Thursday, March 5, 2026

ઘાટલોડીયામાં બંટી-બબલીએ સસરા વહુને શીશામાં ઉતારી ચાર કરોડનો ‘ચૂનો’ લગાવ્યો

spot_img
Share

અમદાવાદ : ઘણી વાર લોકો લાલચમાં આવી જતા હોય છે જેના પરિણામે હેરાન થવાનો વારો આવતો હોય છે. આવું જ એક બનાવ શહેરના ઘાટલોડીયામાંથી સામે આવ્યો છે. જેમાં મહિલા અને તેમના સસરાને રોકાણ કરીને ટૂંકા સમયમાં પૈસા ડબલ કરવાની લાલચ ભારે પડી છે. બંનેએ કુલ 4.28 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. જેની સામે ઠગ દંપતીએ તેમને 40 લાખ પરત આપીને બાકીની રકમ પરત આપી ન હતી. ઠગ દંપતીએ રોકાણના નામે રૂ. 3.87 કરોડ રૂપિયા પડાવી છેતરપિંડી આચરતા ઘાટલોડિયા પોલીસે ગુનો નોંધી દંપતિની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, થલતેજ વિસ્તારમાં રહેતા વૈશાલીબેન પટેલના પતિનું વર્ષ 2018માં અવસાન થયું હતું. ત્યારબાદ તેમનો દીકરો કેનેડા ખાતે રહેતો હતો. જેથી તેઓ કેનેડા અવરજવર કરતા હતા. વૈશાલીબેને અને તેમના સસરાએ જમીન વેચી દીધા બાદ મોટી રકમ મળતા તેનું રોકાણ કરવાનું હતું. આ દરમિયાનમાં બોપલમાં રહેતા અને ફાઇનાન્સ તથા ઇન્સ્યોરન્સ ફાઇનાન્સનું કામ કરતા જીગ્નેશ પંડ્યા અને તેની પત્ની રન્ના પંડ્યા સાથે તેમનો સંપર્ક થયો હતો.

જીગ્નેશ અને રન્નાએ ‘‘રોકાણ કરશો તો બેંક ડિપોઝિટ તથા અન્ય સરકારી, અર્ધ સરકારી તથા પ્રાઇવેટ ફાઇનાન્સ કંપનીઓ કરતા પણ ઊંચું વળતર આપવાની’’ લાલચ આપી હતી. બાદમાં 15 થી 20 દિવસમાં નાણાં બે થી ત્રણ ગણા થઈ જશે તેવી લાલચ આપી હતી. જેથી વૈશાલીબેને પહેલા 10 લાખ રૂપિયા રોકાણ માટે આપ્યા હતા.

થોડા દિવસ બાદ દંપતીએ વૈશાલીબેનના ઘરે આવીને ‘‘તમારા પૈસા ડબલ થઈ ચૂક્યા છે. પરંતુ જરૂર ના હોય તો ઉપાડતા નહિ, હજુ પૈસા વધી શકશે’’ તેવી લાલચ આપીને બીજા 20 લાખ રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું. આમ દંપતીએ ભરોસો આપીને ટુકડે ટુકડે 4.28 કરોડનું વૈશાલીબેન પાસે રોકાણ કરાવ્યું હતું. જેમાંથી માત્ર 40.77 લાખ પરત આપીને 3.87 કરોડ પરત આપ્યા ન હતા. જેથી આ મામલે વૈશાલીબેને દંપતી સામે ફરિયાદ નોંધાવતા ઘાટલોડિયા પોલીસે જીગ્નેશ પંડ્યા અને તેની પત્ની રન્ના પંડ્યા સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...