Friday, March 13, 2026

ન્યુ રાણીપથી ગોતા વંદે માતરમ તરફ જતો રેલવે અંડરબ્રિજ બે દિવસ બંધ રહેશે, આ રહ્યા બે વૈકલ્પિક રસ્તા

spot_img
Share

અમદાવાદ : શહેરના ન્યુ રાણીપ વિસ્તારમાં અનમોલ બંગ્લોઝ પાસે આવેલા રેલવે અંડરપાસની વચ્ચે આવેલી વરસાદી પાણીના નિકાલ માટેની લોખંડની જાળી તૂટી ગઈ હોવાથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બે દિવસ તેના રિપેરિંગની કામગીરી કરવાની હોવાના કારણે અન્ડરપાસ આજે મંગળવાર અને બુધવાર એમ બે દિવસ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. લોખંડની જાળી નાખવાની હોવાથી બ્રિજ વાહન વ્યવહાર માટે બે દિવસ બંધ રહેશે. જેના કારણે વાહનચાલકોએ ન્યુ રાણીપ આનંદ પાર્ટી પ્લોટથી ચાંદલોડિયા ગાયત્રી ગરનાળાથી તળાવ થઈને ચાંદલોડિયા બ્રિજ તરફ જઇ શકાશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ​​​​​​​વરસાદના કારણે શહેરમાં અનેક જગ્યાએ રોડ તૂટી ગયા છે. પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રેલવેની બેદરકારીથી હવે રેલવે અંડરબ્રિજમાં પણ વરસાદી પાણીના નિકાલ માટે નાખવામાં આવેલી જાળી તૂટી ગઈ છે. લોખંડની જાળી તૂટી ગઈ હોવાના કારણે તેનું રિપેરિંગ કામ આજથી શરૂ કરવામાં આવનાર છે. જેથી આજે અને આવતીકાલે એમ બે દિવસ કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી રેલવે અંડરબ્રિજને વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવશે. ન્યુ રાણીપ વિસ્તારમાં રહેતા વાહનચાલકોએ ગોતા વંદે માતરમ રોડ થઈ એસજી હાઇવે જવા માટે ચેનપુર ક્રોસિંગ જે હાલમાં ડાયવર્ઝન આપ્યું છે તેમાં પણ બે કિલોમીટરથી વધારે ફરીને જવું પડશે.

આ રહ્યા બે વૈકલ્પિક રસ્તા
ન્યુ રાણીપથી ગોતા વંદે માતરમ તરફ જવા માટે બે વૈકલ્પિક માર્ગ તરીકે ન્યૂ રાણીપ આનંદ પાર્ટી પ્લોટથી ગાયત્રી ગરનાળા થઈ તળાવથી ચાંદલોડિયા બ્રિજ પાસે થઈને એસજી હાઇવે અને વંદે માતરમ તરફ જઈ શકાય છે. બીજા વૈકલ્પિક માર્ગ તરીકે ચેનપુર ક્રોસિંગ પાસેથી આપેલા ડાયવર્ઝન પર થઈ જગતપુર રોડ પરથી ગોદરેજ ગાર્ડન સિટી ચાર રસ્તા થઈ અને એસજી હાઇવે તેમજ સેવી સ્વરાજ વંદે માતરમ રોડ પર જઈ શકાય છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...