Monday, September 15, 2025

બેન્ક એકાઉન્ટની વિગતો આપતાં ચેતજો ! સાયબર ફ્રોડ આચરતી 13 લોકોની ટોળકી ઝડપાઈ

Share

Share

અમદાવાદ : અમદાવાદમાં સાયબર ક્રાઈમને લગતા અનેક કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. લોકો ઓનલાઈન ફ્રોડનો ભોગ બનતાં તેમના ખાતાં પણ ખાલી થઈ જાય છે ત્યારે સાયબર ક્રાઈમ બ્રાન્ચે એવા 13 લોકોની અટકાયત કરી છે. જેઓ પોતાના મળતીયા માણસો સાથે મળી લોકોને કમીશન આપવાની લાલચ આપીને તેમની પાસેથી બેન્ક એકાઉન્ટ ખોલાવીને વિગતો સાયબર ઠગોને મોક્લી આપતા હતાં. તેમાથી લોકોના છેતરપીડીંથી મેળવેલા નાણા જમા કરાવી બેન્કમાં એકાઉન્ટ હોલ્ડર સાથે જઇ નાણા મેળવીને ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ કરાવી દેશની બહાર મોક્લી આપતા હતાં.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદ સાયબર ક્રાઇમને બાતમી મળી હતી કે શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલ મારુતિ પ્લાઝામાં આ પ્રકારની કામગીરી ચાલી રહી છે અને બાતમીને આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી જેમાં દીપક રાદડીયા અને દિલીપ જાગણી નામનો યુવક દુકાન ભાડે રાખીને પગારદાર મળતિયા સાથે મળીને લોકોને કમિશન આપવાની લાલચ આપીને બેંક એકાઉન્ટ મેળવતો હતો. આ બેંક એકાઉન્ટ સાયબર ક્રાઇમ કરતા ગઠીયાઓને આપીને કમિશન મેળવતો હતો. જેના આધારે સાયબર ક્રાઇમે રેડ કરી હતી અને 13 આરોપીઓને ઝડપી લીઇ સમગ્ર કૌભાંડ એક્સપોઝ કર્યું છે. આરોપીઓ પાસેથી સાયબર ક્રાઈમે અલગ અલગ બેંક ની 30 પાસબુક, 39 ચેકબુક, 59 ATM કાર્ડ, 30 મોબાઈલ, રૂપિયા ગણવાનું મશીન, ફિંગર પ્રિન્ટ સ્કેનર મશીન સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

અમદાવાદ સાયબર ક્રાઇમના ડીસીપી લવીના સિંહાએ જણાવ્યું હતું કે, આ ગેંગના મુખ્ય આરોપી એવા દિપક રાદડિયા અને દિલીપ જાગાણી નામના આરોપીઓ બેંક એકાઉન્ટની વિગત લઈને કેતન પટેલ નામના આરોપીને આપતા હતા અને કેતન પટેલ બેંક એકાઉન્ટઓને ચાઈનીઝ વ્યક્તિઓના વોટ્સઅપ અને ટેલિગ્રામ પર થકી મોકલી આપતો હતો. ચાઈનીઝ વ્યક્તિઓ સાયબર ક્રાઇમ કરીને તે રૂપિયા જમા કરાવવા માટે આ બેન્ક એકાઉન્ટનો ઉપયોગ કરતા હતા. જે બેંક એકાઉન્ટમાં જમા થયેલ રૂપિયા દિલીપ અને દીપક તેમના વ્યક્તિઓ મારફતે સેલ્ફ ચેકથી ઉપાડીને આંગડિયા મારફતે આરોપી દર્શિલ શાહને મોકલી આપતા હતા. દર્શીલ શાહ આ રકમને ક્રીપ્ટો કરન્સીમાં રૂપાંતર કરીને ક્રિપ્ટો કરન્સી ચાઇના ખાતે મોકલી આપતો હતો.

ડીસીપી લવિના સિંહાએ વધુમાં જણાવ્યું હતું કે, દિપક રાદડીયાએ 200થી વધુ બેન્ક એકાઉન્ટ ખોલાવ્યા હોવાનું તપાસમાં ખુલ્યું છે. જ્યારે દિલીપ દ્વારા 3 મહિનાની અંદર 150 જેટલા બેન્ક એકાઉન્ટ ખોલાવીને 8 કરોડનું ટ્રાન્જેક્શન કરવામાં આવ્યું છે. જેમાં 30 લાખનું કમિશન મળ્યું હતું. આરોપી કેતન પટેલ એ BBA સુધીનો અભ્યાસ કર્યો છે. પહેલા એપ્લિકેશન બનાવવાનું કામ કરતો હતો. જેના મારફતે તે એક કેન્યાના વ્યક્તિ સાથે સંપર્ક માં આવ્યો હતો. જેણે તેનો સંપર્ક ચાઈનીઝ વ્યક્તિ ઓ સાથે કરાવ્યો હતો. પછી એક પછી એક ટોળકી ભેગી થતી ગઈ અને આ સમગ્ર કૌભાંડને અંજામ આપતી ગઈ આ ગેંગમાં સામેલ તમામ શખ્સોનો પોલીસે હાલ કસ્ટડીમાં લઈ લીધા છે.

વધુ તપાસનું દોર આરંભ થયો છે આ ટોળકીમાં હાલમાં પોલીસે ફેઝાન શેખ, રાજુ પરમાર, અમિત પટેલ, રાજુ સાંખટ, દર્શન સેંજલીયા, રાજેશ જાસોલિયા, વિકી પટેલ, દિલીપ જાગાણી, કિશોર પટેલ, અલ્કેશ પટેલ, દિપક રાદડિયા, દર્શિલ શાહ અને કેતન પટેલની ધરપકડ કરી છે. આ તમામ આરોપીઓની પૂછપરછ શરૂ કરીને વધુ તપાસ શરૂ કરી છે. દર્શિલ શાહ પ્રાથમિક તપાસમાં ફિલ્મોના પ્રોડ્યુસર તરીકેની ભૂમિકા ભજવી હોવાનું પણ સામે આવ્યું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...