Wednesday, January 21, 2026

બોપલના હિટ એન્ડ રન કેસમાં મોટો ખુલાસો, સિક્યુરિટી ગાર્ડને ઉડાવી ભાગતો બિલ્ડરનો પુત્ર CCTVમાં કેદ થયો

spot_img
Share

અમદાવાદ : ગત 14 સપ્ટેમ્બરના રોજ અમદાવાદના બોપલમાં અજાણ્યા વાહનની ટક્કરથી રોડ ક્રોસ કરી રહેલા સિક્યુરિટી ગાર્ડનું મોત નીપજ્યું હતું. આ મામલે મૃતકના ભાઈએ અજાણ્યા વાહનચાલક વિરૂદ્ધ બોપલ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જે અંગેની તપાસમાં આ અકસ્માત મર્સિડીઝ કારથી બિલ્ડરના સગીર દીકરાએ કર્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આ ઉપરાંત અકસ્માત કરનાર ગાડીના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં આરોપી ફૂલ સ્પિડમાં જતો દેખાય રહ્યો છે. હાલ આ મામલે બોપલ પોલીસે આરોપી વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના બોપલમાં 14 સપ્ટેમ્બરની રાત્રે હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં એક બિલ્ડરના સગીર પુત્રએ અકસ્માત સર્જ્યો હોવાનો ખુલાસો થયો છે. સગીર કાર ચાલકે સિક્યુરિટી ગાર્ડને અડફેટે લીધો હતો. જેમાં સિક્યુરિટી ગાર્ડનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે. જેમાં નામી બિલ્ડર મિલાપ શાહના પુત્રએ અકસ્માત સર્જ્યો હોવાનો ખુલાસો થયો છે. બિલ્ડર મિલાપકુમાર શાહના સગીર પુત્રએ પૂરઝડપે કાર ચલાવીને રોડ ક્રોસ કરી રહેલા સિક્યુરિટી ગાર્ડને ટક્કર મારી હતી.

રિપોર્ટ મુજબ, બોપલમાં વિસ્તારમાં રહેતા 34 વર્ષીય યુવાન ગોવિંદસિંગ રામબરનર્સિંગ સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતાં. તેમજ તેઓના ભાઈ જસવંતસિંગ રામબરનસિંગ પણ શાશ્વત એપાર્ટમેન્ટમાં સિક્યુરિટી તરીકે નોકરી કરે છે. બંને ભાઈઓ શનિવારની રાત્રિના સમયે ફરજ પર હતા. દરમિયાન સાડા અગિયારેક વાગ્યાના સુમારે ગોવિંદસિંગ મારુતી મેડિકલની સામે આવેલ પાનના ગલ્લા ઉપર તમાકુ લેવા ગયા હતા.

આશરે પોણા બારેક વાગ્યાના સુમારે ગોવિંદસીંગ રોડ ક્રોસ કરતા હતા, તે દરમિયાન કોઇ અજાણ્યા કારચાલક અકસ્માત કરી ભાગી ગયો હતો. જે બાદ ગોવિંદસિંગને 108 મારફત સોલા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન ડોક્ટરોએ તેમને મૃત જાહેર કરતા જશવંતસિંગે બોપલ પોલીસમાં અજાણ્યા વાહનચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

મૃતકના ભાઈની ફરિયાદના આધારે બોપલ પોલીસે સીસીટીવી કેમેરા સહિતની મદદથી કારચાલકની શોધખોળ હાથ ધરી હતી. જેમાં પોલીસે અકસ્માત કરનાર ગાડીના CCTV ફૂટેજ મળતા આરોપીની ઓળખ કરી લીધી છે. મર્સિડીઝ કારનો ચાલક બિલ્ડર મિલાપકુમાર શાહનો સગીર દીકરો હોવાનું સામે આવ્યું છે. બિલ્ડરના સગીર પુત્રએ પૂર ઝડપે કાર ચલાવીને રોડ ક્રોસ કરી રહેલા સિક્યુરિટી ગાર્ડને ટક્કર મારી હતી. હાલમાં બોપલ પોલીસે સગીર આરોપી વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...