Tuesday, January 13, 2026

અમદાવાદમાં ગણેશ વિસર્જન માટે 51 કુંડ તૈયાર કરાશે, જાણો કઈ-કઈ જગ્યાએ વિસર્જન કરી શકાશે?

spot_img
Share

અમદાવાદ : શહેરમાં આજથી ગણેશોત્સવનો પ્રારંભ થઇ રહ્યો છે. શહેરના સોસાયટીના પંડાલ અને ભાવિકોએ પોતાના ઘરે સ્થાપન કરેલા ગણેશજી પૂજા-અર્ચના કરવામાં આવશે. 10 દિવસ ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવશે. અનંત ચતુર્દશીના દિવસે ભગવાન ગણેશને વાજતે-ગાજતે વિદાય આપવામાં આવતી હોય છે ત્યારે ગણેશ વિસર્જન માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના 48 જગ્યા પર 51 જેટલા વિસર્જનકુંડ બનાવવામાં આવ્યા છે.

શહેરના સાબરમતી રિવરફ્રન્ટ, ઇન્દિરા બ્રિજ છઠ્ઠઘાટ, મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્લોટ, તેમજ અલગ-અલગ તળાવોની બાજુમાં આવેલી જગ્યાઓમાં વિસર્જન કુંડ તૈયાર કરવામાં આવ્યા છે. ગણેશ વિસર્જનના દિવસે 6 સ્થળો પર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ જગ્યાએ ભગવાન ગણેશના વિદાય સમય તેમનું સ્વાગત અને પૂજા કરવામાં આવશે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 48 સ્થળોએ જે 51 કુંડ અને વિસર્જનના દિવસે સ્વાગત સ્ટેજ બનાવવામાં આવશે તેની પાછળ અંદાજિત 80થી 90 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષે ગણેશ વિસર્જન માટે કુંડ બનાવવામાં આવતા હોય છે. ચાલુ વર્ષે પણ વિવિધ જગ્યાએ વિસર્જન કુંડ બનાવવામાં આવશે. અલગ-અલગ સાઈઝના નાના-મોટા વિસર્જન કુંડ બનાવવામાં આવશે. 5 દિવસમાં વિસર્જનકુંડ બનીને તૈયાર થઈ જશે. દર વર્ષની જેમ વિસર્જન સમયે મૂર્તિ પધરાવવા તેમજ બહાર નીકાળવા માટે તંત્ર દ્વારા ક્રેઈનની સુવિધા ઉપલબ્ધ કરાવાશે.

ગણેશ સ્થાપના કરનાર સંસ્થા કે યુવક મંડળ દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ઇકો ફ્રેન્ડલી મૂર્તિ સહિત વિવિધ પ્રકારની ગાઈડલાઈન મુજબ ગણેશ ભગવાનની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હશે. જે અલગ-અલગ કેટેગરી પ્રમાણે પ્રથમ ત્રણ શ્રેષ્ઠ ગણેશ પંડાલને 51000થી લઈ 21000 સુધીનું ઈનામ આપવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...

અંબાજી શક્તિપીઠમાં ઈતિહાસ બદલાયો: હવે આઠમની મહાપૂજાના દર્શન તમામ ભક્તો કરી શકશે!

અંબાજી : શક્તિપીઠ અંબાજી મંદિરને લઇ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અંબાજી મંદિર સ્થાપના બાદનો અત્યાર સુધીનો સૌથી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે....