Sunday, January 18, 2026

અમદાવાદના આ વિસ્તારમાં વિચિત્ર અકસ્માત, સોસાયટીના દરવાજા પાસે બેઠેલી મહિલાને કારે કચડી

spot_img
Share

અમદાવાદ : શહેરના નિકોલ વિસ્તારમાં એક વિચિત્ર અકસ્માતની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં એક મહિલાનું મોત નીપજ્યું અને એક બાળકને ઈજા પહોંચી હતી. બાળકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. નિકોલ વિસ્તારની અબજીબાપ ગ્રીનસ સોસાયટીના દરવાજા પર જ આ અકસ્માત સર્જાયો હતો.હાલ પોલીસ દ્વારા ઘટના સ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ અકસ્માત કેવી રીતે સર્જાયો, તે મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદવાદમાં આવેલા નિકોલ વિસ્તારની આ ઘટના છે, જ્યાં અબજીબાપા ગ્રીન સોસાયટીના ગેટ પાસે અકસ્માત સર્જાયો હતો. એક મહિલા તેના બાળક સાથે ગેટ પાસે બેઠી હતી, તે સમયે આ ઘટના બની હતી. રિવર્સ લેવા જતાં કાર ધડાકાભેર અથડાઇ હતી. કારને રિવર્સ લેતાં કાર પિલ્લર સાથે અથડાઇ હતી. જ્યાં બેસેલી મહિલા કચડાઇ ગઇ હતી. આ ઘટનામાં મહિલાને ગંભીર ઇજા પહોંચતાં તેનું મોત નીપજ્યું છે. જ્યારે બાળકને ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે.

ઘટનાની જાણ થતાં ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી અકસ્માત અંગે તપાસ હાથ ધરી હતી. સાથે જ અકસ્માત કેવી રીતે સર્જાયો, તે અંગેની તપાસ સંદર્ભે પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવવાની તજવીજ હાથ ધરી છે. નોંધનીય છે કે, અગાઉ પણ વાહન રિવર્સ લેવા જતાં કોઇ વ્યક્તિ કચડાઇ હોય તેવા કિસ્સા સામે આવી ચૂક્યા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...