Tuesday, January 13, 2026

નારણપુરામાં 19 વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું, કારણ ચોંકાવનારું!

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના નારણપુરામાં 19 વર્ષીય યુવકે પોતાના ઘરના રૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. યુવકને પ્રેમ સબંધ બાબતે માતા-પિતાએ ટોકતા યુવકને લાગી આવ્યું હતું, જેથી યુવકે ઘરે પોતાના રૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે. પરિવારને જાણ થતાં પોલીસને જાણ કરી હતી. નારણપુરા પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત રિપોર્ટ શહેરના નારણપુરા વિસ્તારમાં આવેલી પત્રકાર કોલોનીમાં રહેતા 19 વર્ષીય પાશ્વ શાહ નામના યુવકે આપઘાત કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, પ્રેમ પ્રકરણમાં પાશ્વ શાહે ગળે ફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું હોવાનું જાણવા મળ્યું છે. ગત રાતે પાશ્વ શાહનાં માતા-પિતાએ પ્રેમલગ્ન કરાવવાની ના પાડી હતી અને ઠપકો આપ્યો હતો.

આ અંગે નારણપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ વી.જે ચાવડાએ જણાવ્યું હતું કે માતા-પિતાની વાતનું મનમાં લાગી આવતા પાશ્વ શાહે ઘરના રૂમમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. આ મામલે નારણપુરા પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. જો કે, વિદ્યાર્થી પાશ્વ શાહનાં આપઘાતથી પરિવાર સહિત સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...