Saturday, May 2, 2026

બોપલના હિટ એન્ડ રન કેસમાં મોટો ખુલાસો, સિક્યુરિટી ગાર્ડને ઉડાવી ભાગતો બિલ્ડરનો પુત્ર CCTVમાં કેદ થયો

spot_img
Share

અમદાવાદ : ગત 14 સપ્ટેમ્બરના રોજ અમદાવાદના બોપલમાં અજાણ્યા વાહનની ટક્કરથી રોડ ક્રોસ કરી રહેલા સિક્યુરિટી ગાર્ડનું મોત નીપજ્યું હતું. આ મામલે મૃતકના ભાઈએ અજાણ્યા વાહનચાલક વિરૂદ્ધ બોપલ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જે અંગેની તપાસમાં આ અકસ્માત મર્સિડીઝ કારથી બિલ્ડરના સગીર દીકરાએ કર્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આ ઉપરાંત અકસ્માત કરનાર ગાડીના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં આરોપી ફૂલ સ્પિડમાં જતો દેખાય રહ્યો છે. હાલ આ મામલે બોપલ પોલીસે આરોપી વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના બોપલમાં 14 સપ્ટેમ્બરની રાત્રે હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં એક બિલ્ડરના સગીર પુત્રએ અકસ્માત સર્જ્યો હોવાનો ખુલાસો થયો છે. સગીર કાર ચાલકે સિક્યુરિટી ગાર્ડને અડફેટે લીધો હતો. જેમાં સિક્યુરિટી ગાર્ડનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે. જેમાં નામી બિલ્ડર મિલાપ શાહના પુત્રએ અકસ્માત સર્જ્યો હોવાનો ખુલાસો થયો છે. બિલ્ડર મિલાપકુમાર શાહના સગીર પુત્રએ પૂરઝડપે કાર ચલાવીને રોડ ક્રોસ કરી રહેલા સિક્યુરિટી ગાર્ડને ટક્કર મારી હતી.

રિપોર્ટ મુજબ, બોપલમાં વિસ્તારમાં રહેતા 34 વર્ષીય યુવાન ગોવિંદસિંગ રામબરનર્સિંગ સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતાં. તેમજ તેઓના ભાઈ જસવંતસિંગ રામબરનસિંગ પણ શાશ્વત એપાર્ટમેન્ટમાં સિક્યુરિટી તરીકે નોકરી કરે છે. બંને ભાઈઓ શનિવારની રાત્રિના સમયે ફરજ પર હતા. દરમિયાન સાડા અગિયારેક વાગ્યાના સુમારે ગોવિંદસિંગ મારુતી મેડિકલની સામે આવેલ પાનના ગલ્લા ઉપર તમાકુ લેવા ગયા હતા.

આશરે પોણા બારેક વાગ્યાના સુમારે ગોવિંદસીંગ રોડ ક્રોસ કરતા હતા, તે દરમિયાન કોઇ અજાણ્યા કારચાલક અકસ્માત કરી ભાગી ગયો હતો. જે બાદ ગોવિંદસિંગને 108 મારફત સોલા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન ડોક્ટરોએ તેમને મૃત જાહેર કરતા જશવંતસિંગે બોપલ પોલીસમાં અજાણ્યા વાહનચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

મૃતકના ભાઈની ફરિયાદના આધારે બોપલ પોલીસે સીસીટીવી કેમેરા સહિતની મદદથી કારચાલકની શોધખોળ હાથ ધરી હતી. જેમાં પોલીસે અકસ્માત કરનાર ગાડીના CCTV ફૂટેજ મળતા આરોપીની ઓળખ કરી લીધી છે. મર્સિડીઝ કારનો ચાલક બિલ્ડર મિલાપકુમાર શાહનો સગીર દીકરો હોવાનું સામે આવ્યું છે. બિલ્ડરના સગીર પુત્રએ પૂર ઝડપે કાર ચલાવીને રોડ ક્રોસ કરી રહેલા સિક્યુરિટી ગાર્ડને ટક્કર મારી હતી. હાલમાં બોપલ પોલીસે સગીર આરોપી વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...