Tuesday, January 13, 2026

સાબરમતી સ્ટેશન રિડેવલપમેન્ટ, એક્ઝિટ રૂટ અને પાર્કિંગ એરિયા 15 દિવસમાં શરૂ થશે, રિઝર્વેશન કેન્દ્ર નવી બિલ્ડિંગમાં ખસેડાશે

spot_img
Share

અમદાવાદ : સાબરમતી રેલવે સ્ટેશનનું રિડેવલપમેન્ટ ચાલી રહ્યું છે. બુલેટ ટ્રેન સ્ટેશનની સાથે રેલવે સ્ટેશનને પણ કનેક્ટિવિટી આપવા માટે મલ્ટિ મોડલ ટ્રાન્સપોર્ટ હબ તૈયાર કરાયું છે. તેની સાથે જ હબની બાજુમાંથી રેલવે સ્ટેશને જવા માટેનો મુખ્ય એન્ટ્રી માર્ગ તૈયાર કરાશે. જેમાં તેની સાથે જ મુખ્ય સ્ટેશન બિલ્ડિંગ પણ તૈયાર કરવામાં આવી રહ્યું છે. પહેલા માળે રિઝર્વેશન કેન્દ્ર, આરપીએફ પોલીસ સ્ટેશન સહિત રેલવેની અન્ય ઓફિસો હશે. સ્ટેશન કમ્પાઉન્ડમાં આવેલી આ તમામ ઓફિસો તોડી ત્યાં પાર્કિંગ એરિયા અને ગાર્ડન તૈયાર કરાશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, સાબરમતી રેલવે સ્ટેશન ખાતે સ્ટેશન બિલ્ડિંગમાં પહેલા માળનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે ત્યારે રિઝર્વેશન કેન્દ્ર સહિત અન્ય ઓફિસો ત્યાં શિફ્ટ કરવાની કામગીરી પણ રેલવે દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. દિવાળી પહેલા આ તમામ ઓફિસો નવી બિલ્ડિંગમાં શરૂ કરાશે. હાલના આરપીએફ પોલીસ સ્ટેશનની બાજુમાં તેમજ તેની પાછળના ભાગે લગભગ 2500 ચોરસ મીટર એરિયામાં ઓટો તેમજ ટેક્સી પાર્કિંગ એરિયા તૈયાર થશે. જેમાંથી લગભગ 1575 ચોરસ મીટર એરિયામાં કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. લગભગ 420 ચોરસ મીટરનો એક્ઝિટ રોડ પણ તૈયાર થઈ ગયો છે. આ રોડ તેમજ પાર્કિંગ એરિયાને આગામી 15 દિવસમાં લોકો માટે ખુલ્લો મુકી દેવામાં આવે તેવી શક્યતા છે. આ પાર્કિંગ એરિયા ખૂલ્લો મુકાતા 200થી વધુ ટેક્સી નવા પાર્કિંગમાં પાર્ક થઈ શકશે.

હાલમાં સાબરમતી સ્ટેશનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. કુલ કામગીરીમાંથી લગભગ 45 ટકા પૂર્ણ કરી દેવાઈ છે. તેની સાથે જ આગામી દિવાળી અને છઠ પૂજા સમયે પેસેન્જરોને હાલાકી ન પડે તે રીતે ટ્રેનોના સંચાલનને ધ્યાનમાં રાખી પ્લેટફોર્મ નંબર 2-3 અને ત્યારબાદ પ્લેટફોર્મ નંબર 1 પર બ્લોક લેવામાં આવશે. જો બ્લોક મળી જાય તો પ્લેટફોર્મની કામગીરી ઝડપથી પૂર્ણ કરી દેવામાં આવશે. જેના પગલે સ્ટેશન રિડેવલપમેન્ટની કામગીરી 2026ના અંત સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે.

સાબરમતી સ્ટેશન પર તાજેતરમાં બે નવા પ્લેટફોર્મ નંબર 6 અને 7 શરૂ કરી દેવાયાં છે. પ્લેટફોર્મ નંબર 4 અને 5 પર કામગીરી કરવા બ્લોક લેવામાં આવ્યો છે. જ્યાં દિવસ-રાત સ્ટેશન તૈયાર કરવા માટે કામગીરી ચાલી રહી છે. જે પૂરી થયા પછી પ્લેટફોર્મ નંબર 4-5 શરૂ કરી પ્લેટફોર્મ નંબર 2-3 પર બ્લોક લેવાશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...

અંબાજી શક્તિપીઠમાં ઈતિહાસ બદલાયો: હવે આઠમની મહાપૂજાના દર્શન તમામ ભક્તો કરી શકશે!

અંબાજી : શક્તિપીઠ અંબાજી મંદિરને લઇ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અંબાજી મંદિર સ્થાપના બાદનો અત્યાર સુધીનો સૌથી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે....