Tuesday, January 20, 2026

બેન્ક એકાઉન્ટની વિગતો આપતાં ચેતજો ! સાયબર ફ્રોડ આચરતી 13 લોકોની ટોળકી ઝડપાઈ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં સાયબર ક્રાઈમને લગતા અનેક કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. લોકો ઓનલાઈન ફ્રોડનો ભોગ બનતાં તેમના ખાતાં પણ ખાલી થઈ જાય છે ત્યારે સાયબર ક્રાઈમ બ્રાન્ચે એવા 13 લોકોની અટકાયત કરી છે. જેઓ પોતાના મળતીયા માણસો સાથે મળી લોકોને કમીશન આપવાની લાલચ આપીને તેમની પાસેથી બેન્ક એકાઉન્ટ ખોલાવીને વિગતો સાયબર ઠગોને મોક્લી આપતા હતાં. તેમાથી લોકોના છેતરપીડીંથી મેળવેલા નાણા જમા કરાવી બેન્કમાં એકાઉન્ટ હોલ્ડર સાથે જઇ નાણા મેળવીને ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ કરાવી દેશની બહાર મોક્લી આપતા હતાં.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદ સાયબર ક્રાઇમને બાતમી મળી હતી કે શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલ મારુતિ પ્લાઝામાં આ પ્રકારની કામગીરી ચાલી રહી છે અને બાતમીને આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી જેમાં દીપક રાદડીયા અને દિલીપ જાગણી નામનો યુવક દુકાન ભાડે રાખીને પગારદાર મળતિયા સાથે મળીને લોકોને કમિશન આપવાની લાલચ આપીને બેંક એકાઉન્ટ મેળવતો હતો. આ બેંક એકાઉન્ટ સાયબર ક્રાઇમ કરતા ગઠીયાઓને આપીને કમિશન મેળવતો હતો. જેના આધારે સાયબર ક્રાઇમે રેડ કરી હતી અને 13 આરોપીઓને ઝડપી લીઇ સમગ્ર કૌભાંડ એક્સપોઝ કર્યું છે. આરોપીઓ પાસેથી સાયબર ક્રાઈમે અલગ અલગ બેંક ની 30 પાસબુક, 39 ચેકબુક, 59 ATM કાર્ડ, 30 મોબાઈલ, રૂપિયા ગણવાનું મશીન, ફિંગર પ્રિન્ટ સ્કેનર મશીન સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

અમદાવાદ સાયબર ક્રાઇમના ડીસીપી લવીના સિંહાએ જણાવ્યું હતું કે, આ ગેંગના મુખ્ય આરોપી એવા દિપક રાદડિયા અને દિલીપ જાગાણી નામના આરોપીઓ બેંક એકાઉન્ટની વિગત લઈને કેતન પટેલ નામના આરોપીને આપતા હતા અને કેતન પટેલ બેંક એકાઉન્ટઓને ચાઈનીઝ વ્યક્તિઓના વોટ્સઅપ અને ટેલિગ્રામ પર થકી મોકલી આપતો હતો. ચાઈનીઝ વ્યક્તિઓ સાયબર ક્રાઇમ કરીને તે રૂપિયા જમા કરાવવા માટે આ બેન્ક એકાઉન્ટનો ઉપયોગ કરતા હતા. જે બેંક એકાઉન્ટમાં જમા થયેલ રૂપિયા દિલીપ અને દીપક તેમના વ્યક્તિઓ મારફતે સેલ્ફ ચેકથી ઉપાડીને આંગડિયા મારફતે આરોપી દર્શિલ શાહને મોકલી આપતા હતા. દર્શીલ શાહ આ રકમને ક્રીપ્ટો કરન્સીમાં રૂપાંતર કરીને ક્રિપ્ટો કરન્સી ચાઇના ખાતે મોકલી આપતો હતો.

ડીસીપી લવિના સિંહાએ વધુમાં જણાવ્યું હતું કે, દિપક રાદડીયાએ 200થી વધુ બેન્ક એકાઉન્ટ ખોલાવ્યા હોવાનું તપાસમાં ખુલ્યું છે. જ્યારે દિલીપ દ્વારા 3 મહિનાની અંદર 150 જેટલા બેન્ક એકાઉન્ટ ખોલાવીને 8 કરોડનું ટ્રાન્જેક્શન કરવામાં આવ્યું છે. જેમાં 30 લાખનું કમિશન મળ્યું હતું. આરોપી કેતન પટેલ એ BBA સુધીનો અભ્યાસ કર્યો છે. પહેલા એપ્લિકેશન બનાવવાનું કામ કરતો હતો. જેના મારફતે તે એક કેન્યાના વ્યક્તિ સાથે સંપર્ક માં આવ્યો હતો. જેણે તેનો સંપર્ક ચાઈનીઝ વ્યક્તિ ઓ સાથે કરાવ્યો હતો. પછી એક પછી એક ટોળકી ભેગી થતી ગઈ અને આ સમગ્ર કૌભાંડને અંજામ આપતી ગઈ આ ગેંગમાં સામેલ તમામ શખ્સોનો પોલીસે હાલ કસ્ટડીમાં લઈ લીધા છે.

વધુ તપાસનું દોર આરંભ થયો છે આ ટોળકીમાં હાલમાં પોલીસે ફેઝાન શેખ, રાજુ પરમાર, અમિત પટેલ, રાજુ સાંખટ, દર્શન સેંજલીયા, રાજેશ જાસોલિયા, વિકી પટેલ, દિલીપ જાગાણી, કિશોર પટેલ, અલ્કેશ પટેલ, દિપક રાદડિયા, દર્શિલ શાહ અને કેતન પટેલની ધરપકડ કરી છે. આ તમામ આરોપીઓની પૂછપરછ શરૂ કરીને વધુ તપાસ શરૂ કરી છે. દર્શિલ શાહ પ્રાથમિક તપાસમાં ફિલ્મોના પ્રોડ્યુસર તરીકેની ભૂમિકા ભજવી હોવાનું પણ સામે આવ્યું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...