અમદાવાદ : શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી હોટલ, ફૂડ કોર્ટ અને રેસ્ટોરન્ટમાં ખાણીપીણીની ચીજ વસ્તુઓમાંથી જીવાત નીકળવા ઉપરાંત ફૂડ સેફટી એક્ટના નિયમોનું પાલન કરવામાં આવતું નથી. ભેળસેળવાળી અખાદ્ય ચીજ વસ્તુઓનું વેચાણ થતું હોવાના પગલે આજે AMC ફૂડ વિભાગની ટીમ દ્વારા વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. નવરંગપુરા વિજય ચાર રસ્તા પાસે આવેલા TEA PEA CAFEમાં ખાદ્ય ચીજ વસ્તુઓ તળાવ માટે તેલમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં TPC 71 જેટલું આવ્યું હતું. જે સામાન્ય કરતાં ખૂબ વધારે હતું. એકની એક ચીજ વસ્તુઓને વારંવાર તેલમાં તળવામાં આવતું હોવાનું સામે આવતા કેફેને સીલ કરવામાં આવ્યું છે.
તમને જણાવી દઈએ કે ટોટલ પોલર કમ્પાઉન્ડ્સ (TPC) તેમના વપરાશ અને સંગ્રહ દરમિયાન તેલના અધોગતિ અને એકંદર ગુણવત્તાનું મૂલ્યાંકન કરવા માટે મુખ્ય સૂચક તરીકે સેવા આપે છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ વપરાયેલ રસોઈ તેલ માટે 25% ટોટલ પોલર કમ્પાઉન્ડ્સ (TPC) ની મહત્તમ મર્યાદા નક્કી કરી છે. આનો અર્થ એ છે કે 25% થી વધુ TPC સાથેનું રાંધણ તેલ માનવ વપરાશ માટે સલામત નથી અને તાજા તેલ સાથે ટોચ પર ન હોવું જોઈએ. FSSAI એ રેસ્ટોરાં અને ખાણીપીણીને એક જ બેચના રસોઈ તેલનો ત્રણથી વધુ વખત ઉપયોગ કરવા પર પણ પ્રતિબંધ મૂક્યો છે.


