Thursday, March 5, 2026

અમદાવાદ યુનિ.માં ફી વધારા મામલે NSUIનો ઉગ્ર વિરોધ, સૂત્રોચ્ચાર કરી ગેટ કૂદીને કાર્યકરો અંદર પ્રવેશ્યા

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ યુનિવર્સિટીમાં ફી વધારા મામલે NSUI દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે. બીકોમ અને બીએ જેવા કોર્ષની વાર્ષિક ફી 4.60 લાખ રાખવામાં આવતા અગાઉ 24 કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું. તેમ છતાં માગણી ન સ્વીકારવામાં આવતા આજે (5 ઓગસ્ટ) NSUIના કાર્યકરોએ ફરીથી અમદાવાદ યુનિવર્સિટીમાં ધસી ગયા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં જવાબ આપવા આવેલા રજિસ્ટ્રારને ઘેરી કાર્યકરોએ ધક્કે ચડાવ્યા હતા. જે બાદ પોલીસે કાર્યકરોની અટકાયત કરવાનું શરૂ કર્યું હતું. થોડીવાર માટે યુનિવર્સિટીનું કેમ્પસ યુદ્ધનું મેદાન હોય તેવાં દૃશ્યો સર્જાયાં હતાં.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ યુનિવર્સિટી ખાતે આજે NSUI નાં કાર્યકરો મોટી સંખ્યામાં પહોંચ્યા હતા અને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. યુનિ.માં થતા તોતિંગ ફી વધારા સામે NSUI નાં કાર્યકરો એ સૂત્રોચ્ચાર કરીને રોષ વ્યક્ત કર્યો હતો.અમદાવાદ યુનિવર્સિટીમાં આ પ્રકારના કોર્ષની વાર્ષિક ફી 4.60 લાખ રાખવામાં આવી છે. જેને લઇને NSUI દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. આજથી પાંચ દિવસ પહેલાં NSUIએ યુનિવર્સિટીને 24 કલાકમાં ફી ઘટાડવાનું અલ્ટિમેટમ આપ્યું હતું. આ સાથે સરકારને પણ ખાનગી યુનિવર્સિટીમાં FRC લાગુ કરવા માગ કરી હતી. આગાઉ આપેલું અલ્ટિમેટમ પૂર્ણ થતાં NSUIના કાર્યકરો યુનિવર્સિટીઓ પહોંચ્યા હતા. જ્યાં સિક્યોરિટી દ્વારા મુખ્ય ગેટને બંધ કરી દેવામાં આવ્યો હતો.

જેથી NSUIના કાર્યકરો યુનિવર્સિટીના ગેટ પર બેસી ગયા હતા. આ સાથે સિક્યોરિટી ગાર્ડે ગેટ પર સાંકળ મારીને કાર્યકરોને ગેટ કૂદતા રોક્યા હતા. કાર્યકરોએ છલાંગ લગાવી યુનિવર્સિટીમાં કૂદતા કાર્યકરો અને સિક્યોરિટી ગાર્ડ વચ્ચે ઘર્ષણ થયું હતું. જે બાદ NSUIના કાર્યકરોએ ગેટની સાંકળ તોડીને યુનિવર્સિટીમાં પ્રવેશ કર્યો હતો અને અંદર જઈને ધરણાં પર બેઠા હતા. આ દરમિયાન જવાબ આપવા આવેલા રજિસ્ટ્રારને ઘેરી યુનિવર્સિટીમાંથી બહાર ધક્કે ચઢાવ્યા હતા. રજિસ્ટ્રારને યુનિવર્સિટી બહારથી ધક્કો મારીને કાર્યકરો યુનિવર્સિટીમાં પરત લઈ ગયા હતા.

જે બાદ બંદોબસ્તમાં રહેલી પોલીસની ગાડીઓ યુનિવર્સિટીની અંદર પહોંચી હતી અને NSUIના કાર્યકરોની ટીંગાટોળી સાથે અટકાયત કરવાનું શરૂ કર્યું હતું. પોલીસે ગણતરીની મિનિટમાં તમામ કાર્યકરોની અટકાયત કરી મામલો થાળે પાડ્યો હતો.આ મામલે NSUI એ જણાવ્યું હતું કે, 4 દિવસ અગાઉ અમે અલ્ટિમેટમ આપ્યું હતું. આ યુનિવર્સિટીમાં ગરીબ અને આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ કેવી રીતે ભણી શકે. અમે આ અંગે આગામી દિવસમાં ગાંધીનગર શિક્ષણમંત્રીનો પણ ઘેરાવ કરીશું.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...