Friday, May 1, 2026

રક્ષાબંધનના તહેવારને લઈને GSRTC નું વિશેષ આયોજન, દોડાવાશે 6500 વધારાની બસો

spot_img
Share

અમદાવાદ : રક્ષાબંધનના તહેવાર નિમિત્તે ગુજરાત રાજ્ય એસટી નિગમ દ્વારા મુસાફરોના ધસારાને પહોંચી વળવા માટે વધારાની એક્સ્ટ્રા 200 દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રક્ષાબંધનના તહેવારને ચાલુ વર્ષે એસટી નિગમ દ્વારા 17 ઓગસ્ટથી 20 ઓગસ્ટ સુધી રક્ષાબંધનના તહેવારો દરમિયાન અંદાજિત 6,500 જેટલી એક્સ્ટ્રા ટ્રીપનું સંચાલન કરવામાં આવશે. અમદાવાદ, વડોદરા, સુરત, મહેસાણા, જૂનાગઢ, રાજકોટ, જામનગર સહિતના ડિવીઝનમાંથી ટ્રાફિક પ્રમાણે એકસ્ટ્રા ટ્રીપનું સંચાલન કરવામાં આવશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, રક્ષાબંધન નિમિત્તે તારીખ 17 થી 20 ઓગસ્ટ સુધી 6,500 એક્સ્ટ્રા ટ્રીપોનું સંચાલન કરવામાં આવશે તેવી GSRTC દ્વારા જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જન્માષ્ટમી નિમિત્તે તારીખ 24 થી 27 ઓગસ્ટ સુધી 5,500 એક્સ્ટ્રા ટ્રીપોનું સંચાલન કરવામાં આવશે તેવો GSRTC દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. મુસાફરોના બહોળા પ્રમાણને ધ્યાનમાં લઈને વધુ બસ ટ્રીપોનું આયોજન કરવામાં આવ્યું છે.

ગત વર્ષે પણ 6,000 જેટલી ટ્રીપ દોડાવવામાં આવી હતી. જેના કારણે ત્રણ લાખથી વધુ મુસાફરો નોંધાયા હતા અને ત્રણ કરોડથી વધુની આવક થઈ હતી. ત્યારે ચાલુ વર્ષે પણ તેમાં 500થી 700 ટ્રીપનો વધારો કરી વધારાની બસો દોડાવવામાં આવશે. ચાલુ વર્ષે પણ લાખોની સંખ્યામાં મુસાફરો એસટી બસમાં મુસાફરી કરશે. જેથી સુવિધા માટે આ નિર્ણય લેવાયો છે.

અમદાવાદ, વડોદરા, સુરત, મહેસાણા, રાજકોટ, જામનગર સહિતના ડિવિઝનમાંથી ટ્રાફિક પ્રમાણે એક્સ્ટ્રા ટ્રીપનું સંચાલન કરવામાં આવશે. તમામ ડેપોમાં સૂચના આપવામાં આવી છે કે પ્રવાસીઓની ટ્રાફિકને પહોંચી વળવા માટે પ્રવાસીઓની જરૂરિયાત મુજબ બસ દોડાવવામાં આવે. જે રૂટ પર વધુ ટ્રાફિક હોય તે રૂટ પર એક્સ્ટ્રા દોડાવવી. જેથી પેસેન્જર સમયસર વતન પહોંચી શકે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...