Tuesday, January 13, 2026

ધરતીના ભગવાન રોષે ભરાયા ! સરકારી બાદ હવે ખાનગી ડૉક્ટર્સ પણ ઉતરશે હડતાળ પર, દર્દીઓ રઝળી પડશે

spot_img
Share

અમદાવાદ : કોલકાતાની મહિલા ડોક્ટરની હત્યાની ઘટનાના પ્રત્યાઘાત સમગ્ર દેશમાં પડી રહ્યાં છે. સમગ્ર દેશના ડોક્ટરો હડતાળ પર ઉતરી ગયા છે. ન્યાયની માંગણી સાથે ડોક્ટરો આજે હડતાળમાં જોડાયા છે. ડોક્ટરોની હડતાળના પગલે ઓપીડી બંધ રહેતા દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે, ઇમરજન્સી સેવાઓ ચાલુ રાખવામાં આવી છે. સરકારી તબીબો સાથે હવે ખાનગી તબીબો પણ જોડાશે. આ અંગે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના ગુજરાતના વાઈસ પ્રેસિડન્ટ ડોક્ટર મિતેશ શાહે હડતાળ પૂરેપૂરું સમર્થન આપવાની વાત કરી હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા આવતીકાલે એટલે શનિવારે સવારે છ વાગ્યાથી આગામી 24 કલાક સુધી ઇમર્જન્સી સિવાયની તમામ સેવાઓ બંધ રહેશે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સાથે હોમિયોપેથિક એસોસિએશન, ગામા સહિત વડોદરાની તમામ હોસ્પિટલોનું સમર્થન કરશે. આવતી કાલથી સવારે 6 વાગ્યાથી 24 કલાક માટે સંપૂર્ણ સેવાઓથી દૂર રહેશે. જેના કારણે રવિવાર અને સોમવારે રક્ષાબંધનનો તહેવાર હોવાથી કાલથી ત્રણ દિવસ સુધી ડોકટરો મળશે નથી.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બી.જે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ અને જુનિયર ડૉકટરોએ રેલી યોજી આજથી ગુજરાતની હોસ્પિટલોમાં OPD અને વોર્ડ સર્વિસ બંધ રાખનો નિર્ણય કર્યો છે, જ્યાં સુધી કોલકાતાના ડોકટરો પર થયેલા હુમલા મામલે સંતોષકારક જવાબ ના મળે ત્યાં સુધી સેવા બંધ રાખવામાં આવશે. માત્ર ઇમરજન્સી સેવા ચાલુ રાખવામાં આવશે. જેમાં 1500 પૈકી 750 રેસિડેન્ટ ડોક્ટર ઇમર્જન્સીમાં સેવા આપશે. તેમજ ગુજરાતમાં અનિશ્ચિત સમય સુધી ઇન્ટર જુનિયર ડોક્ટર અને સિનિયર રેસિડેન્ટ ડોક્ટર ઓપીડી સારવાર બંધ રાખશે.

જામનગર સિવિલ હોસ્પિટલમાં એમ. પી. શાહ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ અને જુનિયર ડૉકટરોએ સુત્રોચાર સાથે ધરણાં કરી કોલેજ કંમ્પાઉન્ડમાં રેલી યોજી હતી. રાજકોટ સરકારી હોસ્પિટલમાં ડોક્ટરો અને રેસિડેન્ટ ડોક્ટરો હડતાળ પર ઉતર્યા હતા. ડોક્ટરો OPD તથા વોર્ડ સર્વિસથી દૂર રહ્યા હતા.વડોદરા સયાજી હોસ્પિટલમાં ડોક્ટરોએ કેમ્પસમાં રેલી કાઢી વિરોધ દર્શાવ્યો હતો અને હત્યા કરનારાઓને પશ્ચિમ બંગાળ સરકાર સજા કરે તેની માંગણી કરી રહ્યા હતા. સુરતની સિવિલ હોસ્પિટલમાં રેસિડન્ટ તબીબોની હડતાળથી ઓપીડી શરૂ થઈ નથી. કેટલીક ઓપીડી ચાલુ થઈ છે. જો કે, રેસિડેન્ટ ડોક્ટરો આવ્યા નથી. ડોક્ટરો આવે પછી ઓપીડી ચાલુ થશે તેવું જાણવા મળ્યું છે.

અત્યાર સુધીમાં સરકારી તબીબો હડતાલ કરીને વિરોધ પ્રદર્શન કરતા હતા. પરંતુ હવે તેમની સાથે ખાનગી તબીબો પણ જોડાશે. આ વિરોધ પ્રદર્શનને અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા સંપૂર્ણ સમર્થન આપવામાં આવશે. જેમાં વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે અમદાવાદ મેડિકલ એસોસિએશનના ઓડિટોરિયમમાં તમામ 700 તબીબો એકત્રિત થઈને રેલી યોજશે. આ ઉપરાંત સાંજે 5:30 કલાકે કોલકાતાની ટ્રેઇન મહિલા તબીબની આત્માને શાંતિ અને ન્યાય મળે તે માટે કેન્ડલ માર્ચ કરીને પ્રાર્થના કરશે.

કેન્દ્ર સરકારે શુક્રવારે આદેશ જારી કર્યો છે કે જો કોઈ ડૉક્ટર સાથે કોઈ પણ પ્રકારની હિંસા થશે તો તેના માટે મેડિકલ કોલેજ અથવા હોસ્પિટલના વડા જવાબદાર રહેશે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે સ્વાસ્થ્ય કર્મચારીઓ સામે કોઈપણ પ્રકારની હિંસાના કિસ્સામાં ઘટનાના 6 કલાકની અંદર એફઆઈઆર દાખલ કરવામાં આવે. જો આમ ન થાય તો મેડિકલ કોલેજના વડા સામે પણ કાર્યવાહી થઈ શકે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...