Thursday, March 12, 2026

લો ગાર્ડન પાસે આંગડિયા 40 લાખની લૂંટનો મામલો, ક્રાઈમ બ્રાન્ચે 400 CCTV ફંફોળીને 2 આરોપી ઝડપ્યા

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના લો ગાર્ડન પાસે 10 જુલાઈએ આંગડિયા પેઢીના કર્મચારીને માર મારીને 40 લાખની લૂંટનો બનાવ બન્યો હતો. લૂંટ મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બે આરોપીની ધરપકડ કરી છે.આરોપીઓએ ચોરી કરેલા એક્ટિવાનો કલર બદલીને લૂંટને અંજામ આપ્યો હતો. જાન્યુઆરી 2023માં જમાલપુરમાં થયેલી લૂંટના ગુનાને પણ અને એલિસબ્રિજમાં થયેલી લૂંટમાં આરોપીની બાઈક ચલાવવાની સ્ટાલઈથી ઉકેલવામાં આવ્યો છે. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના લો ગાર્ડન પાસે ગત 10 જુલાઈના આંગડિયા પેઢીના કર્મચારીને આંતરી રોકડ રકમની લૂટ ચલાવવામાં આવી હતી. સમગ્ર મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 400 જેટલા CCTV ફંફોળી લુંટને અંજામ આપનાર બે આરોપીઓની ધરપકડ કરી છે. આંગડિયા પેઢીના કર્મચારી રિક્ષામાં બેસીને રોકડ રકમ લઈ જઈ રહ્યા હતા ત્યારે એકટીવા પર આવેલા બે શખ્સોએ આંખમાં મરચાની ભૂકી ભભરાબરને ફાયરિંગ કરી રોકડ ભરેલો એક થેલો લઈ ફરાર થઈ ગયા હતા. સમગ્ર મામલે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી રોકડ રકમ કબજે કરી છે.

પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આરોપી જાવેદ વર્ષ 2023માં 28 લાખની આંગડિયા લૂંટ પણ કરી ચૂક્યા છે. જે ગુનામાં પકડાયો ન હતો. તે 28 લાખ તેણે બીટકોઈનમાં નાખ્યા હતા. પરંતુ તે કંપની ફ્રોડ નીકળી હતી. આ લૂંટમાં તેની સાથેના આરોપી જફરને માત્ર 1 લાખ આપ્યા હોવાની વાત સામે આવી છે.આરોપીની ધરપકડથી એલિસબ્રિજ, ગાયકવાડ હવેલી અને સાબરમતી રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશનના ત્રણ ગુનાનો ભેદ ઉકેલાયો છે.

નોંધનીય છે કે આરોપીએ આ લુંટની રકમને પોતાના સાસરિયામાં એટલે કે યુપીના ઝાંસીમાં મોકલવાનો હતો. પરંતુ આરોપી લૂંટની રકમ સાસરિયાંમાં મોકલે તે પહેલા પકડાઈ ગયો હોવાનું સામે આવ્યું છે. હાલ આરોપીઓને એલિસબ્રીજ પોલીસને સોંપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અને આરોપીને દેવું કેમ થયેલ કારણ કે 3 લાખ દેવામાં ચૂકવ્યા હોવાનું સામે આવ્યું છે. તેની પણ તપાસ શરૂ કરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...