Sunday, January 25, 2026

અમદાવાદમાં PM નરેન્દ્ર મોદીએ GMDC ગ્રાઉન્ડ ખાતે 8000 કરોડના વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું

spot_img
Share

અમદાવાદ : PM નરેન્દ્ર મોદીના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. ત્યારે અનેક વિકાસ કાર્યોની ભેટ તેમણે ગુજરાતને આપી છે. વડાપ્રધાન મોદી અમદાવાદથી ગાંધીનગર મેટ્રો ટ્રેન ફેઝ-2નું લોકાર્પણ કરીને અમદાવાદ GMDC ગ્રાઉન્ડ પહોંચ્યા હતા. PM મોદી ઓપન જીપમાં લોકોનું અભિવાદન ઝીલતા સ્ટેજ સુધી પહોંચ્યા હતા. તેમણે GMDC ગ્રાઉન્ડ ખાતેથી અમદાવાદને 8000 કરોડના વધુ વિકાસ કાર્યોની ભેટ આપી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં PMનો ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો. આ દરમિયાન PM મોદી ખુલ્લી જીપમાં લોકો વચ્ચેથી અભિવાદન ઝીલતાં ઝીલતાં મુખ્ય સ્ટેજ સુધી પહોંચ્યા હતા. આ કાર્યક્રમમાં તેમણે 8000 કરોડથી વધુનાં વિકાસકાર્યોનાં ખાતમુહૂર્ત-લોકાર્પણ કર્યાં હતાં.તેમજ ઔડાના મકાન, નમો ભારત રેપિડ મેટ્રોને લીલીઝંડી આપી છે. અમદાવાદ-ભુજ વચ્ચે નમો ભારત રેપિડ મેટ્રોનો પ્રારંભ થયો છે. PM મોદીએ આવાસ યોજનાના લાભાર્થીઓને ચાવી સોંપી છે.

અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે PM મોદીએ સંબોધન કરતા જણાવ્યું છે કે, ગુજરાત માટે આજનો દિવસ અન્ય કારણોસર પણ ખાસ છે.નમો ભારત રેપિડ રેલ આજથી અમદાવાદ અને ભુજ વચ્ચે દોડવાની શરૂઆત થઈ છે. નમો ભારત રેપિડ રેલ દેશના એક શહેરથી બીજા શહેરમાં દરરોજ મુસાફરી કરતા આપણા મધ્યમ વર્ગના પરિવારોને ઘણી સગવડ પૂરી પાડવા જઈ રહી છે.

આ સાથે જ તેમણે ગુજરાતની જનતાનો આભાર માનતા જણાવ્યું હતું કે, “ત્રીજી વખત પ્રધાનમંત્રીના શપથ લીધા બાદ ગુજરાત આવ્યો છું. ગુજરાત મારી જન્મભૂમિ છે. ગુજરાતે મને જીવનની દરેક શીખ આપી છે. તમે મારા પર અપાર પ્રેમ દર્શાવ્યો છે. દીકરાએ આજે ઘરે આવીને આશીર્વાદ લીધો છે. આશીર્વાદથી નવી ઊર્જા મળે છે. મોટી સંખ્યામાં લોકો આશીર્વાદ આપવા આવ્યા છે.”

PM મોદીએ દેશહિતમાં કરેલા કાર્યો જણાવતા કહ્યું હતું કે, ‘‘અમે ત્રીજી ટર્મના પ્રથમ 100 દિવસ મહત્વના નિર્ણય લીધા છે. દિવસ-રાત જોયા વિના કામ કર્યું છે. દેશ-વિદેશમાં જે પ્રયાસ કરવાના હતા તે કર્યા છે. કોઈ પણ કસર છોડવામાં નથી આવી. છેલ્લા 100 દિવસમાં કેવી કેવી વાતો થઈ રહી છે. કેટલાક લોકો મારી મજાક ઉડાવવા લાગ્યા છે. અલગ-અલગ તર્ક-વિતર્ક દેખાડવા લાગ્યા છે.’’

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...