Tuesday, January 20, 2026

સાવધાન વાલીઓ, હવે તમારું બાળક નિયમ વિરુદ્ધ વાહન લઈને સ્કૂલે જશે તો કાર્યવાહી, DEO, RTO અને પોલીસની સંયુક્ત ડ્રાઇવ

spot_img
Share

અમદાવાદ : ટ્રાફિક નિયમો મુજબ, મોટર વાહન ચલાવવા માટે માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ માટે અરજી કરવાની લઘુત્તમ ઉંમર 18 વર્ષ છે. પરંતુ, ઘણી વખત એવું જોવા મળે છે કે આ નિયમનું પાલન થતું નથી અને તેનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરવામાં આવે છે. જેથી અમદાવાદ ગ્રામ્ય DEO દ્વારા સ્કૂલોને પરિપત્ર કરીને જાણ કરવામાં આવી છે કે સ્કૂલમાં આવતાં બાળકો નિયમ વિરુદ્ધ વાહન લઈને આવતાં હોય તો તેમને અટકાવી દેવાં. આગામી અઠવાડિયામાં DEO દ્વારા ટ્રાફિક-પોલીસ અને RTO સાથે મળી ડ્રાઇવ યોજવામાં આવશે, જેમાં નિયમ વિરુદ્ધ વાહન લઇને આવતાં બાળકોનાં માતા-પિતા સામે કાર્યવાહી કરવામાં આવશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ ગ્રામ્ય DEO કૃપા ઝાના જણાવ્યા મુજબ, એમવી એક્ટ મુજબ 125 સીસી કરતાં વધુના વાહનો બાળકોને ચલાવવાની મંજૂરી નથી છતાં વિદ્યાર્થીઓ વાહનો લઈને સ્કૂલે આવે છે, જેના કારણે બાળકો, વાલી અને સ્કૂલની સલામતી જોખમમાં મુકાય છે, જેથી અમે પરિપત્ર કર્યો છે કે જે પણ વિદ્યાર્થીઓ અનઅધિકૃત વાહનો લઈને આવે તો સ્કૂલના આચાર્યએ વાલીઓને અવગત કરવાના રહેશે. આગામી સમયમાં અમે RTO અને ટ્રાફિક-પોલીસની મદદથી ડ્રાઇવ ચલાવીશું. સૂચના આપ્યા બાદ પણ કોઈ બાળક વાહન લઇને સ્કૂલે આવતું હશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.

DEO દ્વારા માત્ર સ્કૂલની બહાર જ નહિ, પરંતુ સ્કૂલની અંદર પણ ડ્રાઇવ યોજવામાં આવશે. સ્કૂલના પાર્કિગમાં જે વાહનો હશે એમાં બાળકોનાં વાહનો હશે તો સ્કૂલની અંદર જઈને તપાસ કરવામાં આવશે. બાળક વાહન ચલાવતા ના ઝડપાય, પરંતુ સ્કૂલે વાહન લઈને આવ્યું હશે એ જાણ થાય તો એ અંગે પણ કાર્યવાહી કરવામાં આવશે. એક અઠવાડિયા સુધી સ્કૂલે તમામ બાળકો અને વાલીઓને આ અંગે જાણ કરવાની રહેશે. ત્યાર બાદ DEO દ્વારા અલગ અલગ સ્કૂલોમાં RTO અને પોલીસ સાથે મળીને સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવશે.

જો તમારું બાળક 18 વર્ષથી ઓછી ઉંમરનું છે, તો તેને મોટરસાઇકલની ચાવી ન આપવી શ્રેષ્ઠ છે. આવું ક્યારેય ન થવું જોઈએ પણ જરા વિચારો કે જો તમારું બાળક અકસ્માતમાં સપડાય તો શું થશે? જો તમારી પાસે મોટર વાહન વીમા પોલિસી હોય, તો પણ તેનો કોઈ ઉપયોગ થશે નહીં કારણ કે તમે કોઈ દાવો કરી શકશો નહીં. વાસ્તવમાં, જો કોઈ સગીર વાહન ચલાવતો હોય, તો તેને વીમાના લાભો લાગુ પડતા નથી. આ કિસ્સામાં કોઈ દાવો કરી શકાતો નથી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...