Friday, January 16, 2026

અમદાવાદ સિવિલમાં દુર્લભ જન્મજાત ખામીની 5 મહિનાની બાળકીની જટીલ સર્જરી, માસૂમને નવજીવન

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખૂબ જ દુર્લભ કહી શકાય તેવી સર્જરી કરીને બાળકીને પીડામુક્ત કરવામાં આવી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલનાં ડોક્ટરો દ્વારા ફરી એકવાર જટિલ સર્જરી કરીને માસૂમ બાળકીનો જીવ બચાવવામાં આવ્યો છે. ખૂબ જ દુર્લભ ગણાતી એવી અવિકસિત ગર્ભની જન્મજાત ખામીને 3 કલાકની અત્યંત જટીલ સર્જરી દ્વારા સિવિલ હોસ્પિટલનાં પીડિયાટ્રિક સર્જરી વિભાગનાં ડોક્ટરો દ્વારા દૂર કરવામાં આવી હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, હાલ સુરત અને ગીર સોમનાથનાં વતની એવા માલદેવભાઈ અને જયાબેનની 15 મહિનાની પુત્રી યશ્રી વાજાને 5 જુલાઈ 2024થી ઝાડા અને ઉલટીની ફરિયાદ હતી. સોનોગ્રાફી કરાવતા યશ્રીના પેટમાં જમણી બાજુ પેટની દિવાલના આવરણના પાછળના ભાગમાં ગાંઠ હોવાનું તબીબોને જાણવા મળ્યું હતું. ત્યાર બાદ 15 મહિનાની યશ્રીને અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે સુરતથી રીફર કરવામાં આવી હતી.

સિવિલ હોસ્પિટલનાં પીડિયાટ્રિક સર્જરી વિભાગમાં તેણીની સંપૂર્ણ તપાસ કર્યા બાદ ડૉક્ટર રાકેશ જોશી, HoD, પીડિયાટ્રિક સર્જરી વિભાગ અને મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ તેમ જ એનેસ્થેસિયા વિભાગનાં ડોક્ટર રમિલા (પ્રોફેસર) અને આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. નિરખી શાહની આગેવાની હેઠળની ટીમે સફળ ઓપરેશન કરી 220 ગ્રામ તેમ જ 8.5X10.7X15 સેમીની ગાંઠને બહાર કાઢીને બાળકીનો જીવ બચાવ્યો હતો. સતત ત્રણ કલાકની જટિલ સર્જરી આ 15 મહિનાની યશ્રી પર કરવામાં આવી હતી.

સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ અને પીડિયાટ્રિક સર્જરી વિભાગનાં વડા ડોક્ટર રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, જયારે બે જોડિયા ગર્ભમાંથી એક ગર્ભ વિકસિત થઇ બાળક બને અને બીજું ગર્ભ અવિકસિત રહી વિકસિત બાળકનાં પેટમાં ગાંઠ તરીકે રહી જાય તેવી જન્મજાત ખામીને તબીબી વિજ્ઞાનની ભાષામાં Fits in Fitu કહેવાય છે. આ એક અત્યંત દુર્લભ જન્મજાત ખામી છે, જે 5 લાખ જીવિત બાળકોમાંથી એક કરતાં પણ ઓછા બાળકમાં જોવા મળે છે. આખા વિશ્વમાં અત્યાર સુધીમાં આવા માત્ર 200 જેટલા કેસો જ નોંધાયા છે. ઓપરેશન પછીનો સમય કોઈ પણ તકલીફ વગરનો અને ઝડપથી સારું થતાં યશ્રીને રજા આપવામાં આવી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...