Wednesday, March 11, 2026

અમદાવાદમાં યુવકે છેડતીના આક્ષેપ બાદ કેનાલમાં ઝંપલાવ્યું, સામે આવી ચોંકાવનારી હકીકત

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના ચાંદખેડા ખાતે રહેતો વિપુલભાઈ ડાહ્યાભાઈ સેનમા અરવિંદ ફાઉન્ડેશન ખાત્રજ ખાતે નોકરી કરતો હતો. તે દરમિયાન વૃક્ષના રોપા કલોલ તાલુકાના પલસાણા ગામે આવેલા સ્કૂલમાં આપવાના હોવાથી આ સ્કૂલનું સરનામું પલસાણા ગામે સ્કૂલમાં નોકરી કરતી એક શિક્ષિકાને પૂછ્યું હતું. જે બબાતની અદાવત રાખી આ સ્કૂલની શિક્ષિકા અને જાસપુર ગામના પૂર્વ સરપંચે યુવકને રોકી બબાલ કરી લાફા માર્યાં હતા. બાદમાં યુવકની નોકરી પણ છીનવાઈ જતા ખોટા આક્ષેપથી આઘાતમાં સરી પડેલા યુવકે અંતિમ વીડિયો બનાવી કેનાલમાં ઝંપલાવ્યું હતું.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના ચાંદખેડાના યુવકના આપઘાત કેસમાં મોટો ખુલાસો સામે આવ્યો છે. મળતી વિગતો પ્રમાણે જાસપુરના પૂર્વ સરપંચ અને પલસાણાની શિક્ષિકા સામે ફરિયાદ નોંધાઈ છે. આપઘાત કરતાં પહેલાં યુવકે એક વીડિયો બનાવ્યો હતો, જેમાં અત્યારે હકીકત સામે આવી છે. પ્રાથમિક જાણકારી પ્રમાણે ખોટી ફરિયાદ બાદ નોકરી જતાં લાગી આવતા આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. કલોલના જાસપુરની કેનાલમાં ઝંપલાવી આપઘાત કર્યો હતો. છેડતીના આક્ષેપ બાદ યુવકે કેનાલમાં ઝંપલાવ્યું અને આપઘાત કર્યો હતો. જે મામલે અત્યારે મોટો ખુલાસો થયો છે.

કલોલ તાલુકાના જાસપુર ગામે યુવકે કેનાલમાં ઝંપલાવી મોતને વ્હાલું કર્યું હતું, પરંતુ આપઘાત કરતા પહેલા યુવાને એક વીડિયો બનાવ્યો હતો. જેમાં તેણે આપઘાત કરવા માટે જાસપુર ગામના પૂર્વ સરપંચ અને પલસાણા ગામની શિક્ષિકા તથા અન્ય લોકોને જવાબદાર ગણાવ્યા હતા. વીડિયોમાં યુવકે જણાવ્યા મુજબ સ્કૂલનું નામ પૂછવા બાબતે શિક્ષિકાને ઊભી રાખતા શિક્ષિકા અને પૂર્વ સરપંચ દિનેશ પ્રજાપતિએ તેની સાથે માથાકૂટ કરી હતી અને પૂર્વ સરપંચે લાફો માર્યો હતો.

ત્યારબાદ 181 અભયમની ટીમ બોલાવીને ફરિયાદ કરી હતી અને માફી પત્ર લખાવ્યો હતો. આ ઘટનાનું યુવકને લાગી આવતા આ પગલુ ભર્યું હતું. આ મામલે મૃતકના ભાઈએ પૂર્વ સરપંચ, શિક્ષિકા અને અન્ય લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. ફરિયાદ અનુસાર મૃતક વિપુલ સેનમા અરવિંદ ફાઉન્ડેશન ખાત્રજમાં આવેલા ટાટા હાઉસિંગમાં નોકરી કરતો હતો.

અંતિમ વીડિયોમાં વિપુલે જણાવ્યું હતું કે, અરવિંદ ફાઉન્ડેશનમાંથી પણ મને નીકાળી દેવામાં આવ્યો અને નોકરી ઉપર આવવાની ના પાડી દીધી છે. તેથી સ્યુસાઇડ કરી રહ્યો છું. તેના જવાબદાર પલસાણાના ટીચર રહેશે અને જે ગામના સરપંચે મને લાફો માર્યો છે તે રહેશે. હું જાસપુર કેનાલમાં પડું છું ‘જય શ્રી કૃષ્ણ અલવિદા’ મિત્ર ધવલ અને આનંદને ખાસ વિનંતી કરું છું કે, સમાધાન ન કરાવતા ખરેખર મને ન્યાય મળવો જોઈએ એમને સજા મળવી જોઈએ.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...