Wednesday, January 21, 2026

ગોતામાં રિક્ષાવાળો બન્યો બેફામ, વંદે માતરમ રોડ પર 7 વ્યક્તિઓને અડફેટે લીધા, બાળકી ગંભીર

spot_img
Share

અમદાવાદ : શહેરનાના ગોતામાં ગઈકાલે (20 જુલાઈ) રાતે એક રિક્ષાચાલકે દારૂ પીધેલી હાલતમાં અકસ્માત સર્જ્યો હતો. રિક્ષાચાલકે બે મહિલાને અડફેટે લીધી હતી, જેના કારણે બન્ને મહિલાને ઈજા પહોંચી છે. જ્યારે એક નાની બાળકીને પણ સામાન્ય ઈજા પહોંચી હતી, જેને હોસ્પિટલમાં સારવાર બાદ રજા આપવામાં આવી છે. અકસ્માત બાદ લોકોએ ભેગા મળીને રિક્ષાચાલકને ઝડપીને પોલીસને જાણ કરી હતી. રિક્ષાચાલકની ધરપકડ કરીને એ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધ્યો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ ગોતાના વંદે માતરમ્ ચાર રસ્તા પાસે ગઈકાલે રાતે 9:15 વાગ્યાની આસપાસ એક રિક્ષાચાલક પૂરપાટ ઝડપે આવી રહ્યો હતો. રિક્ષાચાલકે બે મહિલાને અડફેટે લીધી હતી અને રિક્ષા પણ પલટી ખાઈ ગઈ હતી. બંને મહિલાને અકસ્માતમાં ઈજા થતાં સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ અકસ્માતમાં એક ચાર વર્ષની બાળકીને પણ સામાન્ય ઈજા થઈ હતી, જેને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી અને સારવાર બાદ હોસ્પીટલમાંથી પણ રજા આપવામાં આવી છે. સ્થાનિક લોકોએ ભેગા મળીને રિક્ષાચાલકને ઝડપીને પોલીસને સોંપ્યો હતો.

રિક્ષાની અડફેટે એક નાની બાળકીને ગંભીર ઈજા પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ હતી. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. અકસ્માત સર્જાતા આજુબાજુનાં રહીશો તાત્કાલીક દોડી આવ્યા હતા. તેમજ બાળકીને સારવાર અર્થે ખસેડી હતી. તેમજ આ બાબતે પોલીસને જાણ કરતા પોલીસે ઘટનાં સ્થળે પહોંચી આગળની તજવીજ હાથ ધરી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...