અમદાવાદ : અમદાવાદના ઘાટલોડીયા પોલીસ સ્ટેશનની હદમાં નારણપુરા વિસ્તારમાં આવેલ શાસ્ત્રીનગર પાસે આવેલી આશાપુરી જ્વેલર્સમાં તેના જ એક કર્મચારીએ સોનાની માળાની ચોરી કરી હોવાની ફરિયાદ ઘાટલોડીયા સ્ટેશન ખાતે નોંધાઈ હતી.ઘાટલોડીયા પોલીસે CCTV ફૂટેજ સહિતના પુરાવાઓને આધારે ગુનો નોંધી બે આરોપી મયુર ઉર્ફે રાજા ખટીક અને તેના મિત્ર હર્ષ ઉર્ફે બબલુની ધરપકડ કરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ ઘાટલોડીયા પોલીસે ધરપકડ કરેલ મયુર ઉર્ફે રાજા ખટીક 2 ઓગસ્ટે જ્વેલર્સની દુકાનમાં નોકરીએ આવ્યો અને 4 કલાક બાદ બપોરે બે વાગે સંચાલક તથા સ્ટાફના અન્ય લોકોની નજર ચુકવી રૂપિયા 2.68 લાખ ની કિંમત ની 37 ગ્રામની સોનાની માળા ચોરી કરી તેના મિત્રને આપી દીધી.આરોપી મયુરે તેના સાથીદાર હર્ષ ઉર્ફે બબલુને ચોરો કરેલી માળા આપી દીધી પરંતુ આ બાબત થી જવેલર્સમાં.સૌ કોઈ અજાણ રહ્યા.સાંજે જ્યારે સ્ટોક ની ગણતરી કરી તો એક માળાનો હિસાબ મળતો નહોતો CCTV ની ચકાસણી કરી તો ખબર પડી કે આ માળા તો તેમનો જ એક દિવસનો કર્મચારી સેરવી ગયો અને પછી ઘાટલોડીયા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.
ઘાટલોડીયા પોલીસે CCTV ફૂટેજ સહિતના પુરાવાઓને આધારે ગુનો નોંધી બે આરોપી મયુર ઉર્ફે રાજા ખટીક અને તેના મિત્ર હર્ષ ઉર્ફે બબલુની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે મયુરે ચોરી કરેલી માળા તેના મિત્રએ માણેક ચોક ખાતે એક સોની વેપારીને વેચી આવ્યો છે. મોજશોખ પુરા કરવા માટે આ ચોરીને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે.
ઘાટલોડિયા પોલીસ બંને આરોપીઓની વધુ પૂછપરછ કરી રહી છે, સાથે જ તેઓના ભૂતકાળને ચકાસી રહી છે કે તેઓ એ અન્ય કોઈ ચોરી કે ગુનાઓને અંજામ આપ્યો છે.