Friday, January 16, 2026

અમદાવાદની વધુ એક રેસ્ટોરાનાં જમવામાં જીવાત, દાલ ફ્રાયમાંથી મચ્છર નીકળ્યું

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ સહિત રાજ્યમાં ખાદ્ય પદાર્થોમાં અખાદ્ય વસ્તુઓ નીકળવાનો સિલસિલો જારી છે. વસ્ત્રાલના સિટી કોર્નરમાં રેસ્ટોરાની દાળફ્રાયમાં જીવાત નીકળી છે. આ અંગે રેસ્ટોરન્ટ મેનેજમેન્ટને પૂછવામાં આવતા તેણે ઉદ્ધતાઈપૂર્વક જવાબ આપ્યો હતો. ગ્રાહકે આ મામલે હોટલના મેનેજરને ફરિયાદ કરી તો તેઓએ કહ્યું કે, વરસાદની સિઝન હોવાથી કદાચ આવી ગઈ હશે. આ મામલે મ્યુનિ. ફૂડ વિભાગની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના વસ્ત્રાલ રિંગ રોડ પર આવેલી સિટી કોર્નર રેસ્ટોરન્ટમાં 40 વ્યક્તિ માટેનો જમણવાર યોજાયો હતો. ગ્રાહક અને તેઓના મહેમાનો આ રેસ્ટોરન્ટમાં જમવા માટે ગયા હતા. રેસ્ટોરન્ટમાં તમામ લોકોને જમવાનું આપવામાં આવ્યું હતું. જેમાં સૌપ્રથમ શાક રોટલી પીરસવામાં આવ્યા હતા. જે ખાધા બાદ દાલફ્રાય મગાવી હતી. જેમાં એક વ્યક્તિની દાલફ્રાયમાંથી મચ્છર જેવું નીકળ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by mirchinews (@mirchinews)

આ મામલે હોટલના મેનેજરને ફરિયાદ કરી હતી. મેનેજર દ્વારા તેઓને કહ્યું હતું કે, અત્યારે વરસાદની સિઝન છે એટલે ક્યાંકથી મચ્છર આવી ગયું હશે. આવો જવાબ આપવામાં આવ્યો હતો. તમામ લોકો અડધું જમવાનું મૂકી અને ત્યાંથી નીકળી ગયા હતા. આ મામલે તેઓએ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગમાં ઓનલાઈન 155 303 નંબર ઉપર ફરિયાદ નોંધાવી દીધી છે. જેથી ફૂડ વિભાગની ટીમ દ્વારા હવે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા શહેરના પૂર્વ વિસ્તારમાં રખિયાલમાં આવેલી સિટી પોઈન્ટ રેસ્ટોરન્ટમાં બેબી શાવર પ્રસંગમાં જમણવારમાં દાલફ્રાયમાંથી જીવાત નીકળી હતી, જે મામલે ફરિયાદ કરાતા ફૂડ વિભાગની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.

જો કે રેસ્ટોરાની વાત જવા દઈએ પણ આ ઋતુમાં બહાર જમવા નીકળતા લોકોનો પણ તેટલો જ વાંક છે. આપણે ત્યાં કહ્યું છે કે ચોમાસામાં બહારનું જમવું નહીં, છતાં પણ જો લોકો બહાર જમવા નીકળતા હોય તો પછી વાંક તેમનો જ છે. ચોમાસાની સીઝનમાં ઘરમાં ભરેલા ઘઉંમાં ધનેરા પડી જતી હોય અને બીજા ધાન્યોમાં પણ જીવડાં પડતાં હોય તો બહારના ભોજનમાં તો શું-શું ન હોય.

આ ભોજન કોણે રાંધ્યું હોય, કેવા વાતાવરણમાં રંધાયું હોય અને કેટલી ગંદી જગ્યાએ તે રંધાયુ હોય તે જાણતા હોવા છતાં પણ જો લોકોએ બહારનો સ્વાદ લેવો હોય અને પછી જીવડાં પડી ગયાની ફરિયાદ કરવી હોય તો ક્યાં મેળ પડે. કેટલીય રેસ્ટોરામાં જમવા જાવ અને તેનું રસોડું જુઓ તો તમને જમવાની પણ ઇચ્છા ન થાય. છતાં લોકો ટેસ્ટ વગર રહી જતાં હોય તો બધી જ જવાબદારી કંઈ રેસ્ટોરાવાળાની નથી. તેણે તો જથ્થાબંધ બનાવવાનું જ હોય.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...