Sunday, January 18, 2026

રાણીપ પોલીસ સ્ટેશનના PI બી.ડી.ગોહિલને સસ્પેન્ડ કરાયા, જાણો શું છે મામલો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેર પોલીસના રાણીપ પોલીસ સ્ટેશનના PI બી.ડી.ગોહિલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.રાણીપમાં સસ્તા અનાજની દુકાન તોડવામાં શંકાસ્પદ ગતિવિધિ બદલ તેમના પર કાર્યવાહી કરતા શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિકે PI બી.ડી.ગોહિલને સસ્પેન્ડ કર્યા છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદમાં રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં PI બી.ડી.ગોહિલને મંગળવારનારોજ અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી એસ મલિકે સસ્પેન્ડ કરવાનો ઓર્ડર કર્યો છે. PI બી.ડી.ગોહિલ સામે તપાસ ચાલી રહી હતી. રાણીપ વિસ્તારમાં આવેલી એક સંસ્થા અનાજની દુકાનમાં એક મહિલા દ્વારા સતત પોલીસને જાણ કરવામાં આવતી હતી કે, મારી દુકાન લોકો તોડી નાખશે, પરંતુ ત્રણ-ત્રણ અરજીઓ થવા છતાં પોલીસે કોઈ એક્શન લીધું નહીં.

રથયાત્રાના દિવસે એક તરફ અમદાવાદ શહેરની આખી પોલીસ રથયાત્રામાં વ્યસ્ત હતી, ત્યારે રાણીપ વિસ્તારમાં એક નિર્દોષ મહિલાની સંસ્થા અનાજની દુકાન તૂટી ગઈ હતી. આ સમગ્ર મામલે પોલીસ અને કેટલાક બિલ્ડર સામે શંકાની સોય હતી. આ સમગ્ર મામલાની તપાસ ચાલી રહી હતી, ત્યારે આજે અમદાવાદ શહેર પોલીસ કમિશનરે રાણીપ પોલીસ સ્ટેશનના PI બી.ડી.ગોહિલને સસ્પેન્ડ કર્યા છે.

આ અંગે પોલીસ કમિશનર જીએસ મલિકે જણાવ્યું હતું કે કેટલીક શંકાસ્પદ ગતિવિધિના કારણે પોલીસ ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને જો કોઈ પોલીસ કર્મચારી પોતાનો હોદ્દાનો દુરુપયોગ કરશે તો તેની સામે પણ એક્શન લેવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...