Sunday, January 18, 2026

AMCના લાંચિયા અધિકારીના ઘરે સર્ચ કરતાં ખજાનો મળ્યો! ઘરમાંથી મળ્યા લાખો રૂપિયા અને સોનાનું બિસ્કીટ

spot_img
Share

અમદાવાદ: AMCના એક વરિષ્ઠ અધિકારીને એન્ટી કરપ્શન બ્યુરોએ 20 લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા. ત્યારબાદ AMC ના આસિસ્ટન્ટ TDO હર્ષદ ભોજકના ઘરે એસીબી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.ACB ની ટીમ દ્વારા તેમના ઘરમાં સર્ચ ઓપરેશન શરૂ કરાયું છે. ACB ની ટીમ નાણાંની રકમની ગણતરી કરવા મશીન લઈને પહોંચી ગઈ છે. નારણપુરા સ્થિત નિવાસસ્થાને 20 લાખ રોકડ રકમ હોવા અંગે ACBએ સર્ચ શરૂ કર્યું.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ફરીયાદીની વડીલો પાર્જીત જમીનમાં મકાનો/દુકાનો હતી, જે AMC દ્વારા કબ્જો લઈ તોડી નાખવામાં આવી હતી. જેથી મકાનો-દુકાનોના ભાડુઆતો તથા ફરીયાદીએ કાયદાકીય પ્રક્રિયા કરી હતી. જે અંગેની જાણ એન્જિનિયર આશિષ પટેલને થતા વચ્ચેનો રસ્તો કાઢી આપવા અને મદદરૂપ થવાની અવેજમાં લાંચની માંગણી કરી હતી, પરંતુ ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી ACB નો સંપર્ક કરતાં લાંચના છટકાનું આયોજન કર્યું હતું. આશ્રમ રોડ ખાતેની રત્ના બિઝનેસ સ્ક્વેર ખાતે ACB એ છટકું ગોઠવી આરોપીઓને ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરાવી લાંચની માંગણી કરતા, લાંચની રકમ સ્વીકારતા અને એકબીજાએ મદદગારી કરતા પકડી પાડ્યા હતા.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, ગુરુવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ TDO હર્ષદભાઈ મનહરલાલ ભોજક 20 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા,જેઓના રહેણાંક ફ્લેટ પ્રગતિનગર (નારણપુરા) એરીયા અમદાવાદ ખાતે ACB ની ટીમે પંચ રૂબરૂ જડતી તપાસ કરતા રૂપિયા 73 લાખની રોકડ રકમ તથા સોનાનું બિસ્કીટ આશરે સાડા ચાર લાખની કિંમતનું મળી કુલ રૂપિયા 77 લાખ ઉપરાંતની માલમતા ધોરણસર કબજે કરેલ છે. દસ્તાવેજો તથા અન્ય મિલકતો બાબતે ને ચકાસણી અને જડતી ચાલી રહેલ છે.

ACB અમદાવાદ ગ્રામ્યના પોલીસ ઇન્સ્પેક્ટર એન.એન. જાદવના નેતૃત્વ હેઠળ આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ACBના મદદનીશ નિયામકો કે.બી. ચુડાસમા અને એ.વી. પટેલે આ કાર્યવાહીનું સુપરવિઝન કર્યું હતું. બંને આરોપીઓ વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ ચાલુ છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...