Tuesday, January 20, 2026

અમદાવાદની 35 વર્ષીય યુવતીને 12 વર્ષ નાના યુવક સાથે પ્રેમ થયો, મોંઘી ગીફ્ટ લેતા યુવકનો આ રીતે ભાંડો ફૂટ્યો

spot_img
Share

અમદાવાદ : આજના સોશિયલ મીડિયાના ફાસ્ટેજ લાઈફમાં સોશિયલ મીડિયામાં મળેલા લગ્નના વાયદા ભાગ્યે જ પૂરા થતા હોય છે. ત્યારે મણિનગરની યુવતીને ઇન્સ્ટાગ્રામ મારફતે જામનગરના છોકરાનો સંપર્ક થયો હતો. તે શખ્સે યુવતીને લગ્નની લાલચ આપી અનેકવાર દુષ્કર્મ આચર્યું, ગિફ્ટો, મોબાઇલ ફોન અને રૂપિયાની જરૂર છે કહીને યુવતી પાસેથી કુલ રૂ.11.38 લાખ પણ પડાવ્યા હતા. યુવતીએ વારંવાર લગ્ન કરવાનું કહેતા યુવકે ઝઘડો કરી ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. તેથી યુવતીએ યુવક વિરુદ્ધ દુષ્કર્મની પોલીસ ફરિયાદ કરી હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, મણિનગરમાં રહેતી 35 વર્ષીય યુવતી નાસ્તાની લારી ધરાવી ધંધો કરે છે. જેમાં યુવતી ઇન્સ્ટાગ્રામ વાપરતી હતી ત્યારે વર્ષ 2021માં તેની પર જામનગરના ભાગ્યરાજ સિંહ જાડેજાની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી. જેથી યુવતીએ એક્સેપ્ટ કરતા બંને વચ્ચે વાતચીત શરૂ થઈ હતી. ત્યારબાદ બંનેએ એકબીજાના નંબરની આપલે કરી હતી અને પ્રેમ સંબંધ બંધાયો હતો. જે બાદ ભાગ્યરાજ સિંહ યુવતીને મળવા માટે અમદાવાદ મણિનગર આવતો હતો. તે સમયે શખ્સે યુવતીને લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચર્યું હતુ.

આ બાદ શખ્સે અવારનવાર યુવતીને લગ્નની લાલચ આપીને રાજકોટ ખાતે હોટલમાં લઈ ગયો હતો અને ત્યાંપણ દુષ્કર્મ આચર્યું હતુ. આટલું જ નહિ શખ્સે યુવતીને પ્રેમજાળમાં ફસાવીને રૂપિયાની જરૂર છે કહીને અનેક વસ્તુઓની માંગણી શરૂ કરી હતી. શખ્સે ગિફ્ટો, મોબાઇલ અને ટુકડે-ટુકડે યુવતી પાસેથી કુલ રૂ. 11.38 લાખ પડાવી લીધા હતા.જે બાદ યુવતીએ લગ્ન કરવાનું કહેતા શખ્સે ઝઘડો કરીને લગ્ન નથી કરવા કહીને ફોન ઉપાડવાનું બંધ કર્યુ હતુ.

જેથી કંટાળીને યુવતીએ પ્રેમી ભાગ્યરાજ સિંહ સામે મણિનગર પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદ લઈને કાર્યવાહી શરૂ કરી છે અને આરોપી યુવકની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. આ સાથે ફરિયાદી દ્વારા કરવામાં આવેલ આરોપને લઈ પુરાવા એકત્રિત કરવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. ત્યારે પોલીસની તપાસ બાદ વધુ ખુલાસાઓ સામે આવી શકે તેમ છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...