Sunday, January 18, 2026

ઘાટલોડીયામાં બંટી-બબલીએ સસરા વહુને શીશામાં ઉતારી ચાર કરોડનો ‘ચૂનો’ લગાવ્યો

spot_img
Share

અમદાવાદ : ઘણી વાર લોકો લાલચમાં આવી જતા હોય છે જેના પરિણામે હેરાન થવાનો વારો આવતો હોય છે. આવું જ એક બનાવ શહેરના ઘાટલોડીયામાંથી સામે આવ્યો છે. જેમાં મહિલા અને તેમના સસરાને રોકાણ કરીને ટૂંકા સમયમાં પૈસા ડબલ કરવાની લાલચ ભારે પડી છે. બંનેએ કુલ 4.28 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. જેની સામે ઠગ દંપતીએ તેમને 40 લાખ પરત આપીને બાકીની રકમ પરત આપી ન હતી. ઠગ દંપતીએ રોકાણના નામે રૂ. 3.87 કરોડ રૂપિયા પડાવી છેતરપિંડી આચરતા ઘાટલોડિયા પોલીસે ગુનો નોંધી દંપતિની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, થલતેજ વિસ્તારમાં રહેતા વૈશાલીબેન પટેલના પતિનું વર્ષ 2018માં અવસાન થયું હતું. ત્યારબાદ તેમનો દીકરો કેનેડા ખાતે રહેતો હતો. જેથી તેઓ કેનેડા અવરજવર કરતા હતા. વૈશાલીબેને અને તેમના સસરાએ જમીન વેચી દીધા બાદ મોટી રકમ મળતા તેનું રોકાણ કરવાનું હતું. આ દરમિયાનમાં બોપલમાં રહેતા અને ફાઇનાન્સ તથા ઇન્સ્યોરન્સ ફાઇનાન્સનું કામ કરતા જીગ્નેશ પંડ્યા અને તેની પત્ની રન્ના પંડ્યા સાથે તેમનો સંપર્ક થયો હતો.

જીગ્નેશ અને રન્નાએ ‘‘રોકાણ કરશો તો બેંક ડિપોઝિટ તથા અન્ય સરકારી, અર્ધ સરકારી તથા પ્રાઇવેટ ફાઇનાન્સ કંપનીઓ કરતા પણ ઊંચું વળતર આપવાની’’ લાલચ આપી હતી. બાદમાં 15 થી 20 દિવસમાં નાણાં બે થી ત્રણ ગણા થઈ જશે તેવી લાલચ આપી હતી. જેથી વૈશાલીબેને પહેલા 10 લાખ રૂપિયા રોકાણ માટે આપ્યા હતા.

થોડા દિવસ બાદ દંપતીએ વૈશાલીબેનના ઘરે આવીને ‘‘તમારા પૈસા ડબલ થઈ ચૂક્યા છે. પરંતુ જરૂર ના હોય તો ઉપાડતા નહિ, હજુ પૈસા વધી શકશે’’ તેવી લાલચ આપીને બીજા 20 લાખ રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું. આમ દંપતીએ ભરોસો આપીને ટુકડે ટુકડે 4.28 કરોડનું વૈશાલીબેન પાસે રોકાણ કરાવ્યું હતું. જેમાંથી માત્ર 40.77 લાખ પરત આપીને 3.87 કરોડ પરત આપ્યા ન હતા. જેથી આ મામલે વૈશાલીબેને દંપતી સામે ફરિયાદ નોંધાવતા ઘાટલોડિયા પોલીસે જીગ્નેશ પંડ્યા અને તેની પત્ની રન્ના પંડ્યા સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...