Monday, January 19, 2026

અમદાવાદમાં બાંધકામ સાઇટ પર ટાવર ક્રેઇનના વપરાશ પહેલા સેફટી સર્ટીફીકેટ લેવાના રહેશે, નવી SOP જાહેર

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં બાંધકામ સાઈટ ઉપર ટાવર ક્રેઈનનો ઉપયોગ કરતા પહેલાં સેફટી સર્ટિફિકેટ લેવું પડશે. ટાવર ક્રેઈનના ઉપરના ભાગમાં એરક્રાફટ વોર્નિંગ લાઈટ લગાવવી પડશે. ટાવરક્રેઈનના વપરાશ દરમિયાન આજુબાજુની મિલકત,સંલગ્ન રસ્તા ઉપરથી પસાર થતાં લોકોની સલામતીની જવાબદારી ક્રેઈન સંચાલક,માલિક તથા ડેવલપર્સની રહેશે.AMC દ્વારા આ અંગે SOP જાહેર કરવામાં આવી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરમાં બાંધકામ સાઈટ માટે સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસિજર (SOP) જાહેર કરવામાં આવી છે. બાંધકામ કરનાર ડેવલપર્સ દ્વારા બાંધકામ સાઈટ ઉપર ટાવર ક્રેઈનનો ઉપયોગ થાય છે. આ બાબતને ધ્યાનમાં લઈ જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકામાં ટાવર ક્રેઈનના ઈન્સ્ટોલેશન, ઓપરેશનની કામગીરી સાથે સંકળાયેલા મજૂરો, આજુબાજુની મિલકતો,નાગરિકો તેમજ વાહનોની જાહેર સલામતી જળવાય એ માટે મ્યુનિસિપલ કમિશનર દ્વારા SOP જાહેર કરવામાં આવી છે.

એસ્ટેટ વિભાગ ઘ્વારા બાંધકામની વિકાસ પરવાનગી અપાયેલ હોય અને બાંધકામની કામગીરી માટે કન્સ્ટ્રકશન સાઈટ પર સ્થળે કોઇ પણ પ્રકારની ટાવર ક્રેઈન ઈન્સ્ટોલેશન/ઓપરેશન કરવાની થતી હોય તેવા કિસ્સામાં કન્સ્ટ્રકશન માટેની ટાવર ક્રેઈન ઇન્સ્ટોલેશન માટે ફેકટરી એકટ 1948 મુજબ સેફટી રિપોર્ટ અને સેફ્ટી સર્ટિફિકેટ રજાચિઠ્ઠી સાથે રજૂ કરવાના રહેશે.

માલિક/ ડેવલોપર્સ વિગેરે દ્વારા ટાવર ક્રેઈનના ઇરેક્શન, હાઈટ ડિસમેન્ટલ અને ઓપરેશન અંગે માન્ય સ્ટ્રક્ચરલ એન્જીનીયરની દેખરેખ હેઠળ ટાવર ક્રેઈનના ટેકનીકલ સ્ટાફ ટીમની હાજરીમાં સુપરવાઇઝિંગ એન્જિનીયરના માર્ગદર્શન હેઠળ કરવાના રહેશે તથા ટાવર ક્રેઈન અને તેના પાર્ટસની સલામતીના રિપોર્ટ રજૂ કરવાના રહેશે.

ટાવર ક્રેઈનના વપરાશ દરમિયાન આજુબાજુની મિલકત તથા સંલગ્ન રસ્તા પરથી પસાર થતા લોકોની જાનમાલનું નુકશાન ન થાય તે અંગેની તથા સલામતીની સંપૂર્ણ જવાબદારી ટાવર ક્રેઈન સંચાલકો તથા માલિક/ ડેવલોપર્સની રહેશે.ટાવર ક્રેઈનનો ઉપયોગ પ્લોટ હદની બહાર થતો હોય તેમજ કામગીરી દરમિયાન ટ્રાફિકને અસર થાય તેમ હોય તો જરૂર જણાવે પોલીસ કલીયરન્સ મેળવી લેવાનું રહેશે,

ઓવરહેડ ઇલેકટ્રીક લાઈન, હાઈ ટેન્શન મીડ લાઈન, ઓઈલ/ ગેસ વિગેરે પાઈપલાઈનોથી નિયત કન્ટ્રોલલાઈન મુજબનું સલામત અંતર જાળવીને ટાવર ક્રેનનું ઈન્સ્ટોલેશન અને ઓપરેશન કરવાનું રહેશે. ટાવર ક્રેઈનના ઉપરના ટોચનાં ભાગમાં એરક્રાફ્ટ વોર્નિંગ લાઈટ જોગવાઈ કરવાની રહેશે.તથા વખતો વખત તેનું ચેકીંગ કરવાનું રહેશે. ટાવર ક્રેઈન અંગે કન્સ્ટ્રક્શન સાઈટ ઉપર સલામતી અંગે જરૂરી કોર્ડન/સલામતીની સંજ્ઞાઓ (સાઈનેજ) વિગેરેનું સ્થળે ઇન્સ્ટોલેશન કરવાનું રહેશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...