Friday, March 13, 2026

અમદાવાદ યુનિવર્સિટીમાં B.A, B.Comની અધધ…ફી 4.60 લાખ, ફીના વધારાના મામલે NSUI નો હોબાળો

spot_img
Share

અમદાવાદ : રાજ્યની સરકારી યુનિવર્સિટીમાં બીકોમ, બીએ જેવા સામાન્ય કોર્ષની વાર્ષિક ફી 5થી 6 હજાર રૂપિયા છે. જ્યારે અમદાવાદ યુનિવર્સિટીમાં આ પ્રકારના કોર્ષની વાર્ષિક ફી 4.60 લાખ રાખવામાં આવી છે. જેને લઇને NSUI દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. NSUIએ યુનિવર્સિટીને 24 કલાકમાં ફી ઘટાડવા અલ્ટિમેટમ આપ્યું છે. સરકારને પણ ખાનગી યુનિવર્સિટીમાં FRC લાગુ કરવા માગ કરી છે અને ફીમાં ઘટાડો કરવા અમદાવાદ યુનિવર્સિટીના સંચાલકોને 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ શહેરના નવરંગપુરામાં અમદાવાદ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ પાસે એક વર્ષની 4.60 લાખ ફી વસૂલવામાં આવી રહી છે. સરકારી યુનિવર્સિટીમાં FRC લાગુ કરવામાં આવી છે. જેથી સરકારી યુનિવર્સિટી સંલગ્ન કોલેજ ફી બાબતે અંકુશમાં રહે છે. જ્યારે ખાનગી યુનિવર્સિટીમાં FRC લાગુ કરવામાં આવી નથી. જેથી ખાનગી યુનિવર્સિટી મનમાની મુજબ ફી વસૂલી રહી છે. ખાનગી યુનિવર્સિટી પર સરકારનો પણ અંકુશ નથી, જેના કારણે ખાનગી યુનિવર્સિટીઓ બેફામ બની છે.

શહેરની ખાનગી યુનિવર્સિટી વિદ્યાર્થીઓ પાસેથી બેફામ રીતે ફી ઉઘરાવી રહી હોવાનો આક્ષેપ NSUI એ કર્યો છે. એટલું જ નહીં વિદ્યાર્થીઓ પાસેથી વધુને વધુ ફી ઉઘરાવવા જાણે પરવાનો મળી ગયો હોય તેમ ખાનગી યુનિવર્સિટીઓ વર્તી રહી છે. રાજ્યની સરકારી યુનિવર્સિટીમાં B.Com, B.A જેવા સામાન્ય કોર્ષની વાર્ષિક ફી માત્ર 5 થી 6 હજાર રૂપિયા છે. જ્યારે અમદાવાદ યુનિવર્સિટીમાં આ પ્રકારના કોર્ષની વાર્ષિક ફી 4.60 લાખ વસૂલવામાં આવી રહી છે. જેને લઇને વિદ્યાર્થી સંગઠન NSUI દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે.

NSUIએ યુનિવર્સીટીને 24 કલાકમાં ફી ઘટાડવા અલ્ટીમેટમ આપ્યું છે. સાથે સરકારને પણ ખાનગી યુનિવર્સિટીમાં FRC લાગુ કરવા માંગ કરી છે. NSUIનો આક્ષેપ છે કે, રાજ્યની સરકારી યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં FRC લાગુ છે. જ્યારે ખાનગી યુનિવર્સિટીમાં કોઈ FRC લાગુ પડતું નથી. જેના કારણે ખાનગી યુનિવર્સિટી વિદ્યાર્થીઓ પાસેથી બેફામ ફી વસૂલે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...