અમદાવાદ : ગૌરીવ્રત અને જયાપાર્વતી વ્રત જાગરણ નિમિત્તે આજે 21 જુલાઈના રોજ રાતે 8 વાગ્યાથી 12 વાગ્યા સુધી કાંકરિયા લેકફ્રન્ટ ખુલ્લું રહેશે. મહિલાઓ અને નાની બાળાઓને મફત પ્રવેશ આપવામાં આવશે.
અમદાવાદ મ્યુ કોર્પોરેશન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગૌરીવ્રત અને જયાપાર્વતી વ્રત જાગરણ નિમિત્તે આજે 21 જુલાઈના રોજ રાતે 8 વાગ્યાથી 12 વાગ્યા સુધી કાંકરિયા લેકફ્રન્ટ ખુલ્લું રહેશે એવો નિર્ણય કરાયો છે.મહિલાઓ અને નાની બાળાઓને મફત પ્રવેશ આપવામાં આવશે.
ગૌરીવ્રતનું જાગરણ હોવાના કારણે રાત્રે 12 વાગ્યા સુધી લોકો નાની બાળાઓને લઈને ફરવા નીકળતા હોય છે, ત્યારે કાંકરિયા લેકફ્રન્ટ પરિસરમાં મોટી સંખ્યામાં લોકો આવતા હોવાના કારણે તેને મોડી રાત સુધી ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.


