Thursday, January 22, 2026

શહેરની હાઇરાઇઝ બિલ્ડીંગોમાં હવે પોડિયમ પાર્કિંગની સુવિધા, રીંગરોડ સહિત 22 બિલ્ડીંગોમાં પરવાનગી આપી

spot_img
Share

અમદાવાદ : શહેરમાં દિન-પ્રતિદિન પાર્કિંગની સમસ્યા ખૂબ વધી રહી છે. ખાસ કરીને હવે સોસાયટીઓ અને ફ્લેટોમાં વાહન પાર્કિંગની ખૂબ જ મોટી સમસ્યા ઉભી થતી હોય છે ત્યારે બેથી વધુ બેઝમેન્ટ પાર્કિંગની જગ્યાએ હવે હાઇરાઇઝ બિલ્ડિંગોમાં પોડિયમ પાર્કિંગ (બિલ્ડિંગમાં પાર્કિંગ માટેનો માળ) બાંધવા માટેની મંજૂરી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવે છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદમાં મુંબઈની જેમ હાઇરાઇઝ બિલ્ડીંગોમાં પોડિયમ પાર્કિંગની સુવિધા પણ થઈ શકશે. 4000 ચો.મી.થી વધુ પ્લોટ એરીયા ધરાવતા પ્લોટમાં અને 25 મીટરથી વધુ ઊંચાઈનાં બિલ્ડીંગોમા પોડિયમ પાર્કિંગની મંજૂરી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવશે.શહેરમાં એસજી હાઇવે અને એસપી રીંગ રોડ પર સહિત કુલ 22 જેટલી હાઈરાઈઝ બિલ્ડીંગોમાં પોડિયમ પાર્કિંગની પરવાનગી આપવામાં આવી છે.સોસાયટીઓને ફ્લેટમાં વધતા જતા વાહનો અને પાર્કિંગની સમસ્યાને લઈને બેઝમેન્ટ પાર્કિંગ માટે જમીનને ખૂબ ખોદવી પડે છે અને બેથી ત્રણ બેઝમેન્ટ બનાવવાની જરૂરિયાત પડે છે તેની જગ્યાએ હવે પાર્કિંગ માટે પોડિયમ પાર્કિંગની મંજૂરી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવશે.

મ્યુનિસિપલ કોર્પોરેશનના સૂત્રો મુજબ, બેઝમેન્ટની જગ્યાએ પોડીયમનાં બાંધકામથી ગ્રાઉન્ડ ફલોરથી ઉપરનાં લેવલે પાર્કિંગની ફેસિલિટી આપી શકાય છે. જેનાથી જમીનનું ખોદાણ ઓછી ઊંડાઇ સુધી કરવાની જરૂર પડે છે. હાઈરાઈઝ બિલ્ડીંગોમાં પોડિયમ પાર્કિંગ એક કરતા વધારે લેવલ પર દર્શાવી શકાય છે. જે બેઝમેન્ટ પાર્કિંગની સામે ઘણુ ઈકોનોમિકલ અને વધુ હવા-ઉજાસ(એર વેન્ટીલેશન) ભરેલુ સાબિત થશે. પોડીયમ સ્લેબ જે પોડીયમની ઉપર આવેલ બાંધકામો તથા પોડીયમની નીચે આવેલા બાંધકામોમાં આગ લાગવાના કિસ્સામાં ફાયર સેપરેશનનું કામ કરે છે.

કયા ઝોનમાં કેટલી મંજૂરી?

ઉત્તર-પશ્ચિમ ઝોન : 12
દક્ષિણ-પશ્ચિમ ઝોન : 4
પશ્ચિમ ઝોન : 3
પૂર્વ ઝોન : 2
દક્ષિણ ઝોન : 1

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...