Friday, January 16, 2026

અમદાવાદના આ સાત જાણીતા રસ્તાઓને રૂ. 350 કરોડના ખર્ચે આઇકોનિક રોડ તરીકે વિકસાવાશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં એરપોર્ટ સર્કલથી ડફનાળા સર્કલ સુધીના રોડ ઉપરાંત આશ્રમરોડ, ઈસ્કોનથી પકવાન જંકશન સુધીનારોડને આઈકોનિક બનાવાશે. શહેરમાં કુલ વીસ કિલોમીટરથી વધુ લંબાઈના સાત રોડને રૂપિયા 350 કરોડના ખર્ચે આઈકોનિક બનાવવામાં આવશે.રોડની હયાત પહોળાઈ મુજબ ઓનસ્ટ્રીટ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવશે.AMCએ શહેરના વધુ સાત રસ્તાઓ માટે રૂ.350 કરોડના ખર્ચે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, AMC દ્વારા વિવિધ વિસ્તારોમાં હાલના રસ્તાઓને આઇકોનિક રોડ તરીકે વિકસાવવા માટે વિવિધ સ્થળોએ સર્વે કર્યા બાદ ડિઝાઇન તૈયાર કરવામાં આવી હોવાનું વિશ્વસનીય સૂત્રોએ જણાવ્યું છે. રોડની પહોળાઈને ધ્યાને લઈ ત્રણ માર્ગીય રોડ બનાવવામાં આવશે. આઇકોનિક રોડમાં સૌથી લાંબો રોડ આશ્રમરોડ હશે અને તેની લંબાઈ પાંચ કિ.મી. હશે. તેને ગાંધી આશ્રમની થીમ પર બનાવવામાં આવશે.

સાત રોડને રૂપિયા 350 કરોડના ખર્ચે આઈકોનિક બનાવવામાં આવશે

નામ લંબાઈ (મીટર) પહોળાઈ (મીટર)
એરપોર્ટ સર્કલથી ડફનાળા જંકશન 3250 30
નરોડા સ્મશાનથી દહેગામ સર્કલ 2700 60
શ્યામલથી એસ.જી.હાઈવે 3300 30
ઈસ્કોનથી પકવાન જંકશન 1470 12થી 28
વિસતથી તપોવન સર્કલ 2400 90થી 108
કેશવબાગથી પકવાન જંકશન 2370 30
આશ્રમરોડ 5115 30.5થી 39.65

 

AMC દ્વારા એક વર્ષ અગાઉ શહેરના એરપોર્ટ સર્કલથી ઈન્દિરા સર્કલ સુધીના રોડને આઈકોનિક રોડ તરીકે ડેવલપ કરવામાં આવ્યો હતો. ટેન્ડર પ્રક્રીયા મ્યુનિસિપલ તંત્ર તરફથી કરવામાં આવી છે.હયાત રસ્તાને આઈકોનિક રોડ તરીકે ડેવલપ કરવા જુદા જુદા સ્થળ ઉપર સર્વે કરાયા પછી ડીઝાઈન તૈયાર કરવામાં આવી હોવાનું આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળે છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...