Wednesday, January 21, 2026

અમદાવાદ ગ્રામ્ય જિલ્લા શિક્ષણ અધિકારીની અનોખી પહેલ: આ વિસ્તારના બાળકોને મળશે NEET, JEE નું ફ્રીમાં કોચિંગ

spot_img
Share

અમદાવાદ : એન્જિનિયરિંગ અને મેડિકલમાં અભ્યાસ કરવાનું સ્વપ્ન સેવતા વિદ્યાર્થીઓના વાલીઓ લાખો રૂપિયાની ફી ભરીને બાળકોને JEE અને NEETની તૈયારી કરાવે છે. ત્યારે અમદાવાદના જિલ્લા શિક્ષણ અધિકારીએ નવી પહેલ કરી છે. જેમાં વિદ્યાર્થીઓને વિનામુલ્યે JEE અને NEETનું કોચિંગ મળી રહેશે. એક વિદ્યાર્થીએ JEE અને NEETની તૈયારી કરવી હોય તો વાલી તેમના બાળક માટે વાર્ષીક બે થી ચાર લાખ રૂપિયાની ફી ભરે છે. પરંતુ જે બાળક ગ્રામ્ય વિસ્તારમાં રહેતો હોય તો તેવા વિદ્યાર્થીઓ ફી તો દૂરની વાત રહી, પરંતુ કોચિંગ પણ મેળવી શકતા નથી. અને આ જ કારણે અમદાવાદના DEOઓ દ્વારા અનોખી પહેલ કરવામા આવી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદ ગ્રામ્ય જિલ્લા શિક્ષણ અધિકારીની બાળકોના ઉચ્ચ અભ્યાસને લઈને એક અનોખી પહેલ જોવા મળી છે. ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ પણ મેડિકલ અને એન્જિનિયરિંગમાં પ્રવેશ મેળવીને સારી કારકિર્દી બનાવી શકે, તે માટે ગ્રામ્ય જિલ્લા શિક્ષણ અધિકારી અને ટાટા મોટર કંપની સાથે મળી વિદ્યાર્થીઓને NEET અને JEE માટે તૈયારી કરાવશે. કંપનીના સહયોગથી અમદાવાદ ગ્રામ્ય DEO ધોરણ 11 અને 12 સાયન્સના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે JEE- NEETના ટ્યુશન ઉપલબ્ધ કરાવશે.જેનું લોન્ચિંગ આજે શુક્રવારે સવારે મહારાજા અગ્રસેન સ્કૂલમાં કરાયું હતું. આ કાર્યક્રમમાં ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો વેબિનારના માધ્યમથી જોડાયા હતા. આ કાર્યક્રમનો લાભ ગ્રામ્ય વિસ્તારના સાયન્સના 10 હજારથી વધુ વિદ્યાર્થીને મળશે.

મિશન સિદ્રત્વ અંતર્ગત વિદ્યાર્થીઓને વિનામુલ્યે JEE અને NEETનું કોચિંગ આપવામાં આવશે મિર્ચી ન્યુઝ સાથેની વાતચીતમાં અમદાવાદ ગ્રામ્યના DEO કૃપાબેન જ્હાએ જણાવ્યુ કે, વિજ્ઞાન પ્રવાહમાં વધુમાં વધુ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે તે હેતુથી નમો સરસ્વતી યોજના સરકાર દ્વારા લાગુ કરવામાં આવી છે અને વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે અને ધોરણ 11 થી જ JEE અને NEETની તૈયારીઓ કરી શકે, તે માટે પ્રયાસ કરવામા આવ્યો છે.

અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં આવેલી શાળાઓના વાલીઓ એટલા સમક્ષ નથી હોતા કે તેઓ શહેરી વિસ્તારની જેમ કોચિંગ પૂરૂ પાડી શકે. વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળી રહે તે માટે ટાટા મોટર્સનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જેને લઈને CSRથી અમદાવાદ ગ્રામ્યની ગ્રાન્ટેડ અને સરકારી શાળાઓના વિદ્યાર્થીઓને JEE અને NEETનું કોચિંગ આપવામાં આવશે. વિદ્યાર્થીઓને ઓનલાઈન અને ઓફલાઈન એમ બંને માધ્યમથી શિક્ષણ આપવામાં આવશે. વિધાર્થીઓને દૈનિક 2 કલાક JEE અને NEETનું શિક્ષણ આપવામાં આવશે. આ ઉપરાંત સાપ્તાહિક પરીક્ષા પણ લેવામાં આવશે. જેથી વિદ્યાર્થીઓને તૈયારી કરવામાં સરળતા રહે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...