હોય! આખરે કેમ દર વખતે આવા વાહન ચાલકોના પાપે નિર્દોષ લોકોના મોત થતા રહેશે? આમાં કોઈ આકરા પગલા લેવાશે કે કેમ? આખરે હજૂ કેટલા જીવ આ રીતે અકાળે જશે?

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...