અમદાવાદ : ભાજપ પાર્ટીના નેતાઓ વચ્ચે જ એટલા આંતરિક વિખવાદો છે કે એમને કોંગ્રેસ કે દુશ્મનોની જરૂર નથી. ત્રણ દાયકાથી ગુજરાતમાં ભાજપનું શાસન છે. જેને પગલે કેટલાક નેતાઓ પણ છાકટા બની ગયા છે. પાર્ટીમાં અંદરો અંદરની ગરબડો એટલી છે કે જ્યારે દુશ્મની વધે ત્યારે એકબીજાની પોલ ખોલતા હોય છે પત્રિકા કાંડ એમાં સામાન્ય થઈ ગયા છે.પત્રિકા વાયરલ થયા બાદ અમદાવાદ ભાજપ અને ગાંધીનગરમાં ખળભળાટ મચ્યો છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના મણિનગરના ભાજપના કાર્યકર્તાનો કથિત પત્રિકા સોશિયલ મીડિયા અને સ્થાનિક ભાજપમાં ફરતો થયો છે. પત્રિકા વાયરલ થયા બાદ અમદાવાદ ભાજપમાં ખળભળાટ મચ્યો છે.મણિનગરના ભાજપ કાર્યકર્તાએ પૂર્વ મનપા પ્રભારી ધર્મેન્દ્ર શાહ અને તેમની નજીકના નેતાઓ પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે.ભાજપના ધારાસભ્ય અને નેતાઓના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટ ચાલે છે. કેટલી અને ક્યાં તેમની સંપત્તિ છે તેનું લખાણ પણ પત્રમાં લખવામાં આવ્યું છે.
પત્રિકા વાયરલ થયા બાદ અમદાવાદ ભાજપમાં ખળભળાટ મચ્યો છે.મણિનગરના ભાજપ કાર્યકર્તાએ પૂર્વ મનપા પ્રભારી ધર્મેન્દ્ર શાહ, મણિનગરનાં ધારાસભ્ય અમૂલ ભટ્ટ અને AMC દંડક શીતલ ડાગા સહિતનાં નેતાઓ પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. આરોપમાં પક્ષના નામે હોદ્દાનો દુરઉપયોગ કરીને ફક્ત રૂપિયાની કમાણી જ કરી છે. આ કથિત પત્રિકા વિધાનસભાના કોર્પોરેટરો અને વોર્ડ પ્રમુખોને પણ મોકલાવામાં આવી છે. આ કથિત પત્રિકા કાંડથી ગાંધીનગરમાં પણ હડકંપ મચ્યો છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપના પ્રભારી તથા પ્રદેશ સહકોષાધ્યક્ષ તરીકે સતત વિવાદમાં રહેલા ધર્મેન્દ્ર શાહને બંને હોદ્દા પરથી હટાવી દેવામાં આવ્યા હતા. તેના પર મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની કરોડો રૂપિયાની કિંમતની જગ્યા જલધારા વોટર પાર્કને પધરાવી દેવાનો આરોપ છે. તેમના વિરુદ્ધ અનેક ફરિયાદ પક્ષની ટોચના નેતા સુધી પહોંચતા તેમની હકાલપટ્ટી કરવામાં આવી હતી.


