અમદાવાદ : અમદાવાદના લો ગાર્ડન પાસે 10 જુલાઈએ આંગડિયા પેઢીના કર્મચારીને માર મારીને 40 લાખની લૂંટનો બનાવ બન્યો હતો. લૂંટ મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બે આરોપીની ધરપકડ કરી છે.આરોપીઓએ ચોરી કરેલા એક્ટિવાનો કલર બદલીને લૂંટને અંજામ આપ્યો હતો. જાન્યુઆરી 2023માં જમાલપુરમાં થયેલી લૂંટના ગુનાને પણ અને એલિસબ્રિજમાં થયેલી લૂંટમાં આરોપીની બાઈક ચલાવવાની સ્ટાલઈથી ઉકેલવામાં આવ્યો છે. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના લો ગાર્ડન પાસે ગત 10 જુલાઈના આંગડિયા પેઢીના કર્મચારીને આંતરી રોકડ રકમની લૂટ ચલાવવામાં આવી હતી. સમગ્ર મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 400 જેટલા CCTV ફંફોળી લુંટને અંજામ આપનાર બે આરોપીઓની ધરપકડ કરી છે. આંગડિયા પેઢીના કર્મચારી રિક્ષામાં બેસીને રોકડ રકમ લઈ જઈ રહ્યા હતા ત્યારે એકટીવા પર આવેલા બે શખ્સોએ આંખમાં મરચાની ભૂકી ભભરાબરને ફાયરિંગ કરી રોકડ ભરેલો એક થેલો લઈ ફરાર થઈ ગયા હતા. સમગ્ર મામલે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી રોકડ રકમ કબજે કરી છે.
પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આરોપી જાવેદ વર્ષ 2023માં 28 લાખની આંગડિયા લૂંટ પણ કરી ચૂક્યા છે. જે ગુનામાં પકડાયો ન હતો. તે 28 લાખ તેણે બીટકોઈનમાં નાખ્યા હતા. પરંતુ તે કંપની ફ્રોડ નીકળી હતી. આ લૂંટમાં તેની સાથેના આરોપી જફરને માત્ર 1 લાખ આપ્યા હોવાની વાત સામે આવી છે.આરોપીની ધરપકડથી એલિસબ્રિજ, ગાયકવાડ હવેલી અને સાબરમતી રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશનના ત્રણ ગુનાનો ભેદ ઉકેલાયો છે.
નોંધનીય છે કે આરોપીએ આ લુંટની રકમને પોતાના સાસરિયામાં એટલે કે યુપીના ઝાંસીમાં મોકલવાનો હતો. પરંતુ આરોપી લૂંટની રકમ સાસરિયાંમાં મોકલે તે પહેલા પકડાઈ ગયો હોવાનું સામે આવ્યું છે. હાલ આરોપીઓને એલિસબ્રીજ પોલીસને સોંપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અને આરોપીને દેવું કેમ થયેલ કારણ કે 3 લાખ દેવામાં ચૂકવ્યા હોવાનું સામે આવ્યું છે. તેની પણ તપાસ શરૂ કરી છે.


