Tuesday, January 20, 2026

અમદાવાદમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ, અનેક વિસ્તારમાં પાણી ભરાયા, વાહન ચાલકોને હાલાકી

spot_img
Share

અમદાવાદ : હવામાન વિભાગની આગાહી અનુસાર, સતત બીજા દિવસે પણ અમદાવાદ અને આસપાસના વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાયો છે. SG હાઇવે, બોપલ, નવા વાડજ, ગોતા, હાઇકોર્ડ, ગીતામંદિર, રાણીપ, નરોડા સહિતના વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો હતો. જો SG હાઇવે અને ગોતાની વાત કરવામાં આવે તો ઝીરો વિઝિબિલિટી છે. ભારે વરસાદના પગલે અખબારનગર અંડરપાસ પાણી ભરાતા બંધ કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ સતત બીજા દિવસે અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. આજે સાંજે ચાર વાગ્યા બાદ શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. શહેરમાં સાંજે 5 વાગ્યા સુધીમાં સરેરાશ અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. શહેરમાં વસ્ત્રાપુર, ગુરૂકુળ, સુભાષચોક, પકવાન ચાર રસ્તા, બોડકદેવ, રામપીરના ટેકરા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાથી વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરમાં અનેક વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે.

શહેરના પૂર્વ વિસ્તાર એવા અસારવા, શાહીબાગ, ગિરધર નગર, સુભાષ બ્રિજ, બાપુનગર, ઠક્કર નગર સહિતના વિસ્તારોમાં એકાએક ધોધમાર વરસાદ શરૂ થયો જ્યારે સોલા, ઘાટલોડિયા, મેમનગર, ગુરુકુળ, વસ્ત્રાપુર, ગુજરાત હાઇકોર્ટ સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થયો. શાહીબાગ અંડરબ્રિજમાં પાણી ભરાતા એક તરફનો રસ્તો બંધ કરવામાં આવ્યો. અંડરબ્રિજ પાસે રાણીશક્તિ મંદિરની બહાર પાણી ભરાતા લોકોના વાહન બંધ પાડયા, લોકોના ઢીંચણ સુધી પાણી ભરાતા લોકોએ તે રસ્તે જવાનું ટાળ્યું.

શહેરના ઘાટલોડીયા વિસ્તારમાં રંગના પાર્ક નજીક આવેલા યજ્ઞપુરુષ ફ્લેટમાં સીડીના સ્લેબનો ભાગ ધરાશાયી થયા હોવાની ઘટના બની હતી. ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા બે ગાડીઓ સાથે રેસ્ક્યુ ટીમ રવાના કરવામાં આવી હતી. ટીમ દ્વારા ઘટના સ્થળે પહોંચી અને ત્રીજા માટે રહેલા બેથી ત્રણ વ્યક્તિને નીચે ઉતારી લીધા હતા. જોકે, આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. સીડીનો સ્લેબ પડ્યો હતો.

હવામાન વિભાગ દ્વારા આજે ભાવનગર, સુરત, નવસારી, વલાસડ, દાદરા તથા નગર હવેલી અને દમણમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, આણંદ, ભરૂચ, વડોદરા, નર્મદા, પંચમહાલ, છોટા ઉદેપુર, દાહોદ, તાપી અને ડાંગ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...