Saturday, May 2, 2026

ઈસ્કોન બ્રિજ કેસ : 9 લોકોને કચડી મારનાર તથ્ય પટેલને એક વર્ષ બાદ મળ્યા જામીન, કોર્ટે રાખી આ શરત

spot_img
Share

અમદાવાદ : ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલને એક વર્ષ બાદ મળ્યા હંગામી જામીન મળ્યા છે. માત્ર એક દિવસ માટે પોલીસ જાપ્તા સાથે જામીન મંજૂર થયા છે. અમદાવાદ ગ્રામ્ય કોર્ટે જામીન અરજી ગ્રાહ્ય રાખી છે. દાદાના મરણક્રિયાના કારણોસર તથ્ય પટેલે જામીન માંગ્યા હતા. દાદાની અંતિમવિધી બાદ જેલમાં પરત લઇ જવા કોર્ટે આદેશ આપ્યો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદની ગ્રામ્ય સેશન્સ કોર્ટે ઈસ્કોન બ્રિજ પર 1 વર્ષ અગાઉ 9 લોકોને કમકમાટી ભર્યા કચડી નાંખનાર આરોપી તથ્ય પટેલને પોલીસ જાપ્તા સાથે એક દિવસના જામીન આપ્યા છે. અત્રે જણાવીએ કે, 13 મહિના બાદ આ અકસ્માત કેસના આરોપીને જામીન મળ્યા છે. 25 દિવસ પહેલા તથ્યના દાદાની તબિયત ખરાબ હોવાથી તેમને ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે સમય તથ્યના વકીલે કોર્ટમાં જામીન અરજી કરી હતી. જો કે, 22 ઓગસ્ટના રોજ તથ્યના દાદાનું અવસાન થતાં અંતિમક્રિયાને લઈ કોર્ટમાં જામીન અરજી કરાઈ, જે સાથે મૃત્યુ પ્રમાણપત્ર જોડવામાં આવ્યું હતું, ત્યારે કોર્ટ 1 દિવસના જામીન મંજૂર કર્યા છે

તમને જણાવી દઈએ કે ઉલ્લેખનીય છે કે 19 જુલાઈ, 2023ની મોડી રાત્રે અમદાવાદ શહેરના ઇસ્કોન બ્રિજ પર તથ્ય પટેલે ઘણાં લોકો જેગુઆર કાર ચડાવી દેતાં 9 લોકોનાં મોત થયાં હતાં. આ ઘટનાએ ગુજરાતભરમાં જ નહીં, દેશભરમાં ચર્ચા જગાવી હતી. તથ્ય હાલ સાબરમતી જેલમાં કેદ છે. આ કેસમાં આરોપી તથ્ય પટેલ સામે IPCની કલમ 279, 337, 338, 304, 308, 504, 506(2), 114, 188 મોટર વ્હીકલ એક્ટ 177, 184, 134B મુજબ ગુનો દાખલ થયો હતો. જે અત્યારે પણ જેલમાં છે, જો કે, આજે તેને એક દિવસના જામીન મળ્યા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...