Thursday, January 15, 2026

ડોક્ટરોની હડતાળનો બીજો દિવસ, અમદાવાદમાં 24 કલાક OPD બંધ, આશ્રમ રોડ પર તબીબોની રેલી યોજાઈ

spot_img
Share

અમદાવાદ : કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજમાં જુનિયર મહિલા ડૉક્ટર પર દુષ્કર્મ-હત્યાની ઘટના અને બે દિવસ અગાઉ ડોક્ટરો પર થયેલા હુમલાના વિરોધમાં આજે (17 ઓગસ્ટ) ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા 24 કલાકની હડતાળ જાહેર કરવામાં આવી છે. દેશભરના ખાનગી ડોક્ટરો આજે હડતાલ પર છે. અમદાવાદ મેડિકલ એસોસિએશનથી ઇન્કમટેક્ષ સુધી ડોક્ટરોએ હાથમાં બેનર સાથે સૂત્રોચ્ચાર કરી રેલી યોજી હતી. રેલીમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, આજે ગુજરાતભરની સરકારી હોસ્પિટલોની સાથે ખાનગી હોસ્પિટલોએ સમર્થન આપ્યું છે. હોસ્પિટલોમાં ઇમર્જન્સી સિવાયની તમામ સેવા બંધ રાખવામાં આવી છે, આથી દર્દીઓએ આજે પણ હાલાકીનો સામાનો કરવો પડી રહ્યો છે. જ્યારે અમદાવાદ મેડિકલ એસોસિયેશનના સભ્યોએ AMA થી ઇન્કમટેક્સ સુધી રેલી યોજી હતી, જેમાં 1000થી વધુ ડોક્ટરો વિવિધ લખાણવાળાં બેનર સાથે જોડાયા હતા..મોટી સંખ્યામાં મહિલા ડોક્ટરો પણ રેલીમાં જોડાયાં હતાં. આયુર્વેદ ડોક્ટરો પણ IMAની હડતાલને સમર્થન કર્યું છે તેમજ રાજકોટ, વડોદરા અને સુરતમાં પણ ડોક્ટરોએ રેલી યોજી વિરોધ નોંધાવ્યો છે. અમદાવાદ સિવિલ સુપરિટેન્ડન્ટે જણાવ્યું હતું કે રાત્રે મહિલા કર્મચારીને ઘરે જવામાં શી ટીમ મદદ કરશે.

AMAના પ્રમુખ ડૉ. તુષાર પટેલે જણાવ્યું હતું કે, કોલકાતાના ઘટનાના સંદર્ભમાં અમે આજે હડતાળ કરી રહ્યા છે. અમદાવાદના 13 હજાર ડોક્ટર અમારી સાથે જોડાયેલા છે. આજે તમામ ખાનગી હોસ્પિટલના ડોકટર પણ હડતાળ પર છે. અત્યારે અમારી રેલી યોજાઈ છે, હોસ્પિટલમાં ડોક્ટરોને સુરક્ષા મળવી જોઈએ તથા કોલકાતાના બનાવ અંગે પીડિતાને ન્યાય મળવો જોઈએ. ડોકટરો માટે સેન્ટ્રલ ડોક્ટર પ્રોટેક્શન એક્ટ બનવવવો તે અમારી માંગ છે. અમે આજે બેઠક કરીશું, જેમાં આગામી કાર્યક્રમ અંગે ચર્ચા કરવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...