Wednesday, January 21, 2026

અમદાવાદ યુનિવર્સિટીમાં B.A, B.Comની અધધ…ફી 4.60 લાખ, ફીના વધારાના મામલે NSUI નો હોબાળો

spot_img
Share

અમદાવાદ : રાજ્યની સરકારી યુનિવર્સિટીમાં બીકોમ, બીએ જેવા સામાન્ય કોર્ષની વાર્ષિક ફી 5થી 6 હજાર રૂપિયા છે. જ્યારે અમદાવાદ યુનિવર્સિટીમાં આ પ્રકારના કોર્ષની વાર્ષિક ફી 4.60 લાખ રાખવામાં આવી છે. જેને લઇને NSUI દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. NSUIએ યુનિવર્સિટીને 24 કલાકમાં ફી ઘટાડવા અલ્ટિમેટમ આપ્યું છે. સરકારને પણ ખાનગી યુનિવર્સિટીમાં FRC લાગુ કરવા માગ કરી છે અને ફીમાં ઘટાડો કરવા અમદાવાદ યુનિવર્સિટીના સંચાલકોને 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ શહેરના નવરંગપુરામાં અમદાવાદ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ પાસે એક વર્ષની 4.60 લાખ ફી વસૂલવામાં આવી રહી છે. સરકારી યુનિવર્સિટીમાં FRC લાગુ કરવામાં આવી છે. જેથી સરકારી યુનિવર્સિટી સંલગ્ન કોલેજ ફી બાબતે અંકુશમાં રહે છે. જ્યારે ખાનગી યુનિવર્સિટીમાં FRC લાગુ કરવામાં આવી નથી. જેથી ખાનગી યુનિવર્સિટી મનમાની મુજબ ફી વસૂલી રહી છે. ખાનગી યુનિવર્સિટી પર સરકારનો પણ અંકુશ નથી, જેના કારણે ખાનગી યુનિવર્સિટીઓ બેફામ બની છે.

શહેરની ખાનગી યુનિવર્સિટી વિદ્યાર્થીઓ પાસેથી બેફામ રીતે ફી ઉઘરાવી રહી હોવાનો આક્ષેપ NSUI એ કર્યો છે. એટલું જ નહીં વિદ્યાર્થીઓ પાસેથી વધુને વધુ ફી ઉઘરાવવા જાણે પરવાનો મળી ગયો હોય તેમ ખાનગી યુનિવર્સિટીઓ વર્તી રહી છે. રાજ્યની સરકારી યુનિવર્સિટીમાં B.Com, B.A જેવા સામાન્ય કોર્ષની વાર્ષિક ફી માત્ર 5 થી 6 હજાર રૂપિયા છે. જ્યારે અમદાવાદ યુનિવર્સિટીમાં આ પ્રકારના કોર્ષની વાર્ષિક ફી 4.60 લાખ વસૂલવામાં આવી રહી છે. જેને લઇને વિદ્યાર્થી સંગઠન NSUI દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે.

NSUIએ યુનિવર્સીટીને 24 કલાકમાં ફી ઘટાડવા અલ્ટીમેટમ આપ્યું છે. સાથે સરકારને પણ ખાનગી યુનિવર્સિટીમાં FRC લાગુ કરવા માંગ કરી છે. NSUIનો આક્ષેપ છે કે, રાજ્યની સરકારી યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં FRC લાગુ છે. જ્યારે ખાનગી યુનિવર્સિટીમાં કોઈ FRC લાગુ પડતું નથી. જેના કારણે ખાનગી યુનિવર્સિટી વિદ્યાર્થીઓ પાસેથી બેફામ ફી વસૂલે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...