Wednesday, March 4, 2026

ડોક્ટરોની હડતાળનો બીજો દિવસ, અમદાવાદમાં 24 કલાક OPD બંધ, આશ્રમ રોડ પર તબીબોની રેલી યોજાઈ

spot_img
Share

અમદાવાદ : કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજમાં જુનિયર મહિલા ડૉક્ટર પર દુષ્કર્મ-હત્યાની ઘટના અને બે દિવસ અગાઉ ડોક્ટરો પર થયેલા હુમલાના વિરોધમાં આજે (17 ઓગસ્ટ) ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા 24 કલાકની હડતાળ જાહેર કરવામાં આવી છે. દેશભરના ખાનગી ડોક્ટરો આજે હડતાલ પર છે. અમદાવાદ મેડિકલ એસોસિએશનથી ઇન્કમટેક્ષ સુધી ડોક્ટરોએ હાથમાં બેનર સાથે સૂત્રોચ્ચાર કરી રેલી યોજી હતી. રેલીમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, આજે ગુજરાતભરની સરકારી હોસ્પિટલોની સાથે ખાનગી હોસ્પિટલોએ સમર્થન આપ્યું છે. હોસ્પિટલોમાં ઇમર્જન્સી સિવાયની તમામ સેવા બંધ રાખવામાં આવી છે, આથી દર્દીઓએ આજે પણ હાલાકીનો સામાનો કરવો પડી રહ્યો છે. જ્યારે અમદાવાદ મેડિકલ એસોસિયેશનના સભ્યોએ AMA થી ઇન્કમટેક્સ સુધી રેલી યોજી હતી, જેમાં 1000થી વધુ ડોક્ટરો વિવિધ લખાણવાળાં બેનર સાથે જોડાયા હતા..મોટી સંખ્યામાં મહિલા ડોક્ટરો પણ રેલીમાં જોડાયાં હતાં. આયુર્વેદ ડોક્ટરો પણ IMAની હડતાલને સમર્થન કર્યું છે તેમજ રાજકોટ, વડોદરા અને સુરતમાં પણ ડોક્ટરોએ રેલી યોજી વિરોધ નોંધાવ્યો છે. અમદાવાદ સિવિલ સુપરિટેન્ડન્ટે જણાવ્યું હતું કે રાત્રે મહિલા કર્મચારીને ઘરે જવામાં શી ટીમ મદદ કરશે.

AMAના પ્રમુખ ડૉ. તુષાર પટેલે જણાવ્યું હતું કે, કોલકાતાના ઘટનાના સંદર્ભમાં અમે આજે હડતાળ કરી રહ્યા છે. અમદાવાદના 13 હજાર ડોક્ટર અમારી સાથે જોડાયેલા છે. આજે તમામ ખાનગી હોસ્પિટલના ડોકટર પણ હડતાળ પર છે. અત્યારે અમારી રેલી યોજાઈ છે, હોસ્પિટલમાં ડોક્ટરોને સુરક્ષા મળવી જોઈએ તથા કોલકાતાના બનાવ અંગે પીડિતાને ન્યાય મળવો જોઈએ. ડોકટરો માટે સેન્ટ્રલ ડોક્ટર પ્રોટેક્શન એક્ટ બનવવવો તે અમારી માંગ છે. અમે આજે બેઠક કરીશું, જેમાં આગામી કાર્યક્રમ અંગે ચર્ચા કરવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...