Tuesday, January 13, 2026

અમદાવાદ યુનિ.માં ફી વધારા મામલે NSUIનો ઉગ્ર વિરોધ, સૂત્રોચ્ચાર કરી ગેટ કૂદીને કાર્યકરો અંદર પ્રવેશ્યા

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ યુનિવર્સિટીમાં ફી વધારા મામલે NSUI દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે. બીકોમ અને બીએ જેવા કોર્ષની વાર્ષિક ફી 4.60 લાખ રાખવામાં આવતા અગાઉ 24 કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું. તેમ છતાં માગણી ન સ્વીકારવામાં આવતા આજે (5 ઓગસ્ટ) NSUIના કાર્યકરોએ ફરીથી અમદાવાદ યુનિવર્સિટીમાં ધસી ગયા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં જવાબ આપવા આવેલા રજિસ્ટ્રારને ઘેરી કાર્યકરોએ ધક્કે ચડાવ્યા હતા. જે બાદ પોલીસે કાર્યકરોની અટકાયત કરવાનું શરૂ કર્યું હતું. થોડીવાર માટે યુનિવર્સિટીનું કેમ્પસ યુદ્ધનું મેદાન હોય તેવાં દૃશ્યો સર્જાયાં હતાં.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ યુનિવર્સિટી ખાતે આજે NSUI નાં કાર્યકરો મોટી સંખ્યામાં પહોંચ્યા હતા અને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. યુનિ.માં થતા તોતિંગ ફી વધારા સામે NSUI નાં કાર્યકરો એ સૂત્રોચ્ચાર કરીને રોષ વ્યક્ત કર્યો હતો.અમદાવાદ યુનિવર્સિટીમાં આ પ્રકારના કોર્ષની વાર્ષિક ફી 4.60 લાખ રાખવામાં આવી છે. જેને લઇને NSUI દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. આજથી પાંચ દિવસ પહેલાં NSUIએ યુનિવર્સિટીને 24 કલાકમાં ફી ઘટાડવાનું અલ્ટિમેટમ આપ્યું હતું. આ સાથે સરકારને પણ ખાનગી યુનિવર્સિટીમાં FRC લાગુ કરવા માગ કરી હતી. આગાઉ આપેલું અલ્ટિમેટમ પૂર્ણ થતાં NSUIના કાર્યકરો યુનિવર્સિટીઓ પહોંચ્યા હતા. જ્યાં સિક્યોરિટી દ્વારા મુખ્ય ગેટને બંધ કરી દેવામાં આવ્યો હતો.

જેથી NSUIના કાર્યકરો યુનિવર્સિટીના ગેટ પર બેસી ગયા હતા. આ સાથે સિક્યોરિટી ગાર્ડે ગેટ પર સાંકળ મારીને કાર્યકરોને ગેટ કૂદતા રોક્યા હતા. કાર્યકરોએ છલાંગ લગાવી યુનિવર્સિટીમાં કૂદતા કાર્યકરો અને સિક્યોરિટી ગાર્ડ વચ્ચે ઘર્ષણ થયું હતું. જે બાદ NSUIના કાર્યકરોએ ગેટની સાંકળ તોડીને યુનિવર્સિટીમાં પ્રવેશ કર્યો હતો અને અંદર જઈને ધરણાં પર બેઠા હતા. આ દરમિયાન જવાબ આપવા આવેલા રજિસ્ટ્રારને ઘેરી યુનિવર્સિટીમાંથી બહાર ધક્કે ચઢાવ્યા હતા. રજિસ્ટ્રારને યુનિવર્સિટી બહારથી ધક્કો મારીને કાર્યકરો યુનિવર્સિટીમાં પરત લઈ ગયા હતા.

જે બાદ બંદોબસ્તમાં રહેલી પોલીસની ગાડીઓ યુનિવર્સિટીની અંદર પહોંચી હતી અને NSUIના કાર્યકરોની ટીંગાટોળી સાથે અટકાયત કરવાનું શરૂ કર્યું હતું. પોલીસે ગણતરીની મિનિટમાં તમામ કાર્યકરોની અટકાયત કરી મામલો થાળે પાડ્યો હતો.આ મામલે NSUI એ જણાવ્યું હતું કે, 4 દિવસ અગાઉ અમે અલ્ટિમેટમ આપ્યું હતું. આ યુનિવર્સિટીમાં ગરીબ અને આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ કેવી રીતે ભણી શકે. અમે આ અંગે આગામી દિવસમાં ગાંધીનગર શિક્ષણમંત્રીનો પણ ઘેરાવ કરીશું.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...