Wednesday, January 21, 2026

નિર્ણયનગરના યુવક સાથે કેનેડા PR વિઝા આપવાનું કહીને છેતરપિંડી, 5 લાખ અને ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ પડાવ્યા

spot_img
Share

અમદાવાદ : વર્તમાન સમયમાં લોકો વિદેશ જવાની ઘેલછામાં ક્યાંકને ક્યાંક ચૂક કરી બેસતા હોય છે અને તેના કારણે જ છેતરપિંડી કરતા લોકો ફાવી જતા હોય છે. આવી જ વધુ એક ઘટના અમદાવાદમાં સામે આવી છે.જેમાં વિજય ચાર રસ્તા પાસે આવેલી ઉમિયા ઓવરસીઝના માલિકોએ અમદાવાદના યુવકને કેનેડાના PR વિઝા આપવાનું કહીને પાંચ લાખ રૂપિયા પડાવ્યા છે.યુવકે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદના નિર્ણયનગરમાં રહેતા પ્રજ્ઞેશ પટેલ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.પ્રજ્ઞેશભાઈ અને તેમના પત્નીને કેનેડા જવાના હોવાથી 11 મહિના અગાઉ વિજય ચાર રસ્તા પાસે ઉમિયા ઓવરસીઝ ગયા હતા, ત્યાંથી તેમને ગાંધીનગર ખાતેની ઓફિસ મોકલવામાં આવ્યા હતા.ત્યારબાદ તેઓ ગાંધીનગર કુડાસણ ખાતેની ઓવરસીઝની ઓફિસમાં ગયા હતા, ત્યાં તેમને અંકિત પટેલ અને વિશાલ પટેલ મળ્યા હતા. બંનેએ 18 મહિનામાં કેનેડાના PR વિઝા માટે 65 લાખ થશે તેવું કહ્યું હતું અને એડવાન્સ પાંચ લાખ રૂપિયા આપવાની વાતચીત હતી. વિઝા આવ્યા બાદ 20 લાખ આપવાના અને કેનેડા પહોંચ્યા બાદ એરપોર્ટ પર 40 લાખ આપવાના તે પ્રકારની મૌખિક વાતચીત કરી હતી.

જેથી ફરિયાદી પ્રજ્ઞેશભાઈએ ઓરિજિનલ પાસપોર્ટ, જન્મનું પ્રમાણપત્ર મેરેજ સર્ટિફિકેટ, સ્કૂલ લિંગ સર્ટિફિકેટ,અભ્યાસની વિગતો સહિતની તમામ ગાંધીનગર ખાતે ઓફિસ પર આપી હતી.પ્રજ્ઞેશભાઈને કહેવામાં આવ્યું કે આગળનું કામ ઉમંગ પટેલ કરે છે જેથી તેમને ઉમંગ પટેલને ઓફિસે મળવા જવાનું કહ્યું. પ્રજ્ઞેશભાઈ ઉમંગ પટેલને અવારનવાર મળતા હતા ત્યારે ઉમંગ કહેતો હતો કે, ફાઇલનું કામકાજ ચાલુ છે.

તેમની ફાઈલનું ઘણો સમય થવા આવ્યો છતાં વિઝાના કંઈ કામ ના થતાં પ્રજ્ઞેશભાઈએ અંકિતભાઈને ફોન કર્યો હતો પરંતુ તેમનો ફોન બંધ આવતો હતો. ત્યારબાદ ઉમંગ પટેલ અને સ્મિત પટેલને મળ્યા હતા, ત્યારે તેમણે કહ્યું હતું કે, જો તમારે આગળનું કામ કરવું હોય તો બીજા 20 લાખ આપવા પડશે. નહીંતર જમા કરાવેલા પૈસા ડોક્યુમેન્ટ પાછા મળશે નહી.

આ ઉપરાંત અંકિતનો પણ તેમના ઉપર ફોન આવ્યો અને કહ્યું હતું કે પૈસા પહોંચાડી દો નહીંતર તમારું કામ થશે નહીં.પ્રજ્ઞેશભાઈને અવારનવાર બહાના બતાવી વધુ પૈસાની માંગણી કરતા હતા જેથી પ્રજ્ઞેશભાઈએ ઉમિયા ઓવરસીઝના માલિક અંકિત પટેલ,વિશાલ પટેલ,ઉમંગ પટેલ અને સ્મિત પટેલ વિરુધ્ધમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...