Monday, January 19, 2026

ઘાટલોડીયામાં જ્વેલર્સની દુકાનમાં કારીગરે નોકરીના પ્રથમ પહેલા જ દિવસે 2.68 લાખની સોનાની માળાની કરી ચોરી, જુઓ CCTV

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના ઘાટલોડીયા પોલીસ સ્ટેશનની હદમાં નારણપુરા વિસ્તારમાં આવેલ શાસ્ત્રીનગર પાસે આવેલી આશાપુરી જ્વેલર્સમાં તેના જ એક કર્મચારીએ સોનાની માળાની ચોરી કરી હોવાની ફરિયાદ ઘાટલોડીયા સ્ટેશન ખાતે નોંધાઈ હતી.ઘાટલોડીયા પોલીસે CCTV ફૂટેજ સહિતના પુરાવાઓને આધારે ગુનો નોંધી બે આરોપી મયુર ઉર્ફે રાજા ખટીક અને તેના મિત્ર હર્ષ ઉર્ફે બબલુની ધરપકડ કરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ ઘાટલોડીયા પોલીસે ધરપકડ કરેલ મયુર ઉર્ફે રાજા ખટીક 2 ઓગસ્ટે જ્વેલર્સની દુકાનમાં નોકરીએ આવ્યો અને 4 કલાક બાદ બપોરે બે વાગે સંચાલક તથા સ્ટાફના અન્ય લોકોની નજર ચુકવી રૂપિયા 2.68 લાખ ની કિંમત ની 37 ગ્રામની સોનાની માળા ચોરી કરી તેના મિત્રને આપી દીધી.આરોપી મયુરે તેના સાથીદાર હર્ષ ઉર્ફે બબલુને ચોરો કરેલી માળા આપી દીધી પરંતુ આ બાબત થી જવેલર્સમાં.સૌ કોઈ અજાણ રહ્યા.સાંજે જ્યારે સ્ટોક ની ગણતરી કરી તો એક માળાનો હિસાબ મળતો નહોતો CCTV ની ચકાસણી કરી તો ખબર પડી કે આ માળા તો તેમનો જ એક દિવસનો કર્મચારી સેરવી ગયો અને પછી ઘાટલોડીયા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.

ઘાટલોડીયા પોલીસે CCTV ફૂટેજ સહિતના પુરાવાઓને આધારે ગુનો નોંધી બે આરોપી મયુર ઉર્ફે રાજા ખટીક અને તેના મિત્ર હર્ષ ઉર્ફે બબલુની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે મયુરે ચોરી કરેલી માળા તેના મિત્રએ માણેક ચોક ખાતે એક સોની વેપારીને વેચી આવ્યો છે. મોજશોખ પુરા કરવા માટે આ ચોરીને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે.

ઘાટલોડિયા પોલીસ બંને આરોપીઓની વધુ પૂછપરછ કરી રહી છે, સાથે જ તેઓના ભૂતકાળને ચકાસી રહી છે કે તેઓ એ અન્ય કોઈ ચોરી કે ગુનાઓને અંજામ આપ્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...