Wednesday, March 4, 2026

ઈસ્કોન બ્રિજ કેસ : 9 લોકોને કચડી મારનાર તથ્ય પટેલને એક વર્ષ બાદ મળ્યા જામીન, કોર્ટે રાખી આ શરત

spot_img
Share

અમદાવાદ : ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલને એક વર્ષ બાદ મળ્યા હંગામી જામીન મળ્યા છે. માત્ર એક દિવસ માટે પોલીસ જાપ્તા સાથે જામીન મંજૂર થયા છે. અમદાવાદ ગ્રામ્ય કોર્ટે જામીન અરજી ગ્રાહ્ય રાખી છે. દાદાના મરણક્રિયાના કારણોસર તથ્ય પટેલે જામીન માંગ્યા હતા. દાદાની અંતિમવિધી બાદ જેલમાં પરત લઇ જવા કોર્ટે આદેશ આપ્યો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદની ગ્રામ્ય સેશન્સ કોર્ટે ઈસ્કોન બ્રિજ પર 1 વર્ષ અગાઉ 9 લોકોને કમકમાટી ભર્યા કચડી નાંખનાર આરોપી તથ્ય પટેલને પોલીસ જાપ્તા સાથે એક દિવસના જામીન આપ્યા છે. અત્રે જણાવીએ કે, 13 મહિના બાદ આ અકસ્માત કેસના આરોપીને જામીન મળ્યા છે. 25 દિવસ પહેલા તથ્યના દાદાની તબિયત ખરાબ હોવાથી તેમને ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે સમય તથ્યના વકીલે કોર્ટમાં જામીન અરજી કરી હતી. જો કે, 22 ઓગસ્ટના રોજ તથ્યના દાદાનું અવસાન થતાં અંતિમક્રિયાને લઈ કોર્ટમાં જામીન અરજી કરાઈ, જે સાથે મૃત્યુ પ્રમાણપત્ર જોડવામાં આવ્યું હતું, ત્યારે કોર્ટ 1 દિવસના જામીન મંજૂર કર્યા છે

તમને જણાવી દઈએ કે ઉલ્લેખનીય છે કે 19 જુલાઈ, 2023ની મોડી રાત્રે અમદાવાદ શહેરના ઇસ્કોન બ્રિજ પર તથ્ય પટેલે ઘણાં લોકો જેગુઆર કાર ચડાવી દેતાં 9 લોકોનાં મોત થયાં હતાં. આ ઘટનાએ ગુજરાતભરમાં જ નહીં, દેશભરમાં ચર્ચા જગાવી હતી. તથ્ય હાલ સાબરમતી જેલમાં કેદ છે. આ કેસમાં આરોપી તથ્ય પટેલ સામે IPCની કલમ 279, 337, 338, 304, 308, 504, 506(2), 114, 188 મોટર વ્હીકલ એક્ટ 177, 184, 134B મુજબ ગુનો દાખલ થયો હતો. જે અત્યારે પણ જેલમાં છે, જો કે, આજે તેને એક દિવસના જામીન મળ્યા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...