Sunday, January 18, 2026

અમદાવાદમાં યુવકે છેડતીના આક્ષેપ બાદ કેનાલમાં ઝંપલાવ્યું, સામે આવી ચોંકાવનારી હકીકત

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના ચાંદખેડા ખાતે રહેતો વિપુલભાઈ ડાહ્યાભાઈ સેનમા અરવિંદ ફાઉન્ડેશન ખાત્રજ ખાતે નોકરી કરતો હતો. તે દરમિયાન વૃક્ષના રોપા કલોલ તાલુકાના પલસાણા ગામે આવેલા સ્કૂલમાં આપવાના હોવાથી આ સ્કૂલનું સરનામું પલસાણા ગામે સ્કૂલમાં નોકરી કરતી એક શિક્ષિકાને પૂછ્યું હતું. જે બબાતની અદાવત રાખી આ સ્કૂલની શિક્ષિકા અને જાસપુર ગામના પૂર્વ સરપંચે યુવકને રોકી બબાલ કરી લાફા માર્યાં હતા. બાદમાં યુવકની નોકરી પણ છીનવાઈ જતા ખોટા આક્ષેપથી આઘાતમાં સરી પડેલા યુવકે અંતિમ વીડિયો બનાવી કેનાલમાં ઝંપલાવ્યું હતું.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના ચાંદખેડાના યુવકના આપઘાત કેસમાં મોટો ખુલાસો સામે આવ્યો છે. મળતી વિગતો પ્રમાણે જાસપુરના પૂર્વ સરપંચ અને પલસાણાની શિક્ષિકા સામે ફરિયાદ નોંધાઈ છે. આપઘાત કરતાં પહેલાં યુવકે એક વીડિયો બનાવ્યો હતો, જેમાં અત્યારે હકીકત સામે આવી છે. પ્રાથમિક જાણકારી પ્રમાણે ખોટી ફરિયાદ બાદ નોકરી જતાં લાગી આવતા આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. કલોલના જાસપુરની કેનાલમાં ઝંપલાવી આપઘાત કર્યો હતો. છેડતીના આક્ષેપ બાદ યુવકે કેનાલમાં ઝંપલાવ્યું અને આપઘાત કર્યો હતો. જે મામલે અત્યારે મોટો ખુલાસો થયો છે.

કલોલ તાલુકાના જાસપુર ગામે યુવકે કેનાલમાં ઝંપલાવી મોતને વ્હાલું કર્યું હતું, પરંતુ આપઘાત કરતા પહેલા યુવાને એક વીડિયો બનાવ્યો હતો. જેમાં તેણે આપઘાત કરવા માટે જાસપુર ગામના પૂર્વ સરપંચ અને પલસાણા ગામની શિક્ષિકા તથા અન્ય લોકોને જવાબદાર ગણાવ્યા હતા. વીડિયોમાં યુવકે જણાવ્યા મુજબ સ્કૂલનું નામ પૂછવા બાબતે શિક્ષિકાને ઊભી રાખતા શિક્ષિકા અને પૂર્વ સરપંચ દિનેશ પ્રજાપતિએ તેની સાથે માથાકૂટ કરી હતી અને પૂર્વ સરપંચે લાફો માર્યો હતો.

ત્યારબાદ 181 અભયમની ટીમ બોલાવીને ફરિયાદ કરી હતી અને માફી પત્ર લખાવ્યો હતો. આ ઘટનાનું યુવકને લાગી આવતા આ પગલુ ભર્યું હતું. આ મામલે મૃતકના ભાઈએ પૂર્વ સરપંચ, શિક્ષિકા અને અન્ય લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. ફરિયાદ અનુસાર મૃતક વિપુલ સેનમા અરવિંદ ફાઉન્ડેશન ખાત્રજમાં આવેલા ટાટા હાઉસિંગમાં નોકરી કરતો હતો.

અંતિમ વીડિયોમાં વિપુલે જણાવ્યું હતું કે, અરવિંદ ફાઉન્ડેશનમાંથી પણ મને નીકાળી દેવામાં આવ્યો અને નોકરી ઉપર આવવાની ના પાડી દીધી છે. તેથી સ્યુસાઇડ કરી રહ્યો છું. તેના જવાબદાર પલસાણાના ટીચર રહેશે અને જે ગામના સરપંચે મને લાફો માર્યો છે તે રહેશે. હું જાસપુર કેનાલમાં પડું છું ‘જય શ્રી કૃષ્ણ અલવિદા’ મિત્ર ધવલ અને આનંદને ખાસ વિનંતી કરું છું કે, સમાધાન ન કરાવતા ખરેખર મને ન્યાય મળવો જોઈએ એમને સજા મળવી જોઈએ.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...